SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪ सिद्धान्तलेशसङ्ग्रहः દ્રવ્યત્વના અયાસનેા સભવ છે તેથી બીજો નિયમ વ્યવહાર દૃષ્ટિથી જે દ્રવ્યત્વનુ અધિકરણ છે તેને વિષે હોવાથી, અને પ્રાતિભાસિક રજતમાં અધિષ્ઠાનમાંના જ ઇંદ ની જેમ દ્રવ્યત્વના અધ્યાસ થાય છે તેથી પ્રતીતિને સ્વીકાર કર્યો છે માટે ખીજા નિયમને વિરોધ નથી. દ્વિતીય નિયમરૂપ સામાન્ય કાર્યાં કારણુભાવ (—દ્રવ્યપ્રત્યક્ષમાં ઇન્દ્રિયમ ચેાગ કારણ છે એ—)થી અતિરિક્ત વિશેષે કરીને કાય કારણુભાવની કહના (—રજતપ્રત્યક્ષમાં રજતસ'ચાગ કારણ છે એ વિશેષ કલ્પના) ગૌરવ (દોષ) થી દૂષિત તેથી ત્રીજા નિયમની સિદ્ધિ નથી. ‘જે સામાન્ય (કા')માં જે સામાન્ય હેતુ હાય, તેના વિશેષમાં તેને વિશેષ હતુ હાય છે’ એ ન્યાય પણ જ્યાં બીજા કુર આદિમાં (કેવળ) સામાન્ય કાર્ય કારભાવ માનતાં ખીજાન્તરમાંથી અંકુરાન્તરની ઉત્પત્તિના પ્રસ`ગ થતા હેાય તેવી વસ્તુ વિષે છે. તેથી બકરીના ગળાપરના સ્તનના જેવા વિશેષ કાર્ય કારણભાવની સિદ્ધિ નથી ( માટે ઉપયુક્ત દલીલ ખરાખર નથી). વિવરણ : (શ‘કા) ‘રજતને હું જોઉં છુ’ એમ જે રજતના ચાક્ષુષત્વ(ચક્ષુથી ગ્રાહત્વ)ના અનુભવ છે તેનેા ખાધ થઈ શકે નહિ એમ જે કહ્યું એ બરાબર નથી કારણ કે બાધક પ્રમાણ હોય તો બાધ થવા જ જોઈએ એમ માર્તીને શંકા ઉઠાવી છે. જેની સાથે ચક્ષુને સંનિક નથી તેને ચક્ષુરિન્દ્રિયગ્રાહ્ય માનતાં કાર્ય*કારણુભાવના અનેક કિસ્સા જોઈ ને બાંધેલા ત્રણ નિયમના ભંગ થાય, આ શંકાના ઉત્તરમાં કવિતાવિક્રમતાનુયાયી કહે છે કે પહેલા નિયમ છે કે પ્રત્યક્ષમાત્રમાં વિષય અને ઇન્દ્રિયના સનિક" કારણભૂત છે. પણ દ્રવ્ય સાથે ઇન્દ્રિયને સયેાગ થાય છે, દ્રષ્યમાં રહેલ રૂપ ગુણુ સાથે ઇન્દ્રિયના સંયુક્તસમવાય સબંધ છે, એ ગુણમાંના ગુણુવ સાથે સંયુક્તસમદ્રેતસમવાય છે ઇત્યાદિ. આ સયાગાદિમાં કોઈ સનિક ત્વ નામની જાતિ જે સ'માં અનુગત હાય એવી તેા છે નહિ તેથી પહેલા નિયમ સિદ્ધ થતા નથી, (નિયમ ચાક્કસાઈપૂર્વક આમ રજૂ કરવા જોઈતા હતા ઃ શાબ્દથી ભિન્ન જન્ય પ્રત્યક્ષ માત્રમાં ઇન્દ્રિયના સનિક કારણ છે. કેટલાક શક્જન્ય જ્ઞાનને અપરાક્ષ માને છે તેની વાત અહી થતી નથી એ બતાવવા ‘શાબ્દી ભિન્ન' એ વિશેષણુ મૂકવુ જોઇએ. નિત્ય સાક્ષીરૂપ પ્રત્યક્ષને પણ આ લાગુ પડતા નથી તેથી વ્યભિચારના દોષ ટાળવા માટે ‘જન્મ પ્રત્યક્ષ' એમ કહેવું જોઈએ.) (કૃષ્ણાન દ/ કવિતા*કની ક્લીલની સમીક્ષા કરતાં કહે છે કે સંયાગાદિમાં સંયાગાદ્યન્યતમત્વ—સયાગ આદિમાંથી એક હોવાપણું —અનુગત છે અથવા ન્યાયમતમાં અભાવવ આદિ અખડાપાધિ માની છે તેમ સનિકત્વની બાબતમાં પણ સભવે છે તેથી પહેલા નિયમના વિરોધ થાય છે જ. એ નિયમની સિદ્ધિ નથી એમ કહેવું બરાબર નથી). જન્ય એવા દ્રવ્યપ્રત્યક્ષમાં ઇન્દ્રિયને સંયોગ કારણ છે એ નિયમને લઈને તેના અવિરોધ કવિતાકિ કમતાનુયાયીએ ખતાવ્યા છે. દ્વિતીય નિયમને વ્યવહાર દૃષ્ટિએ સમજવા જોઈએ, જે દ્રવ્યત્વનું અધિકરણ છે તેને વિષે આ નિયમ છે. અંધકારને નૈયાચિકા દ્રવ્ય માનતા નથી તેમ છતાં 'ગુણુને આશ્રય તે દ્રવ્ય' એમ માનનારને અ ંધકારમાં એ રૂપવાળા છે એવા ભ્રમ થવાથી તેના દ્રવ્યત્વને ભ્રમ થાય છે. ( વેઢાંતી અંધકારને ભાવરૂપ દ્રવ્ય માને છે જ્યારે નયાયિકા તેને પ્રકાશના અભાવરૂપ માને છે). તેની જેમ જ એક એકત્વ' વગેરે રીતે ત્યાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy