SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ પરિચ્છેદ પ વિવરણ : લાકમાં જોઇએ છીએ કે રૂપવાન ચંદ્રાદિનું પ્રતિબિંબ પડે છે. રૂપરહિત વાયુ આદિનું નહિ, તેથી રૂપરહિત ચૈતન્યનું પ્રતિબિંબ સ ંભવે નહિ. ગગનનું પ્રતિનિબ પાણીમાં પડે છે એમ એ બડી માની લઈએ તે પણ રૂપવાન ઉપાધિમાં જ પ્રતિબિંબ પડી શકે એ નિયમને તા વળી કયાંય ભંગ થતા નથી તેથી કહ્યું છે કે રૂપરહિત વસ્તુમાં તે ખાસ નહિ.' નીરૂપ (રૂપરહિત) ગગનનુ કૂવા તળાવના જલમાં પ્રતિબિંબ પડે છે એમ જે માનવામાં આવે છે તે પણ ભ્રાન્તિમુલક જ છે. હકીકતમાં જળમાં આલેાકનું પ્રતિબિંબ જોવામાં આવે છે, અને તેને વિષે એ ગગનનું પ્રતિબિંબ છે એવા શ્રમ લોકોને થાય છે એવી કલ્પના કરવામાં આવે છે. વસ્તુતઃ એ ગગનનું પ્રતિબિંબ છે જ નહિ. ગગનના ઉપરના ભાગમાં વ્યાપીને રહેલા સૂર્ય*કિરણના મઢલાદિનું પ્રતિબિંબ જળમાં દેખાય છે તેથી તેની સાથે સંકળાયેલ ગગનનું એ પ્રતિબિંબ છે એવા ભ્રમ થાય છે. શકા—જેમ બહાર ‘નીલ નભ' ઇત્યાદિ રૂપથી ગગનને અનુભવ થાય છે તેમ જળમાં પણ ‘નીલ નભ,’ ‘વિશાળ નભ’ ત્યાદિ રૂપથી અનુભવ સૌને થાય છે. અને કૂવા વગેરેના જળમાં જ્ઞાત થતા વિચાલતા આદિ ધમેવાળુ નભ તે વસ્તુત: છે માટે એમ કહેવુ જોઈએ કે જે નભ દેખાય છે તે પ્રતિબિબરૂપ જ છે. તેથી ગગનનુ પ્રતિબિંબ નથી પડતુ એમ કેવી રીતે કહી શકાય. રૂપરહિત વસ્તુનું પ્રતિબિંબ સભવતું નથી એમ નહીં કહી શકાય કારણુ કે રૂપ, સંખ્યા, પરિમાણુ વગેરેનીરૂપ છે છતાં તેમનું પ્રતિબિંબ આપણે જોઈએ છીએ. આમ ગગનના પ્રતિબિંબના અનુભવ પ્રમાણે રૂપયુક્ત દ્રવ્યનું પ્રતિબિંબ છે, પછી એ વસ્તુ સ્વગતરૂપથી રૂપયુક્ત હોય કે આરોપિત રૂપથી એવા નિયમ કલ્પી શકાય છે. આમ બહાર આરોપિત નીલત્વ વગેરેથી વિશિષ્ટ ગગનનું જળ વગેરેમાં પ્રતિબિંબ પડે છે એમ સ્વીકારવામાં કશું ખાધક બનતું નથી. તેથી રૂપવાન દ્રવ્યનુ પ્રતિબિંબ હાય એ નિયમના ગગનનુ પ્રતિબિંબ પડે છે ત્યાં ભંગ છે તે વારી શકાતા નથી. ઉત્તર-—તા પણ ચૈતન્યનુ પ્રતિબિં“ સંભવતું નથી કારણ કે રૂપરહિત અન્ત'કરણ વગેરે પ્રતિબિ ંખેાપાધિ બની શકે નહિ. જેમાં પ્રતિબિંબ પડે છે તે ઉપાધિ (પણુ, જલ વગેરે) તા રૂપ‰ક્ત જોઈએ જ્યારે અન્તઃકરણાદિ ઉપાધિ રૂપરહિત હોઈ તે તેમાં ચૈતન્યનુ પ્રતિબિંબ સ ંભવતું નથી. શંકા-ધ્વનિ નીરૂપ (રૂપરહિત હોવા છતાં પણુ તેમાં નીરૂપ દ્રવ્યાત્મક વર્ણતુ પ્રતિબિંબ પડે છે એમ માનવુ જોઇએ. તેમ હોય તો જ દપ ણુની મલિનતા કે કાળાશના દ માના પ્રતિબિંબ દ્વારા બિબ એવા મુખમાં આપ થાય છે તેમ ધ્વનિમાંના તારત્વ (તીાપણું) આદિને ધ્વનિમાં પડેલા વણુના પ્રતિબિંબ દ્વારા વર્ણોમાં આરાપ સભવે છે, અન્યથા નહિ. એ પ્રમાણે નીરૂપ અતઃકરણાદિમાં નીરૂપ આત્માનું પ્રતિબિંબ સ ંભવે છે. આ શંકાના ઉત્તરમાં કહ્યું છે કે ધ્વનિમાં વર્ષોંનું પ્રતિબિંબ પડે છે એમ કહેવુ પણ બરાબર નથી... ફરી કોઈ શંકા કરે કે પડધમ વગેરેને શબ્દ (અવાજ) ઉત્પન્ન થાય છે ત્યારે કાઈ ખાસ ખઢક વગેરેની નજીકના આકાશપ્રદેશમાં પ્રતિધ્વનિ (પડા) સંભળાય છે. તે પહેલાના શબ્દનુ પ્રતિબિંબ જ છે, મુખ્ય ધ્વનિ નથી, કારણ કે તેની ઉત્પત્તિનું કોઈ કારણ નથી, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy