SearchBrowseAboutContactDonate
Page Preview
Page 687
Loading...
Download File
Download File
Page Text
________________ इह केचिच्छद्वा अक्तपरिमाणानामर्थानां वाचका भवन्ति य एते संख्याशद्वाः परिमाणशब्दाश्च । पञ्च सप्तेत्येकेनाप्यपाये न भवन्ति। द्रोणः खार्याढकमिति नैवाधिके भवन्ति न न्यूने। केचिद्यावदेव तद्भवति तावदेवाहुर्य एते जातिशद्वा गुणशद्वाश्च । तैलं घृतमिति खार्यामपि भवन्ति द्रोणेऽपि । शुक्लो नीलः कृष्ण इति हिमवत्यपि भवति वटकणिकामात्रेऽपि द्रव्ये । इमाश्चापि संज्ञा अक्तपरिमाणानामर्थानां क्रियन्ते ताः केनाधिकस्य स्युः॥ एवं ताचार्यप्रवृत्तिापयति तदेकदेशभूतं तद्ग्रहणेन गृह्यत इति यदयं नेदमदसोरकोः इति सककारयोरिदमदसोः प्रतिषेध शास्ति। कथं कृत्वा ज्ञापकम्। અહીં કેટલાક શબ્દો, જે આ સંખ્યાવાચી અને પરિમાણવાચી શબ્દો છે, તે ચોક્કસ વ્યાપવાળા અર્થોના વાચક હોય છે....જેમ કે પાંચ, સાત. તેમાંથી એક પણ ઓછો થાય તો તે (પાંચ કે સાત) ન રહે. દોણ, ખારી, આઢક એ (શબ્દો પણ) તે (દોણ વગેરે) થી વધારે કે ઓછું હોય તેને માટે પ્રયોજાતા) નથી. જયારે) કેટલાક જાતિવાચક અને ગુણવાચક (શબ્દ) છે તે જયાં સુધી તે (નો સંજ્ઞી ઓછો કે વધારે હોય) ત્યાં સુધી તેનો અર્થ બતાવે છે. તેલ, ઘી જેવા (જાતિવાચક શબ્દો તે ઘી વગેરે) ખારી જેટલાં હોય તો પણ પ્રયોજાય છે અને દોણ જેટલાં હોય તો પણ. શ્વેત, નીલ, કૃષ્ણ એ ગુણવાચક શબ્દો હિમાલય (જેવા વિરાટકાય) માટે (પ્રયોજાયો છે અને વડના બીજ જેવડી (સૂક્ષ્મ) વસ્તુ માટે પણ પ્રયોજાય છે. આ (શાસ્ત્રમાંની) સંજ્ઞાઓ પણ નિશ્ચિત પરિમાણવાળા (સંજ્ઞીભૂત) શબ્દોની જ કરવામાં આવે છે, એટલે તેનાથી જે વધારે હોય તેની સંજ્ઞા) કેવી રીતે થાય ? એમ છે. ત્યારે આચાર્યના વ્યવહાર ઉપરથી સૂચવાય છે કે તેનું અર્થાત્ સૂત્રમાં મૂકેલ) નું ગ્રહણ કરવાથી તેના અવયવભૂતનું પણ ગ્રહણ થાય છે, કારણ કે તેમણે મનેમોરોઃ માંડ -કાર યુક્ત રુમ્ અને મન્ નો પ્રતિષેધ કર્યો છે. કેવી રીતે જ્ઞાપક છે ? 354 Hપરિમાણ એટલે કે જેનું માપ (=અર્થ) નિશ્ચિત હોય છે. પાંચ, સાત જેવા સંખ્યાવાચી શબ્દ, પાંચ અને સાત એ પરિમિત અર્થ જ બતાવે, જો તેમાંથી એક ઓછો કે વધારે હોય તો તે પાંચ કે સાત ન કહેવાય. તે રીતે દ્રોળ , વારી વગેરે જે અનાજ નાં માપ છે તેમાં પણ થોડું ઓછું કે વતું હોય તો તે અનાજ દોણભર કે ખારીભર ન કહેવાય. આ નિશ્ચિત વ્યાપવાળા શબ્દો છે. અમુક જત્થો હોય કે અમુક વસ્તુઓ હોય તો જ તેને વિશે જે તે શબ્દ પ્રયોજી શકાય, અન્યથા નહીં. પરંતુ જાતિવાચક અને ગુણવાચક શબ્દોની બાબતમાં તેમ નથી હોતું.જેમ કે તેલ, ઘી એ જાતિવાચક શબ્દો એક ટીપું તેલ કે ઘી હોય તો પણ તેને તેલ કે ઘી કહી શકાય અને મણ ઘી હોય તો પણ તે તેલ કે ઘી છે તેમ કહેવાય, અર્થાત્ અહીં જત્થો અપેક્ષિત નથી. તે રીતે શ્વેત, નીલ, કૃષ્ણ વગેરે ગુણવાચક શબ્દોની બાબતમાં છે. હિમાલય જેવા હિમરાશિપણ શ્વેત છે એમ કહેવાય અને વડનું સૂક્ષ્મ બીજ પણ શ્વેત છે એમ કહી શકાય. અહીં પણ દવ્ય મોટું હોય કે નાનું છતાં તેમાં રહેલ શ્વેત વગેરે ગુણને વિશે શ્વેત,નીલ વગેરે શબ્દો યોગ્ય રીતે પ્રયોજી શકાય છે. તે રીતે આ વ્યાકરણ શાસ્ત્રમાં જે સંજ્ઞાઓ છે તે પણ ગરિમાણ છે. તે જેને વિશે કરવામાં આવી હોય તેને જ તે સંજ્ઞા સૂચવે. તેથી વધારે કે ઓછું હોય તેને ન સૂચવે. તેથી સર્વ ને સર્વનામ સંજ્ઞા કરી છે તે સર્વ ને જ લાગુ લાગુ પડે, પરંતુ અન્ યુક્ત સર્વને, અર્થાત્ સર્વ ને લાગુ ન પડી શકે, કારણ કે શબ્દો તે નિત્ય છે. તેમાં વિકાર કે વધારો થતો નથી પછી સર્વ એ સર્વા છે એમ કેવી રીતે સંભવી શકે ! પરિણામે સર્વ ને સર્વનામ સંજ્ઞા ન થવાથી નસ ફી પ્રમાણે નસ્ નો રી આદેશ ન થતાં સર્વ રૂપ સિદ્ધ ન થઇ શકે એમ અહીં ભાવ છે.અહીં દલીલ થઇ શકે કે કૂતરાને ગૂમડું થયું હોય, તે રૂપી વધારો થયો હોય, તો પણ તે શ્વા તો રહે જ છે તેનું જત્વ નાશ પામતું નથી તેમ સર્વ ને સન્ લગાડવામાં આવે, એટલે કે તે સર્વલા થાય તેથી તેનું સર્વ- શબત્વ નષ્ટ થતું નથી અને તેથી સર્વજ એ સર્વ છે એમ સમજાશે. એ પ્રકારની દલીલ ઉચિત નથી, કારણ કે ઉપર જોયું તેમ શબ્દ નિત્ય છે, વિકાર-ઉપજન રહિત છે. વાસ્તવમાં સૂત્રમાં પરિચ્છિન્ન પરિમાણ (ચોકકસ માપ દર્શાવતા) શબ્દનું ગ્રહણ કર્યું હોય ત્યાં વિવત ન્યાય લાગુ પડતો નથી એમ ભાષ્યનો આશય 355 નેત્રો માં -કાર રહિત મ્ અને સ્ ની પર થતા મિન્ નો પેસ્ નથી થતો એમ કહ્યું છે, પરંતુ કાર્ય તો , ગર્ ને અનુલક્ષીને કહેવામાં આવ્યું છે, કારણ કે વા યુક્ત ટ્રમ્ અને ગર્ ને લાગુ પડે તેવી કોઈ શક્યતા જ નથી. છતાં સૂત્રકારે મોઃ એમ કહીને પ્રતિષેધ કર્યો છે તેથી સૂચવાય છે કે વ-કારયુક્ત દ્ગમ અને વસ્ (એટલે કે રૂમ અને મમુ) એ મેં અને કહ્યું જ દરર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005538
Book TitleVyakaran Mahabhashya Navahnik Satik Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorPradyumna R Vora
PublisherL D Indology Ahmedabad
Publication Year2004
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy