SearchBrowseAboutContactDonate
Page Preview
Page 559
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ सिद्धान्तलेशसमहः જ નાશ થવું જોઈએ એ અતિપ્રસંગ પણ નથી, કારણ કે એ ઇટ્ટાપત્તિ છે. કેમ કે તેની ઉત્પત્તિની પછીની ક્ષણમાં જ બ્રહામાં અયસ્ત સકલ પ્રપંચનો દાહ થવાથી તેમાં જેનો સમાવેશ છે તેવા તેને (બ્રહ્મજ્ઞાનને) પણ ત્યારે જ દાહ થાય છે એમ સ્વીકારવામાં આવે છે; અને ઈધનન્ય અગ્નિના દિવસના ન્યાયથી બ્રહ્મજ્ઞાનને દવંસ પણ કાલ, અદષ્ટ, ઈશ્વરેચ્છા આદિ અન્ય કારણથી જન્ય હોય તે પણ વિરોધ નથી. કારણ કે સર્વે પ્રપ ચના નિવૃત્તિ પછી એક બાકી રહેલા બ્રહ્મજ્ઞાનના નિવૃત્તિ થાય છે એમ સ્વીકારવામાં ન આવ્યું હોવાથી એક સાથે સર્વના દાહ થાય છે તેની પૂર્વેક્ષણમાં ચિત્ અને વિધાના સ બંધરૂપ અથવા દ્રગ્યાનરરૂપ કાળ, ઈશ્વરના પ્રસાદરૂપ કે અન્તઃકરણના ગુણ પશેષરૂપ બદષ્ટ, અને બીજા (ઈશ્વર, દિશા વગેરે સાધારણ કારણુ) હેાય છે. વિવરણ : શંકા થાય કે દ દાઘદહના-ન્યાયથી બ્રહ્માજ્ઞાનથી જ બ્રહ્મજ્ઞાનનો નાશ થાય છે એમ ઉ૫પાદન યુક્ત નથી. આપણે જોઈએ છીએ કે ઘટાદિના નાશમાં પ્રતિયોગી ઘટાદિથી અતિરિક્ત મુદગરપાત આદિ અન્ય કારણ હોય છે, તેથી વંસ પ્રતિયોગીથી અતિરિત કારણથી જન્ય છે એવો નિયમ છે. આ શંકાનું સમાધાન એ છે કે આ નિયમ પ્રયોજક નથી. વળી ઈશ્વન પૂરેપૂરાં નાશ પામે પછી અગ્નિ પિતાની મેળે જ (અન્ય કારણ વિના) નાશ પામે છે એમ આપણે જોઈએ છીએ. તેથી નિરધન (ઇન્જન રહિત) અગ્નિના વંસમાં, અને સુષુપ્તિની તરત જ પહેલાંની ક્ષણતા જ્ઞાન આદિને વંસ જે પતિયોગીમાત્રથી જન્ય છે તેમાં આ નિયમને વ્યભિચાર છે. શકા : ઈન્ધનરહિત અગ્નિના નાશમાં અન્ય કારણ નથી એવું નથી; કાળ, અદષ્ટ, ઈશ્વરેચ્છા આદિ અન્ય કારણ છે જ. વળી વ સ પ્રતિગીથી જ જન્ય હોય તે અતિપ્રસંગને દોષ થશે તેથી બ્રહ્મજ્ઞાનના વંસમાં અન્ય કારણ બતાવવું જ જોઈએ. ઉત્તર : અતિપ્રસંગની જ સિદ્ધિ નથી તેથી ધ્વસ પ્રતિયોગીથી અતિરિક્ત કારણથી જન્ય છે એ નિયમ પ્રત્યેજક નથી. અતિપ્રસંગથી શું અભિપ્રેત છે? (૧) બ્રહાનને ધ્વસ પ્રતિવેગીથી અતિરિક્ત કારણથી જન્ય ન હોય તે ઘટાદિનાtવંસને પણ પ્રતિવેગી ધટાદિથી અતિરિક્ત કારણની અપેક્ષા ન લેવી જોઈએ એ અતિપ્રસંગ અભિપ્રેત છે એમ કહેતા હે તે અમારો ઉતર છે કે અમે એમ કહેતા જ નથી કે વંસમાત્રમાં અન્ય કારણની અપેક્ષા નથી. અમે એટલું જ કહીએ છીએ કે એવા કેટલાક સ છે જેમાં પ્રતિયોગીથી અતિરિત કારણની અપેક્ષા નથી. અને અમે વંસમાત્રમાં કારણાન્તરનિરપેક્ષતા ન માનતા હોઈએ છતાં વંસત્વ સમાન હોવાને કારણે ત્યાં એવી આપત્તિ આપવામાં આવતી હોય તે એ અજિક છે. (૨) ધટાદિના વંસના જેમ બ્રહ્મજ્ઞાનના વંસને પણ પ્રતિયેગીથી, અતિરિત કારણની અપેક્ષા હોવી જોઈએ, એ અતિપ્રસંગ અભિપ્રેત હોય તે ઘટવંસના દષ્ટાન્તથી તે એમ પણ કહેવું પડે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy