SearchBrowseAboutContactDonate
Page Preview
Page 512
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીય પરિચ્છેદ ઉપાધિથી વિશિષ્ટ ચૈતન્યના વાચક “આનંદ' આદિ પદો અને સ્થૂલવાદિના અભાવથી વિશિષ્ટ ચૈતન્યના વાચક અસ્થૂલત્વી આદિ શબ્દ બધા વાચ્યાર્થોમાં અનુગત અખંડ એકરસ જે બ્રહ્મ છે તેને બોધ લક્ષણથી કરાવે છે, કારણ કે તે હું છું એમ ઉપાસના સંભવે છે. ધ્યાનદીપમાં કહ્યું છે: . आनन्दादिभिराथूलादिभिश्चात्माऽत्र लक्षितः। ચોડણશૈયાસરોડમીચેવમુરતે છે (ધ્યાનદીપ, ૭૩). (અહીં વેદાન્તમાં “આનંદ' આદિથી અને અસ્કૂલ” આદિથી લક્ષિત જે અખંડ એકરસ આત્મા તે હું છું એમ ઉપાસના કરે છે.) આમ નિર્ગુણ બ્રહ્મ ઉપાસ્ય છે એમ શ્રુતિ અને સૂત્રથી સિદ્ધ થાય છે. તેમ છતાં નિગુણિપાસનાની બાબતમાં બીજી કૃતિઓને વિરોધ છે એવી શંકા થાય કારણ કે બુદ્ધિ આદિને સાક્ષી તે જ બ્રહ્મ છે, આ લેકે જેની ઉપાસના કરે છે તે બ્રહ્મ નથી. કેન ૧.૫); એમ બ્રહ્મના ઉપાસ્યત્વને નિષેધ છે. પણ આ રીતે વિચારતાં તે બ્રહ્મના વેવત્વને પણ નિષેધ છે, અર્થાત જે જ્ઞાત છે તે બ્રહ્મ નથી (કેન, ૧૪). આમ પરબ્રહ્મજ્ઞાનની પણ સિદ્ધિ ન માની શકાય. આવી નિષેધશ્રુતિઓનું તાત્પર્ય એ છે કે વેદ્યત્વ કે ઉપાસ્યત્વ બ્રહ્મમાં પરમાર્થતઃ નથી. હવે નિપાસનાને અધિકારી કોણ તે દર્શાવે છે. કેટલાક મુમુક્ષુઓની બાબતમાં અત્યંત બુહિમા ને કારણે અથવા પોતે કુશળ મતિવાળા હેય પણ વિશિષ્ટ ગુરુ ન મળવા કારણે અર્થાત સામગ્રીના અભાવમાં શ્રવણુ આદિની સંભાવના નથી; તેમને પરમાત્મા શ્રવણ માટે ય પ્રાપ્ત થતું નથી તો મૃતના સાક્ષાતકારની વાત દૂર જ રહે છે. વિશિષ્ટ ગુરુ એટલે નિર્ભેળ આર્ય મર્યાદા, કરુણા આદિ લક્ષણવાળા ગુર. આ જિજ્ઞાસુઓને નિત્યકર્મ તરીકે કરેલા વિદાધ્યયનથી ઉપનિષદો ગૃહીત થઈ ગયાં છે અને તેથી ઉપરછલી રીતે બ્રહ્માત્મભાવ વિષે તેઓ જાણે છે. તેમને તેના વિચાર વિના જ નિણોપાસનાને પ્રકાર મુરુઓ પાસેથી ચોક્કસ જાણીને તેના સતત અનુષ્ઠાનથી સાક્ષાત્કાર સભવે છે. નિર્ગુણ બહાવિચાર વિના જ નિણબ્રહ્મા પાસનાના અનુષ્ઠાનથી સાક્ષાત્કાર સંભવે છે. (જુએ ધ્યાનથી૫, ૫૪-અચત્તશુદ્ધિમાન્યાદા રાખ્યા વાડથસન્મવાત છે - યો વિવારં ઢમતે શ્રધ્ધપાત રોડરિપૂ. II), - શંકા થાય કે પ્રશ્ન નિષદ્ આદિમાં ઉપાસન ની જ વાત કરી છે પણ તેના અનુષ્ઠાનને પ્રકાર તે બતાવ્યો નથી. આ શંકાનું નિરાકરણ કરતાં કહ્યું છે કે જુદા જુદા આષ મંથે વગેરેમાં અનેક શાખાઓમાં અનેક બાબતો વિખરાયેલા રૂપમાં પડી છે તેમનાં ઉપસ હાર કરીને અનુષ્ઠાનનો પ્રકાર જાણું શકાય છે, જેમ અગ્નિહોત્રની બાબતમાં નિર્ણય કરવામાં આવે છે તેમ. . [વ્યાખ્યાકાર કુનદ વિવેચન કરતાં શંકા રજૂ કરે છે કે પંચીકરણ ગ્રંથમાં ઉપનિષદથી લક્ષિત અખ એકરસમાં પ્રણવ ત્રિાત્મક સમગ્ર પ્રચના પ્રવિલાપનની વાત કરીને “હું બ્રહ્મ છું' એમ અભેદથી અવસ્થાન એ જ - સમાધિ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy