SearchBrowseAboutContactDonate
Page Preview
Page 448
Loading...
Download File
Download File
Page Text
________________ . A . . . . . . દ્વિતીય પરિચ્છેદ પૂર્વના ભવના આત્મા સાથેના પણ અભેદનું પ્રત્યક્ષ જ્ઞાન હોવાથી તેના વૃત્તાતનું અનુસંધાન થાય છે, બીજા બને તે ન હોવાથી થતું નથી; આમ બધું સંગત બને છે. આવી દલીલ કેઈ કરે તે ઉત્તર છે કે ઐકામ્યવાદમાં પણ સર્વાત્મતાનું આવરણ કરનાર અજ્ઞાન થી આવરણ હોવાને કારણે ચૈત્રને મૈત્ર-આત્મા આદિથી અભેદનું પ્રત્યક્ષ નથી માટે તેથી જ સવ વ્યવસ્થાની ઉપપત્તિ હોવાથી શ્રુતિથી વિરુદ્ધ અને આત્માના ભેદનો સ્વીકાર વ્યર્થ છે. - વિવરણ: બીજો પક્ષ કે અભેદની સાથે જેનો સહચાર ન હોય તે શુદ્ધ ભેદ તેનું પણ ખંડન થઈ જાય છે કારણ કે ચેતનવાદિધ કરૂણથી પ્રયુક્ત અભેદ તે જીવ અને બ્રહ્મ વચ્ચે અને છ વચ્ચે પણ છે તેથી ભોગ-સાંકને દોષ રહેવાને જ. * * વિરોધી દલીલ કરે છે કે જીવ-બ્રહ્મને કે જીગોને અભેદ હોય તે પણ એ અભેદનું પ્રત્યક્ષ જ્ઞાન હોય તે જ અનુસંધાન થાય, અન્યથા નહિ. જીવને પિતાથી અભેદ કે પિતાના અંશથી અભેનું પ્રત્યક્ષ જ્ઞાન છે તેથી તેને દુખાદિનું અનુસંધાન થાય છે. બે ભવમાં આત્મા એ જ હોવા છતાં અભેદનું પ્રત્યક્ષ જ્ઞાન ન હોવાથી પૂર્વના ભવના સુખાદિનું અનુસ ધાન થતું નથી, જ્યારે વામદેવ વગેરે મને પૂર્વજન્મનું સ્મરણ હતું, તેમને પૂર્વ ભવના આત્માથી અભેદને પ્રત્યક્ષજ્ઞાન હોવાથી આગળના ભવના વૃત્તાનાનું સ્મરણ હત' આમ બધું બરાબર સમજાવી શકાય છે. વેદાન્તીને આની સામે ઉત્તર છે કે આ દલીલથી - જ બધું સમજાવી શકાય છે તે શ્રુતિથી વિરુદ્ધ જઈને અનેક આત્માઓ માનવાની કોઈ જરૂર નથી. સર્વાત્મતાનું આવરણ કરનાર અજ્ઞાન છે તેનાથી પરમ થનું આવરણ થાય છે તેથી ચૈત્રને મિત્રના આત્મા સાથેના અભેદનું પ્રત્યક્ષ ન હોવાથી અનુસંધાન થતું નથી એમ કહી શકાય માટે જુદા જુદા આત્મા માનવાની જરૂર નથી. ___न चेत्थमपि प्रपञ्चतत्ववादिनस्तव व्यवस्थानिर्वाहः, सर्वज्ञस्येश्वरस्य वस्तुसज्जीवान्तराभेदप्रत्यक्षावश्यम्भावेन जीवेषु दुःखवत्सु ' अहं दुःखी' इत्यनुभवापतेः । अस्मन्मते त्वीश्वरः स्वाभिन्ने जीवे संसारं प्रतिबिम्बमुखे मालिन्यमिव पश्यन्नपि मिथ्यात्वनिश्चयान्न शोचतीति नैष प्रसङ्गः । અને આમ માનવાથી પણ પ્રપંચને તાવિક માનનાર તમારે માટે (સુખાદિ) વ્યવસ્થાને નિર્વાહ શક્ય નથી, કારણ કે સર્વજ્ઞ ઈશ્વરને પરમાર્થ એ જે બીજા જવે સ થેને ભેદ તે અવશ્ય પ્રત્યક્ષ હોવાથી જ દુઃખવાળા હોય છે રે હું દુખી છું' એવો અનુભવ તેને થવું જોઈએ. જ્યારે અમારા મતમાં ઈશ્વર પિતાનાથી અભિન્ન જીવમાં સંસારને, પ્રતિબિબભૂત મુખમાં મલિનતાની જેમ, જે હેવા છતાં તેના મિયાત્વનો નિશ્ચય હોવાથી તેને શક નથી કરતું માટે આ પ્રસંગ નથી. વિવરણઃ પરમતમાં અભેદ-પ્રત્યક્ષ અનુસંધાન પપેજક છે એમ માનવાથી મુશ્કેલી દૂર થતી નથી. ઈશ્વર સવજી છે અને પરમતમાં જીવ અનેક છે અને આ બીજ છે સિ-૫૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy