SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ પરિચ્છેદ છે એટલે સર્વજ્ઞાનને કર્તા છે એમ નથી સમજવાનું). તેથી જ જ્ઞાનાન્ના' (વાક્યના અન્વયને લીધે) (બ્ર. સૂ. ૧.૪.૧૯) એ અધિકરણમાં ભાષ્યકારે કહ્યું છે કે વિજ્ઞાતત્વ (વિજ્ઞાતા હોવું) એ જીવનું લિંગ છે. “જે સર્વજ્ઞ છે” ઈત્યાદિ શુતિની પણ તેના જ્ઞાનરૂપ હોવાના અભિપ્રાયથી જ રોજના કરવી જોઈએ. વિવરણ : અગાઉના બે મતિ દ્વારા જીવની જેમ બ્રહ્મની બાબતમાં પણ સર્વજ્ઞત્વ ચૈતન્યના પ્રતિબિંબથી યુક્ત વૃત્તિ-જ્ઞાનેથી છે એવું નિરૂપણ કર્યું. હવે બ્રહ્મનું સર્વજ્ઞત્વ સ્વરૂપજ્ઞાનથી જ છે એવું નિરૂપણ કરે છે. આ મત કૌમુદી કારને છે. બ્રહ્મ સ્વરૂપજ્ઞાનથી જ પોતાની સાથે સંસૃષ્ટ સવ ને અવભાસિક છે અને તેથી સર્વજ્ઞ છે. પ્રલયકાળમાં અને સુષ્ટિની પહેલાંના કાળમાં અતીત અને અનાગત પ્રપંચ હેત નથી તે બ્રહ્મ કેવી રીતે સર્વજ્ઞ હોઈ શકે એવી શંકા કરવી નહિ, કારણ કે સૂત્રકાર અને ભાગ્યકારે દેવતાધિકરણ (ઇ.સ. ૧.૩.૨૬માં સિદ્ધ કર્યું છે કે અતીત પ્રપંચ પ્રલયકાળમાં સંસ્કારરૂપે હોય છે અને આરંભણધિકરણમાં (બ.સ. ૨.૧.૧૪) માં સિદ્ધ કર્યું છે કે સુષ્ટિના પૂર્વકાળમાં અનામત પ્રપંચ સંસ્કારરૂપે હોય છે તેથી ત્યારે પણ બ્રહ્મ–ચૈતન્ય અતીતાદિ વસ્તુના સંસર્ગમાં હોવાથી સર્વજ્ઞત્વની સિદ્ધિ થાય છે. વ્યાખ્યાકાર કૃષ્ણાનંદ આનું વિવેચન કરતાં કહે છે કે એટલું અહીં ધ્યાનમાં રાખવું કે સ્થૂલ પ્રપંચનું અસ્તિત્વ હોય ત્યારે સંસ્કારાત્મક સૂક્ષમ પ્રપંચ નથી હોત અને પ્રલયકાળ વગેરેમાં સ્થૂલ પ્રપંચ નથી હોતો તેથી બ્રહ્મચૈતન્યને સદા સર્વ પ્રપંચ સાથે સંસર્ગ નથી હેતે તેથી તેનું અસંકુચિત સવજ્ઞત્વ સદા સંભવતું નથી. તમેવ માતમનું માનિ સમ (કઠ. ૫.૧૫; મુંડક ૨.૨.૧૫; શ્વેતા ૬.૧૪) એ શ્રુતિમાં અવધારણ છે તે એમ બતાવે છે કે જગત સ્વપ્રકાશ આત્માથી અતિરિક્ત કેઈથી અવભાસિત થતું નથી, અર્થાત્ સ્વરૂપતાનથી જ અવભાસિત છે; વૃત્તિજ્ઞાનની અપેક્ષા નથી. અહીં પણું વ્યાખ્યાકાર કૃષ્ણાનંદ કહે છે કે એ વિચારવા જેવું છે કે બ્રહ્મચૈતન્યને જગતના અવભાસન માટે માયાવૃત્તિની અપેક્ષા રહે તે પ્રતિમાંના અવધારણ (ga) ને વિરોધ થાય એમ કહ્યું છે. એવું જે હોય તે છવચૈતન્યને ઘટાદિના અવભાસનને માટે અન્તઃકરણવૃત્તિની અપેક્ષા રહે છે તેમાં પણ તેને વિરોધ તો છે જ ને ! અને જે એમ દલીલ કરવામાં આવે કે અન્તઃકરણુત્તિઓ જઠ છે તેથી તેમની અપેક્ષા રહેતી હોય તે પણ સવ જડ વસ્તુ ચૈતન્યમાત્રથી અવભાસ્ય છે એ જે અવધારણુયુક્ત શ્રુતિને અર્થ છે તેને બાધ થતું નથી – તે આ સમાધાન માયાવૃત્તિની અપેક્ષા બ્રહ્મત ન રહે તેને પણ સમાન રીત લાશ પડે. આ મતાનુસાર વૃસનપેક્ષ બ્રહ્મ સ્વરૂપજ્ઞાનથી જ સર્વાભાસક હાઈને સવા છે. આમ ન હોય તે સષ્ટિની પહેલાં “પ્રવાતીયમ્' (છા ૬ ૨.૧) એ શ્રુતિમાંના અવધારણને ધ્યાનમાં રાખીને એમ સ્વીકારવું જ જોઈએ કે સુષ્ટિની પહેલાં મહાભૂતોની જેમ વૃત્તિજ્ઞાનેને પણ અભાવ હતો અને જે સર્વજ્ઞત્વને માટે વૃત્તિની અપેક્ષા હોય જ તે ત્યારે બ્રહ્મનું સર્વજ્ઞત્વ સંભવે નહિ. અને એ સંજોગોમાં “નક્ષત' તિમાં બ્રહમે ઈક્ષણ કર્યું એમ કહ્યું છે તે ભૂતમષ્ટિને અનુકૂળ ઈક્ષણ પ્રતિ બ્રહ્મનું કતૃત્વ અને એ ઈક્ષણપૂર્વક ભૂતાદિ પ્રત્યે બ્રહ્મનું કવ સંભવે નહિ. માટે સ્વરૂપજ્ઞાનથી જ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy