SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ પરિચ્છેદ કોઈને શંકા થાય કે વિષયગત અજ્ઞાન માનવા માટે પ્રમાણ છે કારણ કે પુરુષગત અજ્ઞાન શક્તિ આદિથી અવચિછન્ન ચૈતન્યમાં હેઈ શકે નહિ, પુરુષગત અજ્ઞાન વિષયગત વિક્ષેપરૂપે પરિણમી શકે નહિ. અને જો એ સંભવ હોય તે પણ પુરુષગત અજ્ઞાનની આપ્તપદેશથી નિવૃત્તિ થઈ ગઈ છે અને વિષયગત અજ્ઞાન માનવામાં આવતું નથી તેથી દૂર દેશમાં રહેલા વૃક્ષને વિષે વિપરીત પરિમાણુરૂપ વિક્ષેપ સંભવે નહિ. આ શંકાને ઉત્તર આપતાં કહ્યું છે કે વાચસ્પતિના મતમાં સર્વ પ્રપંચને જીવાશ્રિત અજ્ઞાનના વિષય બનેલા બ્રહ્મને વિવત’ માનવામાં આવે છે તેમ પુરપાશ્રિત અજ્ઞાનના વિષયકૃત પ્રહ્મના વિવત તરીકે શુક્તિરતાદિની ઉપપત્તિ છે. શક્તિરતાદિ વિક્ષેપ અજ્ઞાનને પરિણામ છે એ પક્ષમાં અજ્ઞાન વિષયાવચ્છિન્નગત છે એમ માનવું પડે. પણ તેને અજ્ઞાનને પરિણામ ન માનનાર પક્ષમાં અજ્ઞાનને વિષયાવચ્છિન્નચૈતન્યગત માનવું જરૂરી નથી. દા. નિતકમાં બ્રહ્મપદ છે તે શુત્યાદિથી અવચ્છિન્ન ચૈતન્યરૂપ બ્રહ્મના અર્થમાં છે, પૂણષાના અર્થમાં નહિ, કારણ કે અવછિન્ન રૌતન્યને જ શુક્તિરજતાદિનું અધિષ્ઠાન માનવામાં આવે છે. વિપરીત પરિમાણુરૂપ વિક્ષેપ સંભવશે નહિ એ દ્વિતીય દોષને પરિહાર કરતાં કહે છે કે પક્ષજ્ઞાન થયું હોવા છતાં વિપરીત પરિમાણની ઉત્પત્તિને અનુભવ થાય છે. આ બે અનુભવો અનુસાર પુરુષાશ્રિત જ અજ્ઞાન જે વિષયનું આવરણ કરે છે તેને જ એકદેશ પરાક્ષ જ્ઞાનથી નિવૃત્ત થાય છે, જ્યારે બીજો એક દેશ અનુવૃત્ત રહે છે એમ કલ્પના કરવામાં આવે છે; પણું કિવિધ અજ્ઞાનને સ્વીકાર થતો નથી કારણ કે તેમાં ગૌરવ-દોષ છે. વ્યાખ્યાકાર કૃણાનંદ કહે છે કે વસ્તુતઃ તે પક્ષ જ્ઞાન અજ્ઞાનનું નિવર્તક છે એ મતમાં પણ પ્રતિબંધરહિત જ પરાક્ષશાન અજ્ઞાનનું નિવતક છે એમ માનવું જોઈએ. અને અહીં દૂરવાદિ દોષથી પ્રતિબદ્ધ હોવાને કારણે આપ્તવાકયથી જન્ય હોવા છતાં પણ એ પરોક્ષજ્ઞાન પુરુષગત અજ્ઞાનનું નિવતક બનતું નથી એમ જ ભ્રમને ધ્યાનમાં રાખીને માનવું જોઈએ. તેથી વિપરીત પરિમાણની ઉત્પત્તિ અંગેની અનુપત્તિની શંકાને કોઈ અવકાશ નથી, કારણ કે આ પરિણામ પામનાર પુરુષગત અજ્ઞાન અનિવૃત્ત જ છે. અહીં શંકા થાય કે આવું જે હોય તે આપ્તપદેશ પછી દૂર દેશમાં રહેલ વૃક્ષગત પરિમાણુવિશેષનું જ્ઞાન મને નથી' એવો અનુભવ થ જોઈએ (૫ણું થતું નથી). આ શંકા બરાબર નથી કારણ કે અજ્ઞાન હોવા છતાં સત્તા-નિશ્ચયરૂપ પરોક્ષજ્ઞાન તે અનુભવમાં પ્રતિબંધક બની શકે છે. અને પ્રમામાત્ર અનાનનિવતક છે એ નિયમનો પ્રતિબહ પરોક્ષપ્રમાની બાબતનાં ભંગ થાય છે એવી શંકા કરવી નહિ કારણ કે અપ્રતિબદ્ધ પ્રમા અજ્ઞાનનિવર્તક છે એમ જ ઉપપન્ન અને અભિપ્રેત છે. __ अपरे तु-शुक्तिरजतादिपरिणामोपपत्त्याजस्याद् विषयावगुण्ठनपटवद्विषयगतमेवाज्ञानं तदावरणम् । न च तथा सति अज्ञानस्य साक्ष्यसंसर्गेण ततः प्रकाशानुपपत्तिः, परोक्षवृत्तिनिवर्त्यत्वासम्भवश्च दोष इति वाच्यम् । अवस्थारूपाज्ञानस्य साक्ष्यसंसर्गेऽपि तत्संसृष्टमूलाझानस्यैव 'शुक्तिमहं न जानामि' इति प्रकाशोपपत्तेः । शुक्त्यादेरपि मूलाज्ञानविषयचैतन्याभिन्नतया तद्विषयत्वानुभवाविरोधात् । સિ-૨૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy