SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ अथ गौरित्यत्र कः शब्दः। किं यत्सास्नालालककुदखुरविषाण्यर्थरूपं स शब्दः। नेत्याह। द्रव्यं नाम तत्। यत्तर्हि तदिङ्गितं चेष्टितं निमिषितं स शब्दः। नेत्याह क्रिया नाम सा। यत्तर्हि तच्छुक्लो नीलः कृष्णः कपिलः कपोत इति स शब्दः। नेत्याह । गुणो नाम सः। यत्तर्हि तद्भिन्नेष्वभिन्नं छिन्नेष्वच्छिन्नं सामान्यभूतं स शब्दः। नेत्याह। आकृति म सा। कस्तर्हि शब्दः। येनोच्चारितेन सास्नालाङ्गेलककुदखुरविषाणिनां संप्रत्ययो भवति स शब्दः। अथवा प्रतीतपदार्थको लोके ध्वनिः शब्द इत्युच्यते। तद्यथा - शब्द कुरु। मा शब्द कार्षीः । शब्दकार्ययं माणवकः। इति ध्वनि कुर्वन्नेवमुच्यते। तस्माद् ध्वनिः शब्दः॥ कानि पुनः शब्दानुशासनस्य प्रयोजनानि । रक्षोहागमलध्वसंदेहाः प्रयोजनम्। હવે ગૌઃ ” માં 'શબ્દ કયો છે? (અર્થાત્ શબ્દ કોને કહેશો?) ગળે ગોદડી, પૂંછડી, ખૂધ, ખરી, શીંગડાં વગેરેવાળો પદાર્થ તે શબ્દ છે? (વૈયાકરણ) કહે છે, ના એ તો દવ્ય થયું. તો પછી તેનાં જે ચેષ્ટા, હલનચલન, આંખો પટપટાવવી, વગેરે છે તે શબ્દ છે? (વૈયાકરણ) કહે છે, ના તે તો ક્રિયા છે. તો પછી જે ધોળો, કાળો, કપિલ વર્ણો કે ભૂખરો છે તે શબ્દ છે? (વૈયાકરણ) કહે છે, ના તે તો ગુણ કહેવાય. તો પછી જુદી જુદી વ્યક્તિઓમાં એકરૂપે રહેલું, તેમનો નાશ થતાં પણ જે નાશ પામતું નથી એવું સામાન્ય સ્વરૂપ તે શબ્દ છે? (વૈયાકરણ) કહે છે, ના તે તો જાતિ છે. તો પછી શબ્દ કયો? (અર્થાત્ શબ્દ કોને કહીશું?) જે ઉચ્ચારવામાં આવતાં, ગળે ગોદડી, પૂંછડી, ખૂધ, ખરી અને શીંગડાવાળી વ્યક્તિઓનું જ્ઞાન(શ્રોતાને) થાય તે “શબ્દ” છે, અથવા તો વ્યવહારમાં જેનો પ્રસિધ્ધ અર્થ અવાજ (ધ્વનિ) છે તેને શબ્દ કહેવામાં આવે છે. જેમ કે કોઇ અવાજ કરતું હોય તો આ પ્રમાણે કહેવામાં આવે છે, "અવાજ કર," " "અવાજ કરીશ નહીં ", "આ છોકરો તો અવાજ કરે છે". આમ અવાજ (ધ્વનિ) એ જ શબ્દ છે. તો પછી 10 શબ્દાનુશાસનના ફાયદા કયા છે? (વેદની) રક્ષા, ઊહ (વૈદિક મંત્રોની વિભક્તિઓમાં અનુરૂપ ફેરફાર કરવાની આવડત), વેદાધ્યયન, લાઘવ, સરળતા અને સંદેહનો નિરાસ એ લાભ છે. रक्षार्थ वेदानामध्येयं व्याकरणम्। लोपागमवर्णविकारज्ञो हि सम्यग्वेदान्परिपालयिष्यति। ऊहः खल्वपि। न सर्वैलिङ्गैर्न च सर्वाभि -विभक्तिभिर्वेद मन्त्रा निगदिताः। ते चावश्यं यथायथं विपरिणमयितव्याः। तान्नावैयाकरणः शक्नोति विपरिणमयितुम्। तस्माद -ध्येयं व्याकरणम्। आगमः खल्वपि। ब्राह्मणेन 1 ઃ એ શબ્દ અને તેનો અર્થ વ્યવહારમાં અભિન્ન રીતે પ્રયોજાય છે. તેમાં શબ્દ સ્વરૂપ નક્કી કરવાના હેતુથી આ પ્રશ્ન કરવામાં આવ્યો છે . એમ જે કહ્યું તેમાં જેને શબ્દ તરીકે ઓળખવામાં આવે છે તે કયો છે? મથે મૈઃ | એમ જ્યારે કહેવામાં આવે ત્યારે ધ્વનિ, જાતિ, વ્યક્તિ, ગુણ, ક્રિયા વગેરે અનેક વસ્તુનું ભાન થાય છે. તેમાં શબ્દ કયો? જેTોત્વ નું ભાન થાય છે તે જાતિ છે, અર્થર્મિયાકારી * ગોપિંડનું ભાન થાય છે તે દિવ્ય અથવા વ્યક્તિ છે. જે શુક્લ, કૃષ્ણ વગેરેનું ભાન થાય છે તે ગુણ છે. જે હલન, ચલન વગેરેનું ભાન થાય છે તે ક્રિયા છે.તેથી એ સર્વ શબ્દ નથી પણ જે દ્વારા પદાર્થનો બોધ થાય છે તે વર્ણ રૂપ ધ્વનિસમુદાય એ જ શબ્દ. લોકવ્યવહારમાં પણ વાણીનો પ્રયોગ કરનાર લોકોમાં ધ્વનિ જ પદાર્થનો બોધ કરાવનાર તરીકે પ્રસિદ્ધ છે. તેથી શબ્દ એટલે ધ્વનિ (જુઓઃ શ્રોત્રો ાર્થે હો રીરીન્દ્રઃ પ્રસિદ્ધઃ | તે ૨ શ્રોત્રગ્રહNI: *શRવિસર્ગનીયા: ની સૂ.૧-૧-૨ અને ૮.શા.ભા. પૃ. ૪૫ અને ૭૪). * તોષિા (ગાય દોહ) એમ કહેવામાં આવે ત્યારે દોહન રૂપી અર્થ સિદ્ધ કરવા માટે જો વ્યક્તિ ઉપયોગી છે ગોત્ર જાતિ નહીં, કારણ કે ગોત્રનું દોહન ન થઈ શકે. તેથી વ્યક્તિ અર્થર્મિયાકારી છે. 8 મારુતિ એટલે આકાર નહીં પણ જાતિ જ થાય છે (ભર્ત.૫.૪) નાગેશ પ્રમાણે આકૃતિ એટલે જાતિ અને આકાર, 9 રાત્રે સુતા એવું કાકમિશ્ર વાક્ય વધુ પડતો ઘોઘાટ કરનારને અવાજ કરતો અટકાવવા માટે, અતિશય અવાજ કરનારને અનુલક્ષીને ‘આ છોકરો તો અવાજ કરે છે અવાજ કરનારને રોકવા માટે “અવાજ કર મા” એમ પ્રયોજવામાં આવે છે (ભર્તુ.પૃ.૫). 1૦ પુનઃ - (તો પછી), એટલે કે શબ્દજ્ઞાન એ વ્યાકરણના અધ્યયનનું ફળ થયું પરંતુ તે જ્ઞાન મેળવ્યાથી અન્ય કોઇ ફાયદો છે કે કેમ એમ અહીં પૂછવા માગે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005538
Book TitleVyakaran Mahabhashya Navahnik Satik Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorPradyumna R Vora
PublisherL D Indology Ahmedabad
Publication Year2004
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy