SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ प्रथमाह्निकम् (पस्पशाह्निकम् ) ॥ अथ शब्दानुशासम्। ___अथेत्ययं शब्दोऽधिकारार्थः प्रयुज्यते। शब्दानुशासनं नाम शास्त्रमधिकृत वेदितव्यम्। केषां शब्दानाम्। लौकिकाना वैदिकानां च। तत्र लौकिकास्तावत् गौः अश्वः पुरुषो हस्ती शकुनिर्मूगो ब्राह्मण इति । वैदिकाः खल्वपि-शं नो देवीरभिष्टये। इषे त्वोर्जे त्वा। अग्निमीळे पुरोहितम्। अग्न आ याहि वीतये । इति। પ્રથમઆહ્નિક (પસ્પશાનિક) હવે શબ્દાનુશાસનનો પ્રારંભ થાય છે. હવે (થ) શબ્દ પ્રારંભના અર્થમાં પ્રયોજવામાં આવે છે. શબ્દાનુશાસન નામના શાસ્ત્રનો પ્રારંભ થાય છે એમ સમજવું. કયા શબ્દોનું અનુશાસન કરવામાં આવે છે? વ્યવહારમાં પ્રયોજાતા (લૌકિક) અને વેદમાં પ્રયોજાતા (વૈદિક) શબ્દોનું. તેમાં વ્યવહારમાં પ્રયોજાતા શબ્દો તો નૈ, અશ્વ, પુરુષ, હસ્તી, રીનિઃ , મૃ, ત્રાહિ વગેરે છે. જયારે વૈદિક શબ્દો પણ રા નો વીમિષ્ટ ! (અથર્વ ૦ ૧-૧-૧) જે ત્વોર્ને ત્યા (યજુ ૦ ૧-૧-૧), માન પુરોહિતમ્ (ઋ. ૧-૧-૧), અન્ન મા વાહિ વીતા (સામ ૦ ૧-૧-૧) એમ છે. श्रीगणेशाय नमः। "મથ શબ્દ અધિકાર અર્થાત્ પ્રસ્તાવના અર્થમાં છે. એટલે કે જેનું વ્યાખ્યાન કરવાનું છે તેનો પ્રારંભ થાય છે. મથ નિપાત ક્રિયાના પ્રારંભનો ઘાતક હોવા છતાં માત્ર ઉચ્ચારણને બળ માંગલ્ય સૂચક છે. મહર્ષિ દયાનંદ આ વાક્યને પાણિનિનું સૂત્ર ગણે છે (૮ પાનીએ સૂત્રમ્ અષ્ટા.ભાગ.ભા.૧,પૃ.૧) વોથ.ની આવૃત્તિમાં પણ આ પ્રથમ સૂત્ર છે. ? વેદાધ્યયનની જેમ વ્યાકરણનું અધ્યયન નિત્ય કર્મ છે તેથી ભગવાન પાણિનિએ અષ્ટાધ્યાયીનું પ્રયોજન દર્શાવ્યું નથી. પ્રત્યવાયના પરિવાર માટે જેમ સંધ્યાવંદનાદિ કર્મ કરવામાં આવે છે તેમ “ ફળની અપેક્ષા રાખ્યા વિના બાહ્મણે ધર્મ-છ વેદાંગો સહિત વેદ-નો અભ્યાસ કરવો જોઇએ અને તે જાણવો જોઇએ,’ એ વચન અનુસાર વ્યાકરણનું અધ્યયન કરવામાં આવે છે. ટીકાકારો માને છે કે નથ રાબ્દનુરાસનમ્ એ શબ્દો દ્વારા ભાષ્યકાર વ્યાકરણનું સાક્ષાત્ પ્રયોજન અને વિષય સૂચવે છે. દયા અનુસાર સૂત્રકારે જ પ્રયોજન દર્શાવ્યું છે તેમ સમજાશે. વિવેકપૂર્વક બોધ કરાવવો એ અર્થના મનુ રાજ્ ધાતુને કરણના અર્થમાં ન્યુમ્ (મન) લાગીને અનુશિષ્યન્તડસપુષ્પો વિવિચ જ્ઞાત્તેિ સધુરીન્દ્રા નેન તિા અશુદ્ધ શબ્દોથી છૂટા પાડીને શુદ્ધ શબ્દોનો જેના દ્વારા બોધ કરાવવામાં આવે છે તે (રાદ્ધનામનુરાસન). આમ શબ્દાનુશાસન એ વ્યાકરણનું યથાર્થ નામ છે. * શુદ્ધ શબ્દોનો બોધ કરાવવો તે વ્યાકરણનું પ્રયોજન છે અને તેમાં ઉપદેશેલા સાધુ શબ્દોનો પ્રયોગ કરવો પણ અસાધુ શબ્દોનો પ્રયોગ ન કરવો” એમ સૂચન કરીને પ્રવૃત્તિ તેમ જ નિવૃત્તિ બન્નેનો ઉપદેશ કરે છે તેથી વ્યાકરણ એ શાસ્ત્ર છે. * શબ્દાનુશાસન એ સમાસમાં સામાન્ય અર્થમાં પ્રયોજાતા “શબ્દ” એ શબ્દનો પ્રયોગ કર્યો છે તેથી વીણાનું કવણન, કાગડાનો કર્કશ ધ્વનિ, અપભ્રંશ વગેરેને પણ તે લાગુ પડે છે. તે નિવારવા માટે કયા શબ્દોનું એ પ્રશ્ન કરે છે. 5 લૌકિક અને વૈદિક શબ્દો આ શબ્દાનુશાસનનો વિષય છે. તેમાં વેદમાં મળી આવે તે વૈદિક અને લોકવ્યવહારમાં મળતા અથવા જાણીતા તે લૌકિક શબ્દો. તેથી પ્રાતિશાખ્યમાં જેમ કેટલાક વૈદિક શબ્દો જ વિષયભૂત છે તેમ અહીં નથી. તે જ રીતે શાકટાયન વગેરેના વ્યાકરણ ગ્રન્થોની જેમ અહીં વૈદિક શબ્દોનો પરિત્યાગ પણ નથી કરવામાં આવ્યો એમ સૂચવાય છે. ભાગમાંનો તિ શબ્દ પ્રકાર દર્શાવે છે, એટલે કે લૌકિક શબ્દો નૌ, અશ્વ: વગેરે પ્રકારના છે. લૌકિક શબ્દોમાં પીવપર્ય નિશ્ચિત હોતું નથી તેથી છૂટાં પદો ઉદાહરણ રૂપે આપ્યાં છે. જયારે વેદ અપૌરુષેય છે. તેમાં પદોનું પૌર્વાપર્ય નિયત હોય છે તેથી શબ્દોનાં ઉદાહરણ માટે આખાં વાક્યોનો નિર્દેશ કરવામાં આવ્યો છે. તેમ છતાં આ વ્યાકરણ શાસ્ત્રમાં તો તેમાંના શબ્દોનું જ અનુશાસન કરવામાં આવે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005538
Book TitleVyakaran Mahabhashya Navahnik Satik Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorPradyumna R Vora
PublisherL D Indology Ahmedabad
Publication Year2004
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy