SearchBrowseAboutContactDonate
Page Preview
Page 526
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીય પરચ્છેદ ૮. વિવરણ: હવે બીજે મત રજૂ કરે છે જે અનુસાર શબ્દને પરોક્ષ જ્ઞાન ઉત્પન્ન કરવાને સ્વભાવ જ અસિદ્ધ છે. તેથી નિત્ય અપરાક્ષ બ્રહ્મને વિષે ઉપનિષવાનું સાક્ષાત્કારકરણ હોવું અબાધિત છે. શંકા થાય કે જ્ઞાનનું અપક્ષ હેવું એટલે ઇન્દ્રિયજન્ય જ્ઞાન હેવું ઇત્યાદિ જ અને આ બ્રહ્મવિષયક શાદ જ્ઞાનમાં નથી તેથી તે અપરોક્ષ ન હોઈ શકે. આ શંકાનું સમાધાન કરતાં કહ્યું છે કે જ્ઞાનનું અપરોક્ષ હેવું એટલે અપરોક્ષ અર્થવિષયક હેવું એ નિર્વચન (સમજૂતી) સિવાય બીજું કઈ પ્રમાણભૂત નિર્વચન નથી. અપક્ષ લેવું. એટલે ઇન્દ્રિયજન્ય જ્ઞાન હોવું ઇત્યાદિ–તેનું ખંડન તે પ્રથમ પરિચ્છેદના અંતભાગમાં કર્યું છે. ફરી શંકા થાય કે જ્ઞાનનું અપરોક્ષ છેવું એટલે અપક્ષ અર્થ વિષયક લેવું અને અર્થનું અપરોક્ષ હોવું એટલે અપરાક્ષતાનો વિષય હોવું–આમ અન્યાશ્રય દેષ થશે, કારણ કે અર્થના અપરાક્ષત્વનું જ્ઞાન થતાં જ્ઞાનના અપરોક્ષત્વનું જ્ઞાન થશે અને જ્ઞાનના અપરોક્ષત્વનું જ્ઞાન થતાં અથના અપરાક્ષત્વનું જ્ઞાન થશે. આ શંકાને ઉત્તર એ છે કે અર્થનું અપરાક્ષ હેવું એટલે અપક્ષ જ્ઞાનને વિષય હોવુ એમ નથી, પણ તે તે પ્રમાતૃચૈતન્ય સાથે અભિનવ એ તે તે વિષયનું તે તે પ્રમાતાની પ્રતિ અપરોક્ષત્વ છે. અર્થાત તે તે પ્રમા–ચેતન્યથી અભિન્ન એવા અર્થ વિશે જ્ઞાન તે તે પ્રમાતાનું તે પ્રમાતૃ–ચૂત યુથી અભિન્ન વિષયમા અપરોક્ષજ્ઞાન છે. " શંકા થાય કે આમ હોય તે અર્થાપરોક્ષતા આદિમાં અનુગમ નહીં રહે. પણ આ શંકા બરાબર નથી, કારણ કે જ્ઞાનમાં અનુગત અપરોક્ષત્વની જાતિરૂપતા તેમજ ઉપાધિરૂપતાનું અગાઉ ખ ડન કર્યું છે તેથી તેને અનુગમ ન હોય તે પણ દોષ નથી. પ્રવન થાય કે અથ ની અપરિક્ષત એટલે પ્રમાત-ચૈતન્યથી તેનું અભિન્નત્વ એ લક્ષણ જડરૂ૫ અપરોક્ષ પદાર્થમાં નથી તેથી અધ્યાપ્તિને દેષ છે, કારણ કે ચૈતન્ય અને જડના ઐકયને બાધ થયેલા છે. આનો ઉત્તર આપતાં કહ્યું છે કે અન્તઃકરણ અને તેના ધર્મો સાક્ષી કહેવામાં આવતા પ્રમાત. ચૈતન્યમાં કરિપત હોવાથી તેમને તેનાથી અભેદ છે. આમ અર્થની અપરોક્ષતાના નિવચનમાં કર્ષિત કે અકલ્પિત સાધારણ અભેદ વિવક્ષિત છે, તેથી પ્રભાત-ચૈતન્ય અને બ્રહ્મ ચૈતન્યમાં અકલ્પિત અભેદ છે તે પ્રભાત ચૈતન્ય અને જડમાં અકલિપત અભેદ ન હોવા છતાં પણ “ના સત' એ સામાનાધિકાયના અનુભવથી સિદ્ધ થતા કપિત અભેદ છે, તેથી અવ્યાખને દેષ નથી એવો ભાવ છે. : આન્સર જડ પદાર્થોમાં પ્રભાત-ચૈતન્યથી અભિનત્વ યુક્તિપૂર્વક બતાવીને હવે બાથ અપક્ષ પદાર્થોમાં એ જ સમજાવે છે. બાહ્ય ચૈતન્યમાં કલ્પિત ધટાદિને બાહ્ય ચૈતન્યમાં વૃત્તિથી કરવામાં આવતી તે તે પુરુ ચૈતન્યની સાથે અમેદની અભિવ્યક્તિને કારણે તેના સાથે અભેદ છે તેથી અર્થાપક્ષ-વની વ્યાખ્યા અહીં પણ લાગુ પડે છે. શંકા થાય કે બાહ્ય ચૈતન્ય અને તે તે પુરુષના ચૈતન્યને વસ્તુતઃ સદા અભેદ હેવા છતાં તેની અભિવ્યક્તિ કેવી રીતે થાય છે. આને ઉત્તર આપતાં કહ્યું છે કે વૃત્તિને કારણે આ અભિવ્યક્તિ થાય છે. બાહ્ય વિષયાવરિછન ચૈતન્યમાં ચક્ષુ આદિ દ્વારા બહાર ગયેલી વૃત્તિ અને જેની એ વૃત્તિ છે. તે અન્ત કરણને અભેદ હોવાથી અન્તઃકરણને પણ બાવા વિષયાવચ્છિન્ન ચૈતન્ય સાથે સંસર્ગ પ્રાપ્ત થાય છે. આમ વૃત્તિની સાથે સંસવાળું બાણ ચેતન્ય જ અન્ત:કરણ સાથેના સંબંધને કારણે તે તે પુરુષનું ચૈતન્ય બને છે તેથી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy