________________
પંચપ્રતિક્રમણ સૂત્ર દાતાર ઈસ્યા ગુણ ભણી ન માન્યા- ન પૂજ્યા. મહાસતી-મહાત્માની ઈહલોક-પરલોક સંબંધીયા ભોગ-વાંછિત પૂજા કીધી. રોગ આતંક કષ્ટ આબે ખીણ વચન ભોગ માન્યા. મહાત્માના ભાત-પાણી, મલ, શોભાતની નિંદા કીધી. કુચારિત્રીયા દેખી ચારિત્રયા ઉપર કુભાવ હુઓ.
મિથ્યાત્વતણી પૂજા-પ્રભાવના દેખી પ્રશંસા કીધી, પ્રીતિ માંડી. દાક્ષિણ્યલગે તેહનો ઘર્મ માન્યો, કીધો. શ્રી સમ્યક્ત્વ વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષદિવસમાંહિ ૦.
પહેલે શૂલપ્રાણાતિપાત વિરમણવ્રતે પાંચ અતિચાર વહબછવિચ્છેએ દ્વિપદ ચતુષ્પદ પ્રત્યે રીસવશે ગાઢો 'ઘાવ ઘાલ્યો, ગાઢ બંધને બાંધ્યો, અધિક ભાર ઘાલ્યો, નિલંછન કર્મ કીધાં. ચારા-પાણીતણી વેળાએ સાર-સંભાળ ન કીધી. લેહણ-દેણે કિણહિ પ્રત્યે લંઘાવ્યો, તેને ભૂખે આપણે જમ્યા, કન્ડે રહી મરાવ્યો, બંદીખાને ઘલાવ્યો. સળ્યાં ધાન્ય તાવડે નાખ્યાં, દળાવ્યાં, ભરડાવ્યાં, શોધી ન વાપર્યાં. ઈંધણ, છાણાં અણશોધ્યાં બાળ્યાં, તેમાંહિ સાપ, વિંછી, ખજુરા, અરવલા, માંકડ, જુઆ, શિંગોડા, સાહતા મૂઆ, દુહવ્યા, રૂડે સ્થાનકે ન મૂક્યાં. કીડી-મંકોડાના ઈડાં ‘વિછોહ્યાં. લીખ ફોડી. ઉદેહી, કીડી, મંકોડી, ઘીમેલ, કાતરા, ચૂડેલ, પતંગિયાં,દેડકાં, અલસિયાં, ઈયળ, કુતા, ડાંસ, મસા, મગતરા, માખી, તીડ પ્રમુખ જીવ વિણઠા. માળા હલાવતાં-ચલાવતાં પંખી, ચક્લા, કાગતણા, ઈંડાં ફોડ્યાં. અનેરા એકૅઢિયાદિક જીવ વિણાસ્યા, ચાંપ્યા, દુહવ્યા.
૧. આકરો ૨. પ્રહાર ૩. પકડતાં ૪. જુદા કર્યા Jain Education International For Personal & Private Use Only
www.jainelibrary.org