SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ પઢિ ૪૧ अन्ये तु - यथा इदमंशावच्छिन्न चैतन्यस्थाsविद्या रजताकारेण विवर्तते, एवमिदमंशविषयवृत्तिज्ञानावच्छिन्नचैतन्यस्थाऽविद्या रजतज्ञानाभासाकारेण विवर्तते, न त्विदमंशवृत्तिवदनध्यस्तं रजतज्ञानमस्ति । तथा च रजतस्य अधिष्ठानगते दंत्वसंसर्गभानवत्तज्ज्ञानस्याप्यधिष्ठानगतेदत्वविषयत्वसंसर्गभानोपपत्तेः न तस्यापीदं विषयत्वमभ्युपगन्तव्यम् । જ્યારે અન્ય (ચિતકા) કહે છે કે જેમ ઇદમ્’ ( 'આ') અંશથી અવછિન્ન ચૈતન્યમાં રહેલી અવિદ્યા રજતાકારે વિત" પામે છે (પરિણમે છે), તેમ‘ઇમ્’ 'શવિષયક વૃત્તિજ્ઞાનથી અવચ્છિન્ન ચૈતન્યમાં રહેલી અવિદ્યા રજતજ્ઞાનાશાસાકારે વિવત પામે છે (પરિણમે છે, પશુ ‘ઈશ્વમ્' અંશની વૃત્તિની જેમ રજતજ્ઞાન અનુષ્યસ્ત નથી (– પ્રાતિભાસિક છે, વ્યાવહારિક નથી ). અને આમ જેમ રજતમાં અધિષ્ઠાનમાંના છંદ(આપણુ)ના સંસગ'નું ભાન થાય છે, તેમ તેના (રજતના) જ્ઞાનમાં પણ અધિષ્ઠાનમાં રહેલા છંદ વિષયત્વ (ઇદ‘વિષયક હેવાપણુ)ના સંસગનું ભાન ઉપપન્ન છે (સ*ભવે છે) તેથી તેને પણ ઇદમ્’વિષયક માનવુ' ન જોઈ એ. વિષ્ણુ : ‘આ રજત' એ બીજી વૃત્તિ માત્ર અય્યસ્ત (રજત )ને જ વિષય કરે છે એ મત રજૂ થાય છે. બીજી વૃત્તિ અવિદ્યાવૃત્તિ છે એમ બતાવ્યું છે. જેમ ‘ઇમ' અ’ગ્રંથી અવચ્છિન્ન ચૈતન્યમાં રહેલી અવિદ્યા રજતાકારે પરિણમે છે ( – ચૈતન્યના વિવત, પશુ અવિદ્યાના તા પરિણામ માનવા જોઈએ –), તેમ ‘છંદમ’ અંશવિષયક વૃત્તિજ્ઞાનથી અવચ્છિન્ન ચૈતન્યમાં રહેલી અવિદ્યા માત્ર અધ્વસ્ત રજતને વિષય કરનારી વૃત્તિરૂપે પરિણમે છે. અને એ વૃત્તિ જ્ઞાનાભાસ છે કારણ કે જ્ઞાનનાં જે કારણા માન્યાં છે તેનાથી ઉત્પન્ન થતી નથી. જ્ઞાનાલાસરૂપ રજતજ્ઞાન રજતની જેમ પ્રાતિભાસિક જ છે; એ ‘ઇદમ' આકારવાળી વૃત્તિની જેમ વ્યાવહારિક નથી, કારણ કે શક્તિરજતની જેમ રજતજ્ઞાનાભાસ પણ શુક્તિ વિષેનું અજ્ઞાન દૂર કરનાર પ્રત્યક્ષથી બાધિત થઈ શકે છે. આ નાનાભાસ ‘ઇમ્' અશને વિષય કરનારા ન હાય તા પણ આ રજત ' એવા તેના આકાર સંભવે છે, જેમ રજતમાં તેના અધિષ્ઠાન(છંદમથથી અવચ્છિન્ન ચૈતન્ય)માં રહેલા ઇદંત્વના સ ંસગંનું ભાન થાય છે; તેમ જ્ઞાનાભાસ પ્રતિ ‘છંદમ’ વિષયક વૃત્તિથી અવચ્છિન્ન ચૈતન્ય અધિષ્ઠાન છે તેથી જ્ઞાનાભાસને વિષે જે ‘ઇમ્' અંશનું જ્ઞાન અવિષ્ઠાનભૂત છે તેમાં રહેલા વિષયકત્વના સંસગ”નુ રજતવિષયક જ્ઞાનાભાસમાં ભાન થાય છે. માટે ‘ૐ રગતમ્' એ બીજા જ્ઞાનને મને વિષય કરનારુ” માનવાની જરૂર નથી. : સિ–૩૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy