SearchBrowseAboutContactDonate
Page Preview
Page 490
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીય પરિદ ૪૫ટે સાક્ષીએ આત્માને “હું બ્રહ્મ છું' એમ જોવો - એમ કૃતિને ઉપદેશ . શંકા થાય કે “શાન્ત', દાન્ત' એ બે પદોથી જ કામમાત્રનું નિવારણ કર્યું છે તે વાતના ઉલ્લેખની જરૂર નથી. આ શંકાનું સમાધાન એ છે કે શમ, દમનું વિધાન કરનાર શાસ્ત્ર સામાન્ય શાસ્ત્ર છે, તેને નિત્યકમ વિધાયક વિશેષ શાસ્ત્રથી બાધ થઈ શકે. તેથી શમ દમ વિધાયક શાસ્ત્રને અર્થ નિત્ય નૈમિત્તિક કર્મોથી અતિરિક્ત બાહ્ય ઈન્દ્રિય અને અતઃકરણના વ્યાપારની નિવૃત્તિ માત્ર પરક તરીકે સંકોચ પામે. અને આમ નિત્ય કર્મોને ત્યાગ પ્રાપ્ત ન થત હોવાથી ફરથી ૩વરતઃ એ શ્રુતિવચનથી નિત્યકર્મના ત્યાગને બંધ કરાવ્યા છે તેથી એ વચન વ્યર્થ નથી. આમ સંન્યાસને સમાવેશ સાધનચતુષ્ટયમાં છે. સાધનચતુષ્ટય એટલે નિત્યાનિત્યવસ્તુવિવેક, ઐહિક અને આમુમ્બિક (પારલૌકિક) બેગ પ્રત્યે વૈરાગ્ય, શામ-દમ આદિ છે, અને મુમુક્ષા મેક્ષની ઇચ્છા). અને એ શ્રવણદિના અધિકારીનું વિશેષણ છે એમ બ્રહ્મસૂત્રના પ્રથમ સૂત્રમાં સ્થાપિત કર્યું છે. સાવા તરવધિઃ એ સૂત્ર ભાગને અર્થ છે કે વિદ્યા પ્રતિ અન્ય સહકારી, અન્ય સાધન –મૌનનું વિધાન છે. સા ગુનઃ તzત-વિદ્યાવાળા અર્થાત, શ્રવણદિના અનુષાનને ઉપયોગી આપાત ઉપરછલા, સામાન્ય જ્ઞાનવાળા સંન્યા ને માટે બાય અને પાંડિયની અપેક્ષાએ ત્રીજુ એવું જે બ્રહ્મજ્ઞાનનું સાધન–મૌન તેનું વિધાન છે. શંકા થાય કે તતઃ કાર્યરવિષિઃ એ સત્રમાં સંન્યાસીનો ઉલ્લેખ નથી તે પછી સંન્યાસીની વાત છે એમ કેવી રીતે કહી શકાય તેને ઉત્તર તહ્માત્ ત્રાઢાળઃ પાયમ એ શ્રુતિમાંથી મળે છે. તમાત્ એટલે ભૂતકાળના બ્રાહ્મણે બાપાત:, ઉપરછલી રીતે જીવ બ્રહ્મરૂપ છે એમ જાણુને તે બ્રહ્માત્મતાના સાક્ષાત્કારને માટે યુથાન અર્થાત સંન્યાસનું ગ્રહણ કરતા તેથી અત્યારના મુમુક્ષુ બ્રાહ્મણે પણ સંન્યાસનું રહણ કરીને પરમાર્થના સાક્ષાત્કારને માટે પાંડિત્ય આદિનું અનુષ્ઠાન કરવું જોઈએ. પાંડિત્ય એટલે શ્રવણ મૌન એટેલે ધ્યાન સંન્યાસજનિત અપૂર્વ અધિકારીનું વિશેષણ છે એ માટે વાર્તિકકાર સુરેશ્વરની સંમતિરૂપ બીજે હેતુ રચાશે.. આ છે (જુઓ તાત્પયાતિવાદ, 9. ૧૦–માનવાશ્રમપ્રણાઝિ). તેમાં એarશેષક્રિયા એ વિશેષણ સંન્યાસપરક છે. શબ્દ સંન્યાસ, મુમુક્ષા અને જિજ્ઞાસાના સમુચ્ચયના અર્થમાં છે તેથી મુમુક્ષવ આદિની જેમ સંન્યાસ પણ વેદાન્તશ્રવણુ આદિમાં અધિકારીનું વિશેષણ છે એમ જ્ઞાત થાય છે. સંન્યાસ ત્યાગ પ્રકારની ક્રિયારૂપ હાઈ પોતે સ્વરૂપથી ટકી શકે નહીં તેથી સંન્યાસજનિત અપૂર્વ શ્રવણ આદિના અધિકારીનું વિશેષણ છે એમ સમજવું. . अपरे तु 'श्रवणाधङ्गतयाऽऽत्मज्ञानफलता सन्न्यासस्य सिद्धा' इति विवरणोक्तेरनन्यव्यापारतया श्रवणादिनिष्पादनं कुर्वतस्तस्य विद्यायामुपयोगः। दृष्टद्वारे सम्भवति अदृष्टकल्पनाऽयोगात् । यदि त्वनलसस्य धीमतः पुरुषधौरेयस्याश्रमान्तरस्थस्यापि कर्मच्छिद्रेषु श्रवणादि संपवते, तदा 'चतुर्वाश्रमेषु संन्यासाश्रमपरिग्रहेणैव श्रवणादि निर्वर्तनीयम्' इति नियमोऽभ्युपेय इति ॥५॥ * પ્રકાશાત્મયતિ વિરચિત વાસ્તવિક્રાવાળ, ૧. ૧૨ (કાશી, ૧૮૯૨). Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy