________________
सिद्धान्तलेशसमहः : વિવરણ ? શૂટો વીવેશાવરવં વિરવતુર્વરા એ શ્લોકમાં ચતુવિધ ચિતની વાત કરી છે. તે ચારમાંથી બ્રહ્મચૈતન્ય તે સત્યજ્ઞાનાદિ વાકયોમાં સુપ્રસિદ્ધ છે તેથી તેને માટે કોઈ પ્રમાણુરૂપ વાક્ય ટાંકયું નથી. અવિનાશી વા.. એ વાકય ફૂટસ્થ ચૈતન્યને માટે પ્રમાણ તરીકે રજૂ કર્યું છે. ઉપાધિની ઉત્પત્તિ અને વિનાશ અનુસાર તેની ઉત્પત્તિ અને વિનાશ છે એ વચન અન્તઃકરણમાંના ચૈતન્ય-પ્રતિબિંબરૂપ જીવને વિષે પ્રમાણુ તરીકે રજૂ કર્યું. હવે ઈશ્વરને માટે કોઈ પ્રમાણ રજૂ કરવું જોઈએ. તેથી અહીં કહે છે કે ઈશ્વર માં ડ્રથઋતિથી સિદ્ધ છે. જેને ઈશ્વર કહ્યો છે તે આ આનન્દમય જ, અન્ય નહિ. સુષુપ્તસ્થાન એટલે સુષુપ્ત જેનું સ્થાન છે તે. જાગૃતાવસ્થામાં વિજ્ઞાન' શબ્દથી વાય અંતઃકરણને વિષે જવના તાદાભ્યાધ્યાસથી વિજ્ઞાનમયત્વ, મનોમયત્વ, ત્વ વગેરે રૂપ કહ્યાં છે. તેમ દેહમાં હું સ્થલ ' ઇત્યાદિ અભેદાધ્યાસથી સ્થૂલવ, કુશવ, બ્રાહ્મણ આદિ રૂપ છે; તેમ ચક્ષુ વગેરેમાં હું કોણ છું', 'હું મૂંગું છું' વગેરે અધ્યાસથી કાવ, મૂકત્વ વગેરે રૂપ છે; એ રાતે આકાશાદિ પદાર્થોમાં અધ્યાસસિદ્ધ “આકાશમયા વાયુમય ઇત્યાદિ શ્રુતિએ સંગ્રહેલાં અનંત રૂપે છે. દેહાદિમાં અયાસથી જીવનાં આ રૂપ જાગ્રત અવસ્થામાં છે–બ્રાતિથી માનવામાં આવે છે. જ્યારે સુષુપ્તિકાળમાં તે બુદ્ધિ વગેરે ઉપાધિના લયથી સર્વ પ્રકારની ભ્રાન્તિને લય થાય છે તેથી ભ્રાન્તિસિદ્ધ બધાં જ રૂપ લય પામે છે એ અભિપ્રાયથી “એકીભૂત' કહ્યું છે. પ્રજ્ઞાન એટલે ચૈતન્ય. જાગ્રતુ આદિમ વૃતિભેદને કારણે તે ભેદરૂ૫ શૈથિલ્યવાળું હોય છે, જ્યારે સુપુતિમાં વૃત્તિઓના લય થતાં તે એક પ્રાપ્ત કરે છે એ અભિપ્રાયથી “પ્રજ્ઞાનધન' એમ કહ્યું છે. અહીં ‘આનંદ’થી બિંબભૂત બ્રહ્માનંદ વિવક્ષિત છે, અને તેને પ્રતિબિંબભૂત જીવ તે આનંદમય. એ આન દમય સુષુપ્તિકાલમાં અવિદ્યાવૃત્તિઓથી સ્વરૂપભૂત આનંદને ભોગવે છે તેથી તેને આનંદભુફ” કહ્યો છે.
શકા–જાગ્રત અને સ્વપ્નમાં સ્કૂલ અવસ્થામાં રહેલા અન્તઃકરણમાં પ્રતિબિંબરૂપ જીવ તે વિજ્ઞાનમય, કારણ કે સ્કૂલ અન્તઃકરણ વિજ્ઞાન’ શબ્દથી વાચ્યું છે. સુષુપ્તિકાળમાં એ જ વિજ્ઞાનમય જીવની ઉપાધિ સૂક્ષ્મરૂપે વિલીન અવસ્થામાં રહેલું અન્તઃકરણ છે અને ત્યારે તે આનન્દમય કહેવાય છે. આમ આનન્દમય જીવ છે તેથી ઈશ્વરત્વની સિદ્ધિ થતી નથી.
ઉત્તર–એ જ માંડૂક્યઋતિમાં વાક્યશેષ દર્શાવે છે કે આનન્દમય જ ઈશ્વર છે. સર્વેશ્વર એટલે સર્વ જગતની ઉત્પત્તિને કર્તા. નિ એટલે ઉપાદાન. ભૂત (ઉત્પન્ન થયેલી સર્વ વસ્તુ)ના પ્રભવ (જન્મ) અને અયય (લય) સૌષુપ્ત આનન્દમયમાંથી અને તેમાં થાય છે તેથી એ જ સવની નિ છે.
તિમાં આનન્દમયને સર્વનું કલ્યો છે તેના સમર્થનમાં કહ્યું છે કે “સર્વ વસ્તુને વિષય કરનારી..” એક એક ધી (બુદ્ધિ) કોઈક કઈક વસ્તુને વિષય કરે છે; બધી ધી મળીને સવ જગતને વિષય કરે છે. આમ સર્વ બુદ્ધિ સવ વિષયક હેઈને સવબુદ્ધિની સમ અવસ્થારૂપ સવ બુદ્ધિવાસનાઓ પણ સવ વિષયક (સવ જેના વિષય છે તેવી) સિદ્ધ થાય છે. અને સવ પ્રાણીઓની બુદ્ધિઓની વાસનાઓ જેની ઉપાધિ છે તેવો આનન્દમય સર્વજ્ઞ છે એમ સિદ્ધ થાય છે. •
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org