SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ પરિચ્છેદ ૧૫૩ જોઈ એ, તેનું જ્ઞાન સંભવે જ નહિ. આ શ ંકાનું સમાધાન એ છે કે જેટલાં અવસ્થારૂપ અજ્ઞાનેા છે તે બધાં મૂલ અજ્ઞાનની જેમ વિષયાવચ્છિન્ન ચૈતન્યનું સદા આવરણુ કરનારાં નથી કારણ કે તેની જરૂર નથી. પણ કોઈ અનાન કોઈ કાળ દરમ્યાન વિયાવચ્છિન્ન ચૈતન્યનુ આવરણ કરે છે અને કેાઈ અજ્ઞાન અન્ય કાળમાં તેનું આવરણુ કરે છે એ પ્રકારે કાલવિશેષથી ઉપલક્ષિત વિષયચૈતન્યનું આવરણુ કરનારાં હોય છે. અને નાના પણ પાતપેાતાના ઉદ્યના કાળમાં પોતપોતાના વિષયનું આવરણ કરનાર અજ્ઞાનનાં નાશક બને છે. તેથી એક જ્ઞાનના ઢાળમાં અન્ય અનાના આવરણ કરનારાં ન હોવાથી વિષયને અવભાસ થઈ શકે છે. તે અજ્ઞાનથી અહીં શંકા સભવે છે કે તે તે કાળવશેષથી વિશિષ્ટ જ વિષયનુ આવરણુ થાય છે. આમ કાળવિશેષો વિષયનાં વિશેષણુ હોઈ તેમને પણ આવરણીય એવા વિષયની કોટિમાં જ પ્રવેશ ાવા જોઈએ, અર્થાત્ તેમને પણુ વિષયાટિમાં ગણવા જોઈએ. તેને ખલે તેમને ઉપલક્ષણુરૂપ કેમ માન્યા છે? આના ઉત્તર એ છે કે જો એમ હોય તા ધારાવાહિક જ્ઞાનસ્થળમાં આવરણુ કરનાર તરીકે રહેલ અજ્ઞાાની નિવ`ક બીજી, ત્રીજી વગેરે વૃત્તિને પણ તે તે ઢાળવિશેષથી વિશિષ્ટ વિષયવાળી માનવી પડશે, કારણ કે ‘તે કાલથી વિશિષ્ટ વિષય'નું આવરણ કરનાર અજ્ઞાનના નાશ ‘તે કાલથી વિશિષ્ટ વિષય'નું જ્ઞાન જ કરી શકે (અજ્ઞાન અને જ્ઞાન તેના સમાન વિષય હોય તે જ અજ્ઞાનની નિવૃત્તિ થાય). પશુ એ સંભવશે નહિ. કારણ કે તે તે સૂક્ષ્મ ક્ષણભેદ (કાલવિશેષ) પ્રત્યક્ષ નથી. તેથી તેમનાથી વિશિષ્ટ વિષયનું જ્ઞાન પણ ન થઈ શકે. માટે કાલવિશેષને ઉપલક્ષણુરૂપ જ માનવામાં આવ્યા છે. આ વાત સમજાવવા કારીરી નામની દષ્ટિનું દૃષ્ટાન્ત આપ્યું છે. કારીરી ઇષ્ટિના ફળરૂપ જે દૃષ્ટિ છે તેને સમાપ્તિના ઉત્તરક્ષણમાં જ માનવી જોઈએ. અન્ય કાળમાં નહીં, કારણ તે કાળમાં સુકાતા અનાજને જિવાડવામાં અન્ય કાળની સૃષ્ટિના ઉપયોગ નથી. અહીં આસન (નજીકના) સમયના દૃષ્ટિના વિશેષ તરીકે લ કોટિમાં પ્રવેશ સ્વીકારવામાં આવતા નથી કારણુ કે ઇષ્ટિ વિના પણ સમયવિશેષ તો સંભવે જ છે. પણ અન્ય સમયની વ્યાવૃત્તિ કરવાને માટે સમયવિશેષને ઉપલક્ષણ તરીકે માનવામાં આવે છે; તે જ રીતે અહીં પણ તે તે કાલવિશેષને ઉપલક્ષણ માનવામાં આવ્યા છે અને વિશેષણુ માનીને આવરણીય કોટિમાં પ્રવેશ માન્યા નથી. केचित्तु प्रथमज्ञाननिवर्त्यमेवाज्ञानं स्वरूपावरकम् । द्वितीयादिज्ञाननिवर्त्यानि तु देशकालादिविशेषणान्तर विशिष्टविषयाणि । अत एव सत्तानिश्चयरूपे अज्ञाननिवर्तके चैत्रदर्शने सकृज्जाते ' चैत्रं न जानामि' ति स्वरूपावरणं नानुभूयते किं तु 'इदानीं स कुत्रेति न जानामि' इत्यादिरूपेण विशिष्टावरणमेव । विस्मरणशालिनः क्वचित् सकृद् दृष्टेऽपि न जानामि इति स्वरूपावरणं दृश्यते चेत्, तत्र तथाऽस्तु । अन्यत्र सकृद् दृष्टे विशिष्टविषयाण्येवाज्ञानानि ज्ञानानि च । 4 સિ–૨૦ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy