SearchBrowseAboutContactDonate
Page Preview
Page 547
Loading...
Download File
Download File
Page Text
________________ सिद्धान्तलेशसंग्रहः વિવરણ : શંકા થાય કે ધટાદિ વૃત્તિ ચૈતન્યવિષયક ન હેાય તો પણ અટ્ટમ્ શબ્દના અથ`ભૂત અહમ`) જીવ ચિત્ અને અચિથી સ`વલિત રૂપવાળા છે તેથી જીવ વિષયક વ્રુત્તિ ચૈતન્યવિષયક હાવી જ જોઈએ અને તેનાથી મૂળ અજ્ઞાનની નિવૃત્તિની પ્રસક્તિ થશે, આ શંકાના ઉત્તર છે કે આ વાત બરાખર નથી, સ્વયંપ્રકાશ હાવાને કારણે પેાતાની મેળે પ્રકાશમાન ચિમાં ચિત્ સાથે તાદાત્મ્યથી અભ્યસ્ત જે આ અચિદશ છે તેને જ અહમાકારવૃત્તિ વિષય કરે છે તેથી એ પણુ ચૈતન્યવિષયક નથી. અન્યથા ચિત્ કેવળ ઉપનિ થી ગમ્ય છે (ઔપનિષદ છે) એ શ્રુતને વિરાધ થશે. શંકા થાય કે ‘જે મે સ્વપ્નમાં શ્રીકૃષ્ણના અનુભવ કર્યાં હતા તે હું જાગૃતાવસ્થામાં તેને સ્મરું છુ' ઇત્યાદિ પ્રત્યભિજ્ઞ। ચૈતન્યવિષયક હાવી જ જોઈએ, નહીં તે। ચિદાત્મા સ્થાયી છે અને શરારાદિથી વ્યતિરિક્ત છે એમ સિદ્ધ ન થાય. આ શંકાના ઉત્તર છે કે ઉક્ત પ્રત્યભિત્તા પણ સ્વયંપ્રકાશમાન ચૈતન્યમાં જેમ અહમ્' એમ અન્તઃકરણુતાદાત્મ્યને વિષય કરે છે તેમ તત્તા ('તે' પા) આદિથી વિશિષ્ટતાને વિષય કરે છે; સ્વયંપ્રકાશ ચૈતન્યને વિષય નથી કરતી. આ મતમાં ચિદાત્માનું સ્થાયિત્વ વગેરે શ્રુતિના બળે જ સિદ્ધ થાય છે, પ્રત્યભિજ્ઞાથી નહિ એમ સમજવું. ૫૧૬ केचित्तु घटादिवृत्तीनां तत्तदवच्छिन्न चैतन्यविषयत्वमभ्युपगम्य“सर्वमानप्रसक्तौ च सर्वमानफलाश्रयात् । श्रोतव्येति वचः प्राह वेदान्तावरुरुत्सया ||" इति वार्त्तिकोक्तेः श्रोतव्यवाक्यार्थवेदान्तनियम विध्यनुसारेण वेदान्तजन्यमेव नियमादृष्टसहितं ब्रह्मज्ञानमप्रतिबद्धं ब्रह्मज्ञाननिवर्तकमिति घटादिज्ञानान्न तन्निवृत्तिप्रसङ्ग इत्याहुः || જ્યારે કૈટલાક ઘટાવૃિત્તિને તે તે (જડ)થી અવચ્છિન્ન ચૈતન્યવિષયક અગીકાર કરીને કહે છે કે "બધાં પ્રમાણેા ફળ (ચૈતન્ય) વિષયક હાવાથી બધાં પ્રમાણા(ની બ્રહ્મસાક્ષાત્કાર પ્રતિ કારણુતા) પ્રસક્ત થતાં, વેદાન્તાના નિયમનની ઈચ્છાથી શ્રોતન્ય: એ વચન (‘વેદાન્તાનેા જ વિચાર કરવા') એમ કહે છે”. —એમ વાન્તિકની ઉક્તિ ી સ્રોતન્યઃ—વ કચના અ`ભૂત વેદાન્તનિયમવિધિ અનુસાર વેદાન્તજન્ય જ બ્રહ્મજ્ઞાન જે નિયમાદૃષ્ટ સહિત છે અને અપ્રતિમદ્ધ છે તે બ્રહ્મવિયક અજ્ઞાનનું નિવતક છે તેવી ઘટાદ્વિજ્ઞાનથી તેની નિવૃત્તની પ્રસક્તિ નથી. વિવરણ : બટાદિત્તિ પણ ચૈતન્યવિષયક જ છે તેથી વેદાન્તજન્ય જ્ઞાનની જેમ મૂળ અજ્ઞાનની નિવૃતક પ્રસક્ત થશે એમ શંકા કરાતાં, હેતુ જ અસિદ્ધ છે તેથી ઉક્ત અતિપ્રસંગ નથી એમ સમાધાન ઉપર બતાવ્યું છે. હવે આ ધટાદિત્તિને ચૈતન્યવિષયક માનીને પણુ ઉક્ત અતિપ્રસ ંગ નથી એમ કહે છે. આમ માનતાં ચૈતન્યની ચક્ષુરાદિવિષયતાને શ્રુતિમાં નિષેધ છે તેના બાધ થશે એવી દાલ બરાબર નથી કારણુ કે તે શ્રુતિએ નિરુપાધિક Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy