SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ પરિચ્છેદ શકો -'નાશાવામાન #રોતિ મારા વાવિયા ૧ રવવા મવતિ' એ શ્રુતિમાં જીવ અને ઈશ્વર બનેને પ્રતિબિંબ કહ્યા છે તેને વિરોધ થશે. ઉત્તર–આમ કહેવું બરાબર નથી. પ્રતિબિંબની જેમ બિંબ પણ કલ્પિત છેતેથી આભાસ' પદથી પ્રતિબિંબ અને બિંબ બને સમજી શકાય. શકા–લોકમાં પ્રતિબિંબત્વથી વિશિષ્ટ મુખને મુખાભાસ કહે છે પણ બિબત્વથી વિશિષ્ટ મુખને કઈ મુખાભાસ કહેતું નથી તેથી “આભાસ' પદથી મુખ્ય વૃત્તિથી બિંબ રીતન્યનું પ્રતિપાદન થઈ શકે નહિ. લક્ષણાનો જ આશ્રય લેવો પડે અને એકવાર ઉરચારવામાં આવેલું “આભાસ' ૫દ મુખ્ય વૃત્તિથી પ્રતિબિંબપરક છે અને ગુણવૃત્તિથી બિંબપરક છે એવી કલપના બરાબર નથી. આમ છવે અને ઈશ્વર બને પ્રતિબિંબરૂપ છે તેથી “આભાસ” પદ મુખ્ય વૃત્તિથી બન્નેને માટે પ્રયોજાયું છે એમ અર્થ કરી શકાતું હોય તે લક્ષણુની કલ્પના કરવાનું કોઈ કારણ નથી. ઉત્તર–છવ અને ઈશ્વર બને પ્રતિબિંબરૂપ હોઈ શકે નહિ. બિંબભૂત ગૌતન્ય સૂર્યની જેમ એક છે તેથી ઉપાધિના ભેદ વિના બે પ્રતિબિંબ સંભવે નહિ. માયા અને અવિદ્યા એ જુદી જુદી ઉપાધિ છે તેથી બે પ્રતિબિંબ સંભવે છે એમ ન કહી શકાય, કારણ કે બે પ્રતિબિંબ માટે અપેક્ષિત બે ઉપાધિ તરીકે તેમનું પ્રતિપાદન નથી અને માયા અને અવિદ્યાને સ્વરૂપથી ભેદ સિદ્ધાન્તથી વિરુદ્ધ છે. તેથી એમ જ માનવું જોઈએ કે “આભાસ' પદ અજહલક્ષણથી બિ બ અને તિબિંબ ઉભયપરક છે. આમ વિવરણને અનુસરનારા માને છે કે ઈશ્વર બિંબસ્થાનીય છે અને જીવ પ્રતિબિંબ છે. પs સેશ્વર ઇષ મતાધિપતિઃ (વૃદ. ૪.૪.૨૨) વગેરે કૃતિથી ઈશ્વરને રવાતંત્ર્યની સિદ્ધિ છે અને ઉષ હૈi સાધુ શ્ર ીયતિ (ૌશીતદિ રૂ.૮) (એ જ તેનાથી સારું કમ કરાવે છે) “ મામાનમન્તરો ચમતિ (વૃદ૦ રૂ.૭.૨૨) (જે આત્માનું અંદર રહીને નિયમન કરે છે–તેને અન્તર્યામી છે), રવેરિત છેતુ વા વ્યગ્રમેવ વા (ઈશ્વરથી પ્રેરિત થયેલ તે સ્વગ અથવા નરકમાં જાય) ઇત્યાદિ શ્રુતિ-સ્મૃતિથી જીવની ઈશ્વર પર પરતંત્રતા સિદ્ધ છે. ઢોવા ત્રીજા વત્ એ સૂત્ર પ્રમાણે ઈશ્વરની સુષ્ટિ આદિ પ્રવૃત્તિ કે ઉદ્દેશ વિના જ કરેલી લીલા છે. જગતમાં જોઈએ છીએ કે સર્વ વિભવ સંપન્ન લેકે કઈ પ્રજન વિના જ ક્રીડા કરે છે. પ્રાણીઓને માટે એ ક્રીડા કે લીલા સ્વાભાવિક છે. દુઃખને અતિરેક થતાં માણસ રડી પડે છે કે સુખ ખૂબ મળતાં હસી પડે છે ત્યારે રુદન કે હત્યનું કારણું સૌ પૂછે છે પણ પ્રયજન કેઈ પૂછતું નથી. સ્વપ્નસૃષ્ટિની જેમ પ્રપંચષ્ટિને માયામયી માનીએ છીએ, તેના પ્રયજન વિષે પ્રશ્ન પુછાતે જોવામાં આવતું નથી. આ જ વાત સમજાવતાં કહપતરુમાં (૨.૧ ૩૩) આમલાનન્ટે કહ્યું છે કે જેમ કે પુરુષ દર્પણમાંના પિતાના પ્રતિબિંબના ફેરફાર જે બિંબરૂપ પિતાર્થ જ પ્રયુક્ત છે તેને જે રમત કરે છે તેમ છવમાં રહેલી વિક્રિયાઓ જે તે તે પ્રાણુના કર્માનુસાર બ્રહ્મથી જ પ્રયુક્ત છે તેમને જેતે બ્રહ્મ ક્રીડા કરે છે. ઉપર કહ્યું તેમ અજ્ઞાનને જવની ઉપાધિ માનીએ તો પણ અન્તઃકરણનું જીવની ઉપાધિ તરીકે વર્ણન છે તે વ્યર્થ બનતું નથી. અઘિામાં પ્રતિબિંબિત ચૈતન્યનુ રૂ૫ છે તે સુષુતિ સિ-૧૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy