SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ નવતત્વ પ્રકરણ | સંપાદિકાનું કથન ૪ સંપાદિકાનું કથન ભગવાને દ્વાદશાંગી બતાવી છે તેના જ સંક્ષેપ કથનરૂપ આ નવ તત્ત્વો છે અને આ નવ તત્ત્વોનો જ વિસ્તારથી બોધ ચૌદપૂર્વધરને હોય છે. તેઓના બોધમાં પણ તરતમતા હોય છે. તેથી નવતત્ત્વના બોધથી જે સંપૂર્ણ દ્વાદશાંગીનો બોધ થઈ શકે છે. આત્મકલ્યાણ માટે અત્યંત ઉપયોગી નવતત્ત્વોનું જ્ઞાન છે, જે સંગ્રહાત્મક રૂપે પ્રસ્તુત ગ્રંથમાં બતાવેલ છે. તેથી યોગ્ય જીવો તેનો બોધ કરીને આત્મકલ્યાણ કરે એ જ એક કામનાથી આ ગ્રંથના સંપાદનનું કાર્ય કરેલ છે. પ્રસ્તુત ગ્રંથમાં પંડિતવર્ય શ્રી પ્રવીણભાઈ મોતાએ નવતત્ત્વની ઉપયોગિતા વિસ્તારપૂર્વક સમજાવેલ છે. જે જીવાદિ નવ પદાર્થોને ભણે તેને સમ્યક્ત હોય છે પણ આ નવ પદાર્થના બોધ વિના પણ ભાવથી શ્રદ્ધા રાખનારને સમ્યક્ત હોય છે તે ગાથા ૫૧માં બતાવેલ છે. વિવેચનકારથી એ આ શ્લોકનો ગૂઢાર્થ ખોલીને જિનવચનથી વિરુદ્ધ શ્રદ્ધા તો ન જોઈએ તેનું ખૂબ સુંદર વિવેચન કરેલ છે. આ ગ્રંથમાં સતત માર્ગદર્શન આપવા બદલ પૂ. સા. શ્રી ચારુનંદિતાશ્રીજી મ. સા.નો ઉપકાર ભૂલી શકાય તેમ નથી. આ ગ્રંથના પ્રથમ પ્રૂફમાં પદાર્થની સ્પષ્ટતા માટે જરૂરી સૂચનો કરવા માટે સ્વ. શ્રી શાંતિલાલ શિવલાલ શાહનો સુંદર સહયોગ મળ્યો હતો, તેઓશ્રીનો ઉપકાર સદા સ્મરણીય બની રહે એવો છે. ગ્રંથકારશ્રીના આશયથી અને જિનેશ્વરદેવની આજ્ઞાથી વિરુદ્ધ કાંઈપણ લખાયું હોય તે બદલ “મિચ્છા મિ દુક્કડમ્”. આપણે સૌ અર્થથી જે પ્રકારે ભગવાને નવ તત્ત્વો કહ્યા છે તે પ્રકારે આ નવ તત્ત્વો છે એવી ભાવથી સ્થિર શ્રદ્ધા કરીને સમ્યગ્દર્શનને પ્રાપ્ત કરીએ એ જ અભ્યર્થના. વિ. સં. ૨૦૪પ, અષાઢ સુદ-૧૩ લિ. સ્મિતા ડી. કોઠારી તા. ૫-૭-૦૯, રવિવાર ૧૨, બેન્ક ઑફ ઈન્ડિયા સોસાયટી, ઉસ્માનપુરા, અમદાવાદ-૩૮૦૦૧૩. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005541
Book TitleNavtattva Prakaran
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy