SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ सिद्धान्तलेशसङ्ग्रहः વિવરણ : ‘ઇમ્’ આકારવાળી વૃત્તિરૂપ ધ`િજ્ઞાનને અભ્યાસનું કારણ માનનાર એવી દલીલ કરી શકે કે હું તેા સાદશ્યજ્ઞાનરૂપ અભ્યાસના કારણને જ શુક્તિવિશેષજ્ઞાનમાં પ્રતિધક માની શકીશ; તેથી શક્તિશનની સામગ્રીના અભાવ માની શકાશે. પણ જો પ્રતિપક્ષી તેમ માનશે તે! તેની સ્થિતિ એવા વેપારી જેવી થશે જે દાણુ (જકાત) ભરવાની બીકે રાતે દાણુ-ચોકીથી દૂર માલ લઈને ભાગ્યા કરતા હતા પણુ સવાર પડી ત્યારે તેને ખબર પડી કે ભ્રાન્તિવશાત્ તે ાણુની ચેકીમાં જ છે અને તેને દાણુ તે ભરવું જ પડવુ. સાદૃશ્યજ્ઞાનને તે અભ્યાસનું કારણ માનવા તૈયાર નહાતા પશુ ફરી ફરીને તે જ માનવું પડે તેવું થાય. આના ઉત્તર આપતાં કવિતાર્કિકમતાનુયાયી કહે છે કે સાદૃશ્યદર્શન પ્રતિબંધક હોઈ શકે જ નહિ. ઊલટું શુક્તિની નજીક ગયા પછી રજતના સાદૃશ્યરૂપ ચકચકાટ દેખાય ત્યારે જ શુક્તિત્વનું જ્ઞાન થાય છે. આમ હાવાથી દૂરત્વ વગેરે દોષને કારણે પ્રતિબંધ છે અને શક્તિત્વદર્શનની સામગ્રીના અભાવ છે એમ બન્ને પક્ષે માનવું પડશે. અથવા સહકારીના અભાવમાં સામગ્રીના અભાવ માની શકાય. શુક્તિત્વના વ્યંજક એવા નીલપૃષ્ઠ વગેરે સાથે ચક્ષુને સનિ ન હોય તેથી પણ શુક્તિવનની સામગ્રીના અભાવ બન્ને પક્ષે માનવા પડશે. અહીં એ વાતની નેધ લેવી જોઈએ કે વ્યાખ્યાકાર કૃષ્ણાનન્દી કવિતાકિ કના મત સાથે સંમત નથી અને તેમની દૃષ્ટિને સ્થૂલ દૃષ્ટિ તરીકે ચલાવી લે છે. કૃષ્ણાનન્દની દીલ છે કે માથુસ દૂર હોય તો પણ શુક્તિ વિષે શુક્તિ-પ્રમા, શુક્તિનું સાચું જ્ઞાન તેને કયારેક થાય છે. તેથી જેમ સાદૃશ્યજ્ઞાન અભ્યાસનું કારણુ હમેશાં બને જ એમ હોતુ નથી તેમ દૂરત્વ વગેરેમાં પણ વ્યભિચાર છે—કયારેક તે અભ્યાસનું કારણ ન પણ હેાય અને કયારેક હાય પણ ખરું. એ જ રીતે રજત પ્રત્યે અત્યંત આસક્તિ અને તેની લાલચ હેાય એવા માણસને નજીક ગયા પછી પણ શુક્તિનું સમ્યગ્નાન થતું નથી, તેને રજત જ દેખાય છે. તેથી દૂરત્વને પણ દોષ ન માની શકાય. જો કોઈક અધ્યાસની બાબતમાં કયારેક એ દોષરૂપ છે એ રીતે તેને અભ્યાસનુ કારણ માનવામાં આવતું હોય તો વાળા વગેરેમાં સાદૃશ્યનાનરૂપ દોષને કારણે થતા ‘આ એ દીપવાળા છે’ એવા ભ્રમ સને અનુભવથી સિદ્ધ છે. પ્રત્યેક ક્ષણે નવી જવાળા હાય છે તેમ છતાં સાદૃશ્યજ્ઞાનને લીધે ‘આ એ જ જવાલા ઈં' એવા ભ્રમ થાય છે એવા સર્વાંને અનુભવ છે તેથી સાદૃશ્યજ્ઞાનને કયારેક રજતાદિના અભ્યાસમાં દેષ તરીકે કારણ માનવુંજ પડશે. સાદૃશ્યજ્ઞાન દોષ છે એ વાત શકરાચાય ને પણ માન્ય છે. દેવતાધિકરણ (પ્રસૂ. શાં.ભા. ૧.૩.૨૮)માં તેમણે કહ્યું છે: સાશ્યાત યમિજ્ઞાનં શાવિયિય. એ જ રીતે સમુદાયાધિકરણ કે બૌદ્ધોના ખનમાં (૨.૨.૨૫) કર્યુ છે કે સાયનિમિત્ત પ્રતિજ્ઞëાનમ્ ( પ્રતિસંધાન એટલે પ્રત્યભિજ્ઞાન ) . તેથી સાદશ્યજ્ઞાન દ્વેષ તરીકે અધ્યાસનુ કારણ છે એ મતનું નિરાકરણ કરવું એ ખરાબર નથી એમ કોઈ કહે તો તેના ઉત્તર એ છે કે એ વાત સાચી છે તે પણ સ્થૂલ ખુદ્ધિને આશ્રય લઈને આમ કર્યું`" છે એમ સમજવુ. સૂક્ષ્મ બુદ્ધિથી તે સાદૃશ્યજ્ઞાનને દોષ તરીકે અલ્વાસનું કારણુ માની જ શકાય. ૨૧૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy