SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ પરિચ્છેદ - ચિતને ચતુવિધ કહેનારા એવી દલીલ કરે છે કે શ્રુતિમાં એક બાજુએ કહ્યું છે કે ભૂતની પાછળ નાશ પામે છે (તાગેવાનું વિનશ્યતિ) અને બીજી બાજુએ કહ્યું છે કે આ આત્મા અવિનાશી છે (વિનાશ વા કરડયારમા) અને એક જ પ્રકૃતિ પ્રજ્ઞાનધન આભામાં વિનાશિત્વ અને અવિનાશિત્વ એ બે વિધી ધર્મો સંભવે નહિ તેથી તેમની ઉપપત્તિને થાટે વિનાશી પ્રતિબિંબથી અતિરિક્ત અવિનાશી ફૂટસ્થ રૌતન્ય સિદ્ધ થાય છે. આ દલીલ સ્વીકારવા જેવી નથી, કારણ કે અવિદ્યા-પ્રતિબિંબ–પૌતન્યરૂપ જીવમાં જ પ્રતિબિંબવરૂપ વિશે પણ અંશના નાશના અભિપ્રાયથી વિનાશ અંગેનું વચન છે અને વિશેષ્ય ચૈતન્ય અંશના અભિપ્રાયથી વિનાશના અભાવનું પ્રતિપાદન છે તેથી વધારાને કુટસ્થ માનવાની જરૂર નથી, ઊલટું તેમ કરવામાં ગૌરવ-દેષ છે. શંકા થાય કે અવિદ્યામાં પ્રતિબિંબ તે છવ, બિંબરૂપ મૈતન્ય તે ઈશ્વર અને બિંબ અને પ્રતિબિંબમાં અનુગત તન્ય તે શુદ્ધ ચૈતન્ય એ વિવરણ પક્ષમાં ચિતને ચતુર્વિધ માનનારા જે પારમાર્થિક છવ કે કુટસ્થ ચૈતન્યને અંગીકાર કરે છે તેને અન્તર્ભાવ ક્યાં થશે? તેને અન્તર્ભાવ છવ કે શુદ્ધ ચૈતન્યમાં સંભવ નથી કારણ કે આ બે ઉપાદાન નથી. જ્યારે કુટસ્થ તે સ્થૂલ અને સહમ દેહનું ઉપાદાન છે. બિંબભૂત ઈશ્વરમાં પણ ફૂટસ્થને સમાવેશ થઈ શકે નહિ કારણ કે કુટસ્થ નામના ચૈતન્યનું દેહાદિ વિકારોમાં અવસ્થાન છે જ્યારે ઈશ્વરનું તેમાં અવરથાન હોય તેને માટે કઈ પ્રમાણુ નથી. આ શંકાને ઉત્તર આપતાં કહ્યું છે કે આ કુટસ્થ અન્તર્ભાવ ઈશ્વરમાં ઉપપન છે. શ્રુતિ-સ્મૃતિમાં ઈશ્વરનું ચેતન અને અચેતનાત્મક સકલ પ્રપંચના ઉપાદાન તરીકે પ્રતિપાદન છે. આમ બિંબભૂત ઈશ્વરના, દેહાદિના ઉપાદાન તરીકે, દેહાદિ વિકારની અંદર અવસ્થાનને માટે પ્રમાણ છે જ્યારે ફૂટસ્થ તેનાથી ભિન્ન છે એમ માનવાને માટે કઈ પ્રમાણ નથી. ઈશ્વર ઉપાદાન છે એમ પ્રતિપાદન કરનાર શાસ્ત્ર જ એકમાત્ર પ્રમાણ નથી. પણ ચેતનાચેતનાત્મક સલ જગના નિયન્તત્વનું પ્રતિપાદન કરનાર અન્તર્યામિ-બ્રાહ્મણ પણું બિંબભૂત ઈશ્વરના વિકારની અંદર અવસ્થાનને વિષે પ્રમાણ છે. જે વિજ્ઞાને તિgન વિજ્ઞાનાન્તરે ચં વિજ્ઞા ન વેઢ ચહ્ય વિજ્ઞાનં શરીરં યો વિજ્ઞાનમ તારો પતિ (બૃહદ. ૩. ૭. ૨૨) –અહીં વિજ્ઞાન પદથી જીવ અર્થ સમજવાનું છે. બૃહદારણ્યક ઉપ.નાં માધ્યન્દિન પાઠમાં, બાતમીન સિઝન છે જ્યારે કાશ્વ પાઠમાં ય વિજ્ઞાને તિષ્ઠન, આ બતાવે છે કે વિજ્ઞાન અને આત્માન એ પદો પર્યાય છે અને નિયમ્ય તત્ત્વની વાત હોય ત્યારે આત્મનનો અર્થ જીવ થાય છે. ઈશ્વરનું કવાદિનું નિયંત્રણ નિયમ્ય છવાદિના સંનિધાનથી જ છે, તેમાં હાજર રહીને જ છે, રાજા વગેરે પ્રજાનું નિયત્રણ વ્યવહિત રહીને કરે છે તેવું નથી. માત્માને વિઝનને અર્થ અહીં નીવકિપાનેર થી કહ્યો છે. ભગવદ્ગીતામાં પણ કહ્યું છે ईश्वरः सर्वभूतानां हृद्देशेऽर्जुन तिष्ठति । ગ્રામચન્ સર્વભૂતાનિ યાત્રા કઢાનિ માયા (૨૮.૬૨) યંત્ર અર્થાત શરીર પર આરૂઢ અર્થાત અહંતા મમતાવાળા સવ પ્રાણીઓને ઈશ્વર તેમના હૃદયમાં રહીને તેમના કર્માનુસાર માયાથી ફેરવે છે અર્થાત તેમની પાસે પ્રવૃત્તિ કે નિવૃત્તિ કરાવે છે. ઈશ્વરનું આ નિયતૃત્વ માયોપાધિક છે, વાસ્તવ નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy