SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ નવતત્ત્વ પ્રકરણ | ગાથા-૩૦-૩૧, ૩૨-૩૩ ૧૧૧ એ પ્રમાણે ચિંતવન કરવું જોઈએ. આ રીતે ધર્મના સુઆખ્યાત તત્ત્વના અનુચિંતવનથી માર્ગમાંથી અચ્યવન અને માર્ગના સેવનમાં વ્યવસ્થાન થાય છે. તેથી સાધુઓ ધર્મના સુઆખ્યાત તત્ત્વનું ચિંતવન કરે. ॥૩૦-૩૧॥ અવતરણિકા : સંવરના ૫૭ ભેદોમાંથી ૫ સમિતિ, ૩ ગુપ્તિ, ૨૨ પરિષહજય, ૧૦ યતિધર્મ અને ૧૨ ભાવના સુધીના ભેદો બતાવ્યાં પછી હવે પાંચ પ્રકારના ચારિત્રને બતાવવા માટે પ્રસ્તુત ગાથામાં ચારિત્રનાં નામો બતાવે છે . — ગાથા ઃ सामाइअत्थ पढमं, छेओवट्ठावणं भवे बीअं । परिहारविसुद्धिअं, सुहुमं तह संपरायं च ।। ३२ ।। तत्तो अ अहक्खायं खायं सव्वंमि जीवलोगंमि । ' जं चरिऊण सुविहिया, वच्चंति अयरामरं ठाणं ।। ३३ ।। ગાથાર્થ ઃ સામાયિકસંયમ પ્રથમ, છેદોપસ્થાપ્યસંયમ બીજું થાય, પરિહારવિશુદ્ધિસંયમ અને સૂક્ષ્મસંપરાયસંયમ. II3II અને ત્યારપછી=સૂક્ષ્મસંપરાય પછી, સર્વ જીવલોકમાં ખ્યાત એવું= પ્રસિદ્ધ એવું યથાખ્યાતસંયમ છે, જેને આચરીને સુવિહિતો-સુવિહિત સાધુઓ અજરામર સ્થાનને પ્રાપ્ત કરે છે. II33|| ભાવાર્થ : પ્રસ્તુત ગાથાને કહેનારા વચનો તત્ત્વાર્થસૂત્રમાં આ પ્રમાણે છે - सामायिक-च्छेदोपस्थाप्य - परिहारविशुद्धि - सूक्ष्मसम्पराय - यथाख्यातानि ચારિત્રમ્ ।। (તત્ત્વાર્થસૂત્ર ૪. ૧, સૂ. ૮) सामायिकसंयमः १ छेदोपस्थाप्यसंयमः २ परिहारविशुद्धिसंयमः ३ सूक्ष्मसम्परायसंयमः ४ यथाख्यातसंयमः ५ इति पञ्चविधं चारित्रम् । तत् पुलाकादिषु (अ. ९, સૂ. ૪૮) વિસ્તરેળ વક્ષ્યામ: ।।૮।। (તત્ત્વાર્થસૂત્ર ૪. ૧, સૂ. ૮, માધ્ય) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005541
Book TitleNavtattva Prakaran
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy