SearchBrowseAboutContactDonate
Page Preview
Page 580
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્થ પરિચ્છેદ ૫૯ (૩) શંકા થાય કે આમ અવિદ્ય નિવૃત્તિ ક્ષણિક હાય તા માક્ષ સ્થિર પુરુષાથ હાઈ ન શકે. આવી શકા કોઈ કરે તે ઉત્તર છે કે તમને ભ્રમ થયા છે. અવિદ્યનિવૃત્તિ પાતે જ પુરુષાથ છે માટે તેને જ્ઞાનસાધ્ય માનવામાં આવે છે એવું નથી, કેમ કે તે (અવિદ્યાનિવૃત્તિ) સુખ અને દુઃખાભાવથી ઇતર (વસ્તુ) છે. પરંતુ અખંડ આનંદનું આવરણ કરનાર અને સંસારદુઃખની હતુભૂત વિદ્યાના ઉચ્છેદ થતાં અખંડ આનંદનુ સ્ફુરણ અને સ’સારદુઃખના ઉચ્છેદ્ર થાય છે માટે તેમાં (અનર્થાત્મક દુઃખની નિવૃત્તિ અને આનદની પ્રાપ્તિમાં) ઉપયેગી હાવાથી તેને (આવદ્યાનિવૃત્તિને) તત્ત્વજ્ઞાનથી સાઘ્ય માનવામાં આવે છે. વિવષ્ણુ : અવિદ્યાનિવૃત્તિ મેાક્ષના સાધનભૂત જ્ઞાનથી સાધ્ય છે એવું ઉપપાદન સિદ્ધાન્તીએ કયું તેથા અવિદ્યાનિત્તિ જ મેાક્ષ તરીકે સિદ્ધાન્તાને માન્ય છે એવા શ્રમ પૂર્વ પક્ષીત થયા; તે ભ્રાન્તિને આધારે થતી શકાની રજૂઆત કરાતે તે ભ્રમને દૂર કર્યો છે. અવિદ્યાનિવૃત્તિ સુખ નથી તેમ દુ:ખભાવ નથી તેથી તે પુરુષાથ' નથી. પણ તે અનર્થાત્મક દુઃખની નિવૃત્તિ અને અખંડ આનંદનું સ્ફુરણ જે બે સ્વતઃ પુરુાભૂત છે તેનું સાધન હાવાથી તેને જ્ઞાનસાધ્ય માની છે. चित्सुखाचार्यास्तु – दुःखाभावोऽपि मुक्तौ न स्वतः पुरुषार्थः । सर्वत्र दुःखाभावस्य स्त्ररूप सुखाभिव्यक्तिप्रतिबन्धकाभावतया सुखशेषत्वात मुखस्यैव स्वतः पुरुषार्थत्वम् । अन्येषां सर्वेषामपि तच्छेषत्वमिति सुखसाधनताज्ञानस्यैव प्रवर्तकत्वे सम्भवति दुःखाभावस्यापि स्वतः पुरुषार्थस्वं परिकल्प्य तत्साधनप्रवर्तक पद्महाय इष्टसाधनताज्ञानस्य इच्छाविषयत्वप्रवेशेन गुरुघटितस्य प्रवर्तकत्वकल्पनायोगात् । જયારે થિન્મુખાચાય કહે છે કે મુક્તિમાં દુઃખાભાવ પશુ સ્વતઃ પુરુષાથ નથી. સર્વાંત્ર દુઃખાભાવ સ્વરૂપભૂત સુખની અભિન્યાક્ત (સ્ફુરણુ)માં પ્રતિબંધકના અભાવરૂપ હાવાથી સુખને શેષ છે માટે સુખ જ સ્વતઃ પુરુષાર્થ છે. બીજા બધાંય તના શેષ (મંગ) છે માટે સુખનું સાધન હોવાનું જ્ઞાન જ પ્રવક સંભવતું હેાય ત્યારે દુઃખાભાવને પણ સ્વત: પુરુષાથ કલ્પીને તેનાં સાધનામાં પ્રવર્તક (—દુઃખાભાવનાં સાધન હોવાનાં જ્ઞાન—)ના સગ્રહને માટે ઈષ્ટસાધનતાજ્ઞાન, જે ઈચ્છાવિષયત્વના પ્રવેશને કારણે ગૌરવથી યુક્ત બન્યુ છે, તેની પ્રવતક તરીકે કલ્પના કરવા બરાબર નથી. વિવરણ : અવિદ્યા નિવૃત્તિની જેમ દુ:ખનિવૃત્તિ પણ સ્વતઃપુરુષાથ નથી, તેથી બ્રહ્માનન્દના સ્ફુરણુના સાધન તરીકે જ અવિદ્યા–નિવૃત્તિને જ્ઞાનસાજ્ય માનવામાં આવે છે. એવે ચિત્સુખાચાય ના મત રજૂ કર્યાં છે. દુ:ખાભાવ મુક્તિમાં સ્વતઃ પુરુષાથ' નથી. 'મુક્તિમાં' એમ કહ્યું છે તેથી એવી શ્રાતિ સભવે છે કે સ સારદશામાં સુખની જેમ દુ;ખાભાવ પણુ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy