SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ પાંરછેદ ૨૧૭ દર્શનની સામગ્રીને અભાવ હોવાથી રજતને અધ્યાસ થાય જ છે. ફરી શંકા થાય કે સૈદશ. ભાગ માત્ર સાથે સંનિક હોય ત્યારે પણ શુક્તિત્વરૂપ વિશેષના દર્શનની સામગ્રી હોવાથી રજતને અયાસ ન થવો જોઈએ. અને જો આ પ્રસંગને પરિહાર કરે છે તે સાદશ્યજ્ઞાનને દોષ તરીકે અધ્યાસનું કારણ માનવું જોઈએ. અને તેથી ઉક્ત સાદશ્યદર્શનરૂપ પ્રતિબંધકની હાજરી હોવાથી અપ્રતિબદ્ધ શક્તિવદર્શનસામગ્રી નથી અને તેથી અધ્યાસ શકય બને છે–આમ કહેવાને આ શંકામાં ધર્મિશાનકારણવાદીને આશય છે. તેને જવાબ આપતાં અનપ્યાસના પ્રસંગને પરિહાર કરવા માટે બન્ને પક્ષને સંમત વાત કહી છે. રજતને અધ્યાસ થાય છે ત્યારે શુક્તિત્વનું દર્શન નથી હતું તેથી તેની સામગ્રીને પણ અભાવ હોય છે એમ સાદશ્યજ્ઞાનકારણુતાવાદીએ પણ કહેવું પડશે. શુક્તિના રજતસદશ ભાગ સાથે જ્યારે ચક્ષુને સંનિકર્ષ હોય ત્યારે ચક્ષુસંયુક્ત તાદામ્યરૂ૫ શુક્તિત્વદર્શન સામગ્રી હોવા છતાં અધ્યાસ થતો જોવામાં નથી આવતો તેથી શુકિતત્વરૂપ વિશેષના દર્શનની સામગ્રીને પ્રતિબંધક કોઈ દોષ અવશ્ય માનવો પડશે. એ દેવ તે સાદશ્યજ્ઞાન નહીં પણ દૂરવ વગેરે છે. આમ દોષ તરીકે પણ સાદશ્યજ્ઞાન અધ્યાસનું કારણ નથી તેથી ધર્મિજ્ઞાનની સિદ્ધિ થતી નથી એમ કહેવાને ધર્મિજ્ઞાનને નિષેધ કરનારને આશય છે. मम सादृश्यज्ञानरूपाध्यासकारणदोषेण प्रतिबन्धात् तदा शुक्तित्वदर्शनसामग्यभावाभ्युपगमः । तव तथाऽभ्युपगमे तु घट्टकुटीप्रभातवृत्तान्त इति चेत् , न। समीपोपसर्पणान्तरं रजतसादृश्यरूपे चाकचिक्ये दृश्यमाने एव शुक्तित्वोपलम्भेन तस्य त-सामग्रीप्रतिबन्धकत्वासिद्धौ दूरत्वादिदोषेण प्रतिबन्धाद्वा व्यञ्जकनीलपृष्ठत्वादिग्राहकासमवधानाद्वा तत्सामय्यभावस्य वक्तव्यत्वात् । | (શંકા) મારા મતમાં સદશ્યજ્ઞાનરૂપ જે અધ્યાસને કારણરૂપ દેષ છે તેનાથી (શુક્તિત્વજ્ઞાનની પ્રતિબંધ થાય છે તેથી શુક્તિત્વદશનની સામગ્રીના અભાવનો સ્વીકાર છે. જ્યારે તમે જે તેમ સ્વીકારો તે ઘદૃકુટીપ્રભાતવૃત્તાન્ત થાય -અર્થાત સદશ્યજ્ઞાનને અધ્યાસના કારણ તરીકે ટાળવા માગતા હતા તે જ સ્વીકારવાનો વખત આવે). (બાવી શંકા ધર્મિ જ્ઞાનવાદી કરે તે ઉત્તર છે કે) ના. નજીક સરક્યા પછી રજત સદશ્યરૂપ ચકચકાટ જોવામાં આવે છે ત્યારે જ શક્તિવની ઉપલબ્ધિ થાય છે તેથી તે (સાદણ્યદર્શન) તેની શુક્તિત્વદશનની) સામગ્રીના પ્રતિબંધક તરીકે સિદ્ધ થતું નથી. (અને) આમ હોય તે ઘરસ્વાદિ દોષથી પ્રતિબંધ થવાને કારણે અથવા (શુક્તિત્વને) વ્યંજક નીલપૃષ્ઠવાદિના ગ્રાહક (નીલભાગવ્યાપી ચક્ષુસંનિકર્ષ)ની હાજરી નહીં હોવાથી તેની શુકિતત્વરૂપ વિશેષના દર્શનની) સામગ્રીને અભાવ (બને પક્ષે) કહેવું પડશે. સિ- ૨૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy