SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ सिद्धान्तलेशसमहः વાચસ્પતિમિશ્ર માયાને જીવાશ્રિત કહે છે તેની બાબતમાં નીચે પ્રમાણે શંકા થાય—અક્ષર બ્રાહ્મણમાં (બૃહદ્ ૩.૮) આકાશ શબ્દથી વાગ્યે માયાનું અક્ષર શ દથી વાય નિત્યચૈતન્યમાં આશ્રિત તરીકે પ્રતિપાદન છે, તેથી તેને જીવાશ્રિત કેવી રીતે માની શકાય. વળી એમ માનીએ તો માfયનં તુ મેશ્વરમ્ એ શ્રુતિને વિરોધ થાય. ઉપરાંત જે જીવ માયાને આશ્રય હોય તે જીવ જ જગત્ નું ઉપાદાન હોય, કારણ કે પ્રપંચ માયાને પરિણામ છે. “જીવાશ્રિત માયાથી વિષયકૃત બ્રહ્મ ” એ મતમાં માયાને બ્રહ્મની ઉપાધિ તરીકે સ્વીકાર નથી કર્યો તેથી આ મતમાં બ્રહ્મને નિયન્તા, જગકર્તા વગેરે માની શકાશે નહિ. આ શંકાને ઉત્તર છે કે “ જીવાશ્રિત' પદથી જીવવિશિષ્ટચૈતન્યાત્રિતત્વ વિવક્ષિત નથી પણ અક્ષરબ્રાહ્મણ પ્રમાણે મૈતન્યાશ્રિતત્વ જ વિવક્ષિત છે. જીવ તે માયા પદથી સમજાતી અવિદ્યાની ઐત-યમાં વૃત્તિનું અવછેદક છે -જીવવથી અવછિન્ન તન્યમાં અવિદ્યા હોય છે-) તેથી જીવાશ્રિતમાયા” એમ કહ્યું છે. એવી શંકા કરવી નહિ કે માયાને પણ ચતન્યમાં જીવત્વની વૃતિની અવચ્છેદક કહેવી પડશે (-તન્ય માયાથી અવચ્છિન્ન હોય તે તેમાં જીવત્વ હોય) તેથી અન્યોન્યાશ્રય દેષ આવી પડશે આ શંકા બરાબર નથી. દ્રવ્ય અને ગુણાશ્રયવની જેમ પરસ્પર સ્થિતિના પ્રયોજક તરીકે પરસ્પરની અપેક્ષારૂપ અન્યોન્યાશ્રયત્વ છે તે દોષ નથી. પરસ્પરાશ્રયત્ન (અન્યોન્યાશ્રયત્ન) ઉત્પત્તિ કે જ્ઞપ્તિની બાબતમાં દેષ સંભવે છે પણ તે તે અહીં છે નહિ કારણ કે અવિદ્યા અને જીવવા અનાદિ છે અને નિત્યસાક્ષીથી ભાસ્ય છેજીવત્વને અવિદ્યાની સ્થિતિ પ્રતિ નિયામક કઃપવાની જરૂર નથી એવી શંકા કરવી નહિ કારણ કે એમ માનવાથી બ્રહ્મમાં અવિદ્યાની સ્થિતિનું નિવારણ થાય છે. બ્રહ્મ તે નિર્દોષ છે (-નિરવર્થ નિરજ્ઞા એ શ્રુતિ છેતેથી એ અવિદ્યારૂપ દોષનો આશ્રય હોય એ ઉપપન્ન નથી, આમ માનવાથી “માયિત્રં તુ કદ્દરમ્' એ શ્રુતિને વિરોધ થશે એમ કહેવું પણ બરાબર નથી. “ી ધની ફેવરમાં દેવદત્ત ગૃહ વગેરેનો આશ્રય ન હોવા છતાં ન પ્રત્યય “સ્વસ્વામિભાવ' રૂપ અન્ય સંબંધને બંધક છે; તેમ મહેશ્વર શબ્દથી વાયુ બહ્મ માયાને આશ્રય ન હોવા છતાં વિષયવિયિભાવ રૂ૫ અન્ય સંબંધના બેધક તરીકે માયિનમ્ એ શ્રુતિની ઉ૫પત્તિ છે-માયાવિષયકૃત બ્રહ્મ. પ્રપંચને જીવાશ્રિતમાયાવિષયકૃત બ્રહ્મને વિવર્તમાત્ર માનવામાં આવે તો જીવને જગત્ નું ઉપાદાન માનવું પડશે એમ કહેવું બરાબર નથી. માયા બ્રહ્મની ઉપાધિ ન હોય તે પણ સર્વનિયતૃત્વ, સવકતૃત્વ વગેરેની બ્રહ્મના ધમ” તરીકે ક૯૫ના કરવામાં આવે છે તે છવાબિતાવિદ્યાવિષયકૃત બ્રહ્મના વિવત તરીકે, જીવાશ્રિત અવિદ્યાના પરિણામ તરીકે નહિ કારણ કે તેમને જીવના ધર્મ તરીકે અનુભવ થતો નથી. શાસ્ત્ર પણ બ્રહ્મને વિષ સર્વજ્ઞત્વ, સર્વકતૃત્વ, સર્વનિયતૃત્વ આદિની કલ્પના કરે છે. તેથી સિદ્ધ થાય છે કે જીવાશ્રિત માયાથી વિષવીકૃત બ્રહ્મ પ્રપંચાકારે વિવર્તમાન થતું હોઈ ઉપાદાન છે. આર ભણાધિકરણભાષ્યમાં (૨.૧.૧૪-૨૦) શંકરાચાર્યે કહ્યું છે કે ભૂલ કારણ જ અન્તિમ કાર્ય સુધી તે તે કાર્યાકારે નટની જેમ સર્વ વ્યવહારનું આસ્પદ (ભાજન, પાત્ર) બને છે. નટનું પિતાનું સાચું રૂપ પ્રેક્ષકે જાણતા નથી અને તેને રામ, હરિશ્ચન્દ્ર વગેરે અભિનય અસત્ય રૂપથી જાણે છે તેમ છો બ્રહ્મનું સત્યરૂપ જાણતા નથી પણ તેને આકાશાદિ પ્રપંચાકારે જાણે છે અને તેને માટે આકાશાદ શબ્દોને પ્રયોગ થઈ શકે એમ માને છે, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy