________________
પંચપ્રતિક્રમણ સૂત્ર
પ્રભુ સન્મુખ બોલવાની સ્તુતિઓ
૧. જેના ગુણોના સિંધુના બે, બિંદુ પણ જાણું નહિ, પણ એક શ્રદ્ધા દિલમહીં કે, નાથ સમ કો છે નહિ; જેના સહારે ક્રોડ તરિયા, મુક્તિ મુજ નિશ્ચય સહિ, એવા પ્રભુ અરિહંતને, પંચાંગભાવે હું નમું. ૨. હે ત્રણ ભુવનના નાથ માહરી, કથની જઈ કોને કહું, કાગળ લખ્યો પહોંચે નહિ, ફરિયાદ જઈ કોને કહ્યું; તું મોક્ષની મોઝારમાં, હું દુઃખભર્યા સંસારમાં, જરા સામું તો જુઓ નહીં તો, ક્યાં જઈ કોને કહું. ૩. સુણ્યા હશે પૂજ્યા હશે, નીરખ્યા હશે પણ કો ક્ષણે,
૨૮
હે જગત બન્ધુ ચિત્તમાં, ધાર્યા નહિ ભક્તિપણે; ન્મ્યો પ્રભુ તે કારણે, દુ:ખપાત્ર આ સંસારમાં, હા ભક્તિ તે ફળતી નથી, જે ભાવ શૂન્યાચારમાં. ૪. દાદા તારી મુખમુદ્રાને, અમિય નજર નિહાળી રહ્યો, તારા નયનોમાંથી ઝરતું, દિવ્ય તેજ હું ઝીલી રહ્યો; હું ક્ષણભર આ સંસારની માયા, તારી ભક્તિમાં ભૂલી ગયો,
તુજ મૂર્તિમાં મસ્ત બનીને, આત્મિક આનંદ માણી રહ્યો.
Jain Education International
For Personal & Private Use Only www.jainelibrary.org