SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રિાન્ત શસદ્ધ અને જે વિવરણ આદિમાં કહેલી રીતથી આ સામાનાધિકરણ્ય અભેદપરક હોય તે જીવવાચી શમ્ શબ્દ લક્ષણથી ભલે ફૂટસ્થપરક હો, કારણ કે અનધ્યસ્ત તે (ફૂટ) બ્રહ્મ સાથે અભેદની બાબતમાં ચગ્ય છે. વિવરણ: કોડ રેવદ્રત્તઃ- તે (પાંચ વર્ષ પહેલાં કલકત્તામાં વિદ્યમાન) આ (અહીં અત્યારે વિદ્યમાન) દેવદત્ત છે–એ વાકયમાં દેશવિશિષ્ટ કાલવિશિષ્ટ દેવદત્ત અને આ દેશ અને આ કાલથી વિશિષ્ટ દેવદત્તને અભેદ હોઈ શકે નહિ તેથી :- તે અને મયં–‘આ’ પદની જહદજહલક્ષણથી (વાચ્ય અને વિરોધી અંશ છોડી દેનાર અને અવિરોધી અંશ રાખનાર લક્ષણવૃત્તિથી) અભેદપરક અર્થ સ્વીકારવામાં આવે છે. પણ ચઃ રાજી: સ પુરુષ:-‘જેને ઝાડનું સૂકું ઠુંઠું માન્યું તે પુરુષ છે એ સામાનાધિકરણ્યયુક્ત વાક્યને બાધારૂપ વાકયાથ છે–પુરુષમાં આરેપિત પ્રતિભાસિક સ્થાણને વ્યાવહારિક પુરૂષ સાથે અભેદ વાક્યર્થ નથી કારણ કે એ બાધિત થાય છે, પણ સ્થાણુના આરોપમાં અધિષ્ઠાનભૂત પુરુષમાં વસ્તુત; સ્થાણુ સાથે તાદામ્યનો અભાવ છે એ બાધ વાકક્ષાર્થ છે. : સ્થાળુ: સ પુરુષઃ એ વાકયથી “વસ્તુતઃ પુરુષ સ્થાણુતાદામ્યાભાવવાળો છે' એ બોધ (જ્ઞાન) ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે જ બ્રહ્માશ્મિ વાકયથી “અહમર્થભૂત જીવના તાદામ્યથી શૂન્ય બ્રહ્મ જ છું' એ જ્ઞાન ઉત્પન્ન થાય છે. એ જ્ઞાનથી “હું જ્ઞાતા, કર્તા, સુખી, દુઃખી છું' વગેરે આરોપ કર્તવાદિ ધર્મથી વિશિષ્ટ અર્થરૂપ પિતાના વિષય સાથે નિઃશેષ નિવૃત્ત થાય છે. આરોપિત અહમર્થની નિવૃત્તિ થતાં જીવનું જે ફૂટસ્થચૈતન્યામક વાસ્તવરૂપ છે તે પૂર્ણ બ્રહ્મરૂપે રહે છે, તેથી અન્ય કૃતિઓ સાથે વિરોધ નથી. બાધને વાકથાર્થ તરીકે સ્વીકાર કરતાં યઃ સ્થાણુ ય પુરુષ એ વાક્યમાં પુરુષત્વ પદથી કલ્પિતસ્થાણુ તાદામ્યાભાવવત્વ વિવક્ષિત છે; અને મહું ગ્રહ્માદિમમાં ફૂટસ્થબ્રહ્મરૂપવ પદથી વસ્તુતઃ અહમર્થતાદામ્યાભાવવાળું ફૂટસ્થબ્રહ્મરૂપ વિવક્ષિત છે. બાધને જ વાકથાથધવિષય તરીકે સ્વીકાર હોવાથી દૃષ્ટાન્ન અને દાષ્ટ્રતિક બનેમાં અધિષ્ઠાન આરેપિત અર્થના અભાવવાળું છે અને આરોપિતાત્યન્તાભાવ અધિષ્ઠાનથી અતિરિક્ત છે એ મત સ્વીકારીને ઉપર પ્રમાણે કહ્યું છે એ ધ્યાનમાં રાખવું. “અસ્ત અહમર્થરૂપત્વની નિવૃત્તિ કરવામાં આવે છે' એ વચનથી અધ્યક્ત જે અહમથ, તકૂપવ, તત્તાદામ્યની નિવૃત્તિ કરવામાં આવે છે. એમ બોધફળ કહ્યું છે. મહાવાકયનું બાધપરકવ કપોલકલ્પિત નથી પણ સુરેશ્વરાચાર્ય નૈષ્કસ્પેસિદ્ધિમાં આ પ્રમાણે જ અર્થ બતાવ્યો છે. “મંદ અંધકારમાં જે સ્થાણુ જ્ઞાત થયો છે તે આ પુરુષ છે ' એ આપ્તવાક્યથી ઉત્પન્ન થતા “વસ્તુતઃ આ રથાણુ નથી પણ પુરુષ છે' એ જ્ઞાનથી “આ સ્થાણુ છે એ બુદ્ધિ (જ્ઞાન, સમજ)ને આરેપિત થાણુતાદામ્ય સાથે નાશ કરવામાં આવે છે; તેમ “હું બ્રહ્મ છું' એ વાકયથી ઉત્પન્ન થયેલા અહમર્થભૂતજીવતાદામ્પશૂન્ય બ્રહ્મ જ છું' એ જ્ઞાનથી “હું કરુ છે,' વગેરે પૂરેપૂરી અહં બુદ્ધિને આરેપિત અહમર્થ સાથે નાશ કરવામાં આવે છે. નિષ્કમ્યસિદ્ધિના લેકમાંના દિ શબ્દથી એવું દ્યોતન કરવામાં આવે છે કે મહાવાક્ષાર્થના જ્ઞાનથી અશેષ અનર્થની નિવૃત્તિ થાય * * છે એ હકીકત વિદ્વાનોને અનુભવથી સિદ્ધ છે. છે કેઈ શંકા કરે કે સામાન્યાધિકરણ્ય-વાકોમાં સામાન્ય રીતે અભેદરૂપ વાકષાર્થ - મુખ્ય હેય છે (ગીર, ભલો યુવાન દેવદત એવું વચન ગૌરવાદિનું તાદાભ્ય જ બતાવે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy