SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ પરિચ્છેદ જેવામાં આવતું નથી. માત્ર ભેદનું પ્રત્યક્ષજ્ઞાન જ પ્રતિયોગિવિષયક પણુ મનાય છે. ઘટાદિને એકલા ભ્રમના વિષયરૂપ કહ્યા છે. અધિષ્ઠાન પણ અમને વિષય હોઈને તેને કલ્પિત માનવું પડે એ પ્રસંગને રોકવા માટે અમૈવિષયવાર્ માં “U” પદ પ્રયોજ્યું છે, અને અધિષ્ઠાન સમ્યજ્ઞાન પ્રતિ પણ વિષય હોવાથી તેની બાબતમાં ભ્રાત્યેકવિષયત્વ સિદ્ધ થતું નથી. આમ પ્રત્યક્ષ સદ્ભવસ્તુની બાબતમાં પ્રમાણ હેઈને શ્રુતિને અનુકૂળ છે. न्यायसुधाकृतस्त्वाहुः-घटादेरैन्द्रियकत्वेऽपि 'सन् घटः' इत्यादिरधिष्ठानसत्तानुवेध इति न विरोधः। एवं 'नीलो घटः' इत्यादिरधिष्ठाननैल्यानुवेधः किं न स्याद् इति चेत्, न । श्रुत्या सद्पस्य वस्तुनो जगदुपादानत्वमुक्तमविरोधात् सर्वसम्मतमिति तदनुवेधेनैव — सन् घटः' इत्यादिप्रतिभासोपपत्तौ घटादावपि सनाकल्पने गौरवम् । तस्य रूपादिहीनत्वाद् नेल्यादिकं घटादावेव कल्पनीयमिति वैषम्यादिति । - જ્યારે ન્યાયસુધાકાર કહે છે કે ઘટાદ ઈન્દ્રિયના વિષય હોય તે પણ દ” (ઘટ છે) વગેરે (જ્ઞાન) અધિષ્ઠાનની સત્તાના પ્રતિભાસરૂપ છે તેથી કઈ વિરોધ નથી. શંકા થાય છે એ જ રીતે “નીલ ઘટ', ઈત્યાદિ (જ્ઞાન). અધિષ્ઠાનની નીલતાના પ્રતિભાસરૂપ કેમ ન હોય, તે ઉત્તર છે કે “ના. શ્રુતિએ સદ્દરૂપ વસ્તુમાં (બ્રહ્મમાં) જગતની ઉપાદાન કારણતા કહી છે (સદ્દરૂપ બ્રહ્મને જગતનું ઉપાદાન કારણ કહ્યું છે) તે વિરોધ ન હોવાથી સવને સમ્મત છે (–સમ્મત કે સ્વીકાર્ય હોવું જોઈએ, તેથી તેના (અધિષ્ઠાન-સત્તાના) પ્રતિભાસથી જ “સન ઘટઃ' ઇત્યાદિ પ્રતિભાસની ઉપપત્તિ થતી હોય ત્યારે ઘટાદિમાં પણ સત્તાની કલ્પના કરવામાં ગૌરવ (દોષ) છે. તે (જગતનું અધિષ્ઠાનરૂપ, બ્રહ્મ) રૂપાદિહીન હોવાથી નીલતા આદિની ઘટાદિમાં જ કલ્પના કરી શકાય એ વૈષમ્ય છે માટે (દલીલ બરાબર નથી). વિવરણ: ન્યાયસુધાના કર્તાની દલીલ છે કે આપણે અનુભવ છે કે ઘટાદિ ચક્ષુના વિષય છે. તે પ્રમાણે ઘટાદિને ચક્ષુ આદિથી જ્ઞાત થતા માની છે તે પણ પ્રપંચના મિથ્યાત્વને સિદ્ધ કરનાર શ્રુતિ અને તેને અનુકૂલ યુક્તિઓને તેમાં કોઈ વિરોધ નથી કારણ કે પ્રત્યક્ષ પણ ઘટાદિમાં જુદા (અધિષ્ઠાનગત સવથી જુદા) સત્ત્વનું પ્રહણ નથી કરતું. “વન ઘટ:' ઈ. યાદિ ઘટાદિની સત્તાને પ્રતિભાસ છે તે અધિષ્ઠાનની સત્તાને સંબંધ વિષયક જ છે તેથી વિરોધ નથી એમ કહેવાનો અર્થ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy