SearchBrowseAboutContactDonate
Page Preview
Page 661
Loading...
Download File
Download File
Page Text
________________ अण्सवर्णस्येत्युच्यते। स्वरभेदादानुनासिक्यभेदात्कालभेदाच्चासवर्णान्न गृह्णीयात्। इष्यते च सवर्णग्रहणं स्यादिति। तच्चान्तरेण यत्नं न सिध्यतीत्येवमर्थमिदमुच्यते॥ अस्ति प्रयोजनमेतत्। कि तहीति । तत्र प्रत्याहारग्रहणे सवर्णाग्रहणमनुपदेशात् ॥२॥ तत्र प्रत्याहारग्रहणे सवर्णानां ग्रहणं न प्राप्नोति। अकः सवर्णे दीर्घ इति। किं कारणम्। अनुपदेशात्। यथा जातीयकानां संज्ञा कता तथाजातीयकानां संप्रत्यायिका स्यात्। ह्रस्वानां च क्रियते ह्रस्वानामेव संप्रत्यायिका स्याद्दीर्घाणां न स्यात्॥ ननु च ह्रस्वाः प्रतीयमाना दीर्घान्संप्रत्याययिष्यन्ति। મનું સવસ્થ૦ એમ કહેવામાં આવ્યું છે તે એટલા માટે કે (ઉદાત્ત વગેરે) સ્વરના ભેદને કારણે,અનુનાસિક હોવાને કારણે અને (ઉચ્ચારણ) કાળને કારણે તે (વણ)માં તફાવત છે તેથી અ[ (વણ) સવર્ણોનું ગ્રહણ ન કરી શકે પણ સવર્ણનું ગ્રહણ થાય તે ઇષ્ટ છે અને તે (ખાસ) યત્ન વિના સિદ્ધ નથી થતું. તે માટે આ (સૂત્ર) ઉચ્ચારવામાં આવ્યું છે. શું એ પ્રયોજન છે? તો પછી શું પ્રયોજન છે)? (કારણ કે, તેમ થતાં (સૂત્રમાં) જયાં પ્રત્યાહારનું ગ્રહણ હોય ત્યાં સવર્ણનું ગ્રહણ નહીં થાય, કારણ કે તેનું પ્રત્યાહારમાં) ઉચ્ચારણ નથી મારા 287 તેમ થવાથી : સવળે વીર્ધા (જેવામાં) જયાં પ્રત્યાહારનું ગ્રહણ કરવામાં આવ્યું હોય ત્યાં સવર્ણોનું ગ્રહણ ન થવાનો પ્રસંગ આવે છે. (તેમ થવાનું) શું કારણ ? ઉચ્ચારણ કરવામાં આવ્યું નથી તે કારણે. જે પ્રકારના (વર્ણ) ની સંજ્ઞા કરવામાં આવી હોય તે પ્રકારના (વર્ણ) નો તે બોધ કરાવે અને સંજ્ઞા તો હસ્વ (વર્ગોની કરવામાં આવે છે, તેથી તે) હસ્વ (વર્ણો) નો જ બોધ કરાવશે, દીર્ઘ (વર્ણો)નો નહીં કરાવે. અરે (અમે કહીએ છીએ કે) હસ્વનો બોધ થયા પછી તે) દીર્ધનો બોધ કરાવશે. 288 તેમ જ અનનુનાસિક એમ બે ભેદ હોય છે. આ વર્ષોમાં આ પ્રકારના ભેદને કારણે સવર્ણગ્રહણ ન થવાનો પ્રસંગ આવે છે પરંતુ પ્રકૃત સૂત્ર કરવામાં આવે તો સવર્ણગ્રહણ થઈ શકશે એમ અહીં કહેવા માગે છે. અહીં મધુરિત્સવી છે એમ ન કહેતાં વા.(૧) માં મદ્ સવી છે એમ કહ્યું છે તે એટલા માટે કે શુત્ર, પુત્વ વગેરે જાતિ છે એમ માનવા માટે કોઈ પ્રમાણ નથી તેથી વા.માં હિત ને સમાવેલ નથી. 287 મન: (સવ ) વ સ જેવાં સૂત્રોમાં ગાકિચેન દેતા પ્રમાણે બનેલ મન્, મત્ર વગેરે સંજ્ઞાઓ મૂકીને તે દ્વારા ટૂ-કાર વગેરેની પ્રતીતિ કરાવી છે પરંતુ તે હસ્વ હૃ-કાર વગેરે દ્વારા દીર્ઘ કાર વગેરેનો બોધ નહીં થઈ શકે કારણ કે પ્રત્યાહારમાં દીર્ઘ વર્ગોનું ગ્રહણ નથી, અક્ષરસમાપ્નાયમાં તેમનું સાક્ષાત્ ઉચ્ચારણ કરવામાં આવ્યું નથી. વળી હસ્વ હૃ-કાર વગેરે પણ ન વગેરે સંજ્ઞાઓ દારા પ્રતીત થાય અને તે જ વખતે, સાથોસાથ દીર્ઘ કાર વગેરેની પ્રતીતિ કરાવે, અર્થાત્ પ્રત્યાય અને પ્રત્યાયક એક સાથે થાય તે પરસ્પર વિરુદ્ધ થશે. આમ સૂત્રમાં પ્રત્યાહારનું ગ્રહણ કર્યું હોય ત્યારે દીર્ઘ વગેરેની પ્રતીતિ નહીં થઈ શકે. આ ઉપરાંત કે. આ વા. અન્ય રીતે સ્પષ્ટ કરે છે. એ , મર્ વગેરેમાં ટુ વગેરે હસ્વ વણ દ્વારા દીર્ઘ વણોનું ગ્રહણ નહીં થઈ શકે, કારણ કે તે પ્રત્યાહારોમાં હસ્વ ર્ વગેરેનું સાક્ષાત્ ઉચ્ચારણ કરવામાં આવ્યું નથી. આ બે ખુલાસામાં ફરક એટલો જ છે કે પ્રથમ અનુસાર દીર્ઘ વર્ગોનું અક્ષરસમાનાયમાં ઉચ્ચારણ નથી તેથી તેમનું હસ્વ દ્વારા ગ્રહણ નહીં થઈ શકે. જયારે બીજા ખુલાસા પ્રમાણે હસ્વ હૃવગેરે દીર્ઘનું ગ્રહણ નહીં કરી શકે, કારણ કે મહૂ વગેરે પ્રત્યાહારોમાં હસ્વ નું સાક્ષાત્ ઉચ્ચારણ નથી.ભાષ્યકારને પ્રથમ ખુલાસો અભિપ્રેત છે. 288 જેનું સાક્ષાત્ ઉચ્ચારણ કરવામાં આવે તે વર્ણ જ અન્ય વર્ણની પ્રતીતિ કરાવે એમ નથી. વાસ્તવમાં શબ્દ જયારે બુદ્ધિમાં ઉપસ્થિત થાય ત્યારે બોધ કરાવે છે. ઉપસ્થિતિ બે રીતે થઈ શકે, પ્રત્યક્ષરૂપે અને સ્મૃતિ રૂપે. આમ કવચિત્ સાક્ષાત્ ઉચ્ચારણ કરવાથી અર્થાત્ પ્રત્યક્ષ દ્વારા અને ક્વચિત્ સંજ્ઞા દ્વારા સ્મૃતિ રૂપે થાય છે. આમ હોવાથી પ્રત્યક્ષ ઉચ્ચારણ કર્યું હોય ત્યારે જ દીર્ઘ વગેરેની પ્રતીતિ થાય એવો કોઇ નિયમ નથી. જો તે પ્રમાણે હોય તો તો પુસ્તક વગેરેમાં લિપિ દ્વારા પદોની સ્મૃતિ થવાથી જે અર્થ બોધ થાય છે તે ન થવાનો પ્રસંગ આવશે, કારણ કે પુસ્તકમાં લિપિ રૂપ સંજ્ઞાઓનો પ્રયોગ હોય છે. તેમાં પદોનું સાક્ષાત્ ઉચ્ચારણ નથી હોતું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005538
Book TitleVyakaran Mahabhashya Navahnik Satik Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorPradyumna R Vora
PublisherL D Indology Ahmedabad
Publication Year2004
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy