SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ सिद्धान्तलेशसमहः ____ न च पीतिमा स्वरूपतो नाध्यस्यते, किं तु नयनगतपित्तपीतिम्नोऽनुभूयमानस्य शङ्खसंसर्गमात्रमध्यस्यत इति पीतिमानुभवार्थमेव चक्षुरपेक्षेति वाच्यम् । तथा सति शङ्खतत्संसर्गयोरप्रत्यक्षत्वप्रसङ्गात् । नयनप्रदेशगतपित्तपीतिमाऽऽकारवृत्यभिव्यक्तसाक्ष्यसंसर्गेण तयोस्तद्भास्यत्वाभावात् । पीतिमसंसृष्टशङ्खगोचरैकवृत्त्यनभ्युपगमाच । અને એવી દલીલ ન કરવી જોઈએ કે પીળાશ (પીળા રંગ)ને સ્વરૂપથી અયાસ નથી થતો પણ નયનમાં રહેલા પિત્ત (દ્રવ્ય)ની પીળાશ જેનો અનુભવ થઈ રહ્યો છે તેને સંસગ માત્ર શંખમાં અધ્યક્ત થાય છે તેથી પીળાશના અનુભવને માટે જ ચક્ષની અપેક્ષા છે. (આ દલીલ બરાબર નથી, કારણ કે તેમ હોય તે શખ અને તેને સંસર્ગ અપ્રત્યક્ષ બની જશે (એ અપ્રત્યક્ષ છે એમ માનવું પડશે; કેમકે નયનપ્રદેશમાં રહેલા પિત્તમાં જે પીળાશ છે તેના આકારવાળી વૃત્તિથી અભિવ્યક્ત થતા સાક્ષી સાથે (શખ અને તેના સંસગનો) સંસર્ગ નથી તેથી તેનાથી (સાક્ષીથી) તેમને ભાસ થાય નહિ, અને પીળાશથી સંબદ્ધ શંખવિષયક એક વૃત્તિને સ્વીકાર કરવામાં નથી આવતા. વિવરણ: રૂપ વિના કેવળ શંખ ચક્ષુથી ગ્રાહ્ય છે એમ સ્વીકારીને આરેપિત વસ્તુ સાક્ષીથી ભાસિત થાય છે એમ માનનાર દલીલ કરી શકે કે જેમ શુક્તિમાં રજત સ્વરૂપથી અધ્યસ્ત થાય છે તેમ શંખમાં પીતરૂપ સ્વરૂપથી અધ્યસ્ત થતુ નથી; પણ નયનમાં રહેલા પીતરૂપથી યુક્ત પિત્ત નામનું વિશેષ દ્રવ્ય છે તેની જે પીળાશ છે તેને અનુભવ તે પિત્ત દ્રવ્યમાં જ થાય છે અને શંખમાં માત્ર તેના સંસગને અધ્યાસ કરવામાં આવે છે, જેમ ફૂલમાં જોયેલી લાલાશના સંસર્ગને અધ્યાસ રફટિક આદિમાં થાય છે. હવે કોઈ શંકા કરે કે એકમાં રહેલી વસ્તુને અન્યત્ર આરોપ સ્વીકારવામાં આવે તે અન્યથાખ્યાતિ માનવી પડે (અનિર્વચનીય ખ્યાતિ નહિ), – તો તેને ઉત્તર એ છે કે આ દલીલ બરાબર નથી. આ મતમાં જેને અધ્યાસ કરવામાં આવે છે તે સંસગને અનિવસનીય માન્ય છે અને તેની ઉત્પત્તિ માની છે એ એની અન્યથાખ્યાતિથી વિલક્ષણતા છે. આમ પીળાશના સંસગનો જ આરા૫ શંખમાં થાય છે અને તેની પહેલાં જે પિત્તદ્રવ્યમાં પીળાશનું દર્શન થાય છે તે અનુભવને માટે જ ચક્ષુની જરૂર છે. ' આની સામે કવિતાર્કિકમતાનુસારી ચિંતક પ્રશ્ન કરે છે કે નયનપ્રદેશમાં જ રહેલા પિત્તદ્રવ્યમાં પીળાશને અનુભવ થાય છે કે શંખદેશમાં પહોંચેલા પિત્તદ્રવ્યની પીળાશને અનુભવ થાય છે? નયનપ્રદેશમાં રહેલા પિત્તદ્રવ્યમાં જ પીળાશને અનુભવ થાય છે એમ માની શકાય થહિ કારણ કે એમ હોય તે શંખ અને શંખ અને પીળાશને સંસગ એ બેનું પ્રત્યક્ષજ્ઞાન થઈ શકે નહિ. શંખ અને તેના સંસર્ગનું ભાન (પ્રકાશન) પિત્તની પીળાશ વિષયક વૃત્તિથી અભિવ્યક્ત થયેલા સાક્ષીથી થાય કે પીળાશની સાથે સંબદ્ધ શંખને વિષય ન કરનારી વૃત્તિથી અભિવ્યક્ત થયેલા સાક્ષીથી થાય છે પહેલે વિકલ્પ બરાબર નથી. નયન પ્રદેશમાં રહેલા પિત્તના પીતરૂપના આકારવાળી વૃત્તિથી તે પ્રદેશમાં રહેલું, પીતરૂપથી અવછિન્ન Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy