SearchBrowseAboutContactDonate
Page Preview
Page 598
Loading...
Download File
Download File
Page Text
________________ यावत एवावधेः स्वादौ पदमिति तावता एवावधेः सुबन्तं पदमिति । अस्ति च प्रत्ययलक्षणेन यजादिपरतेति कृत्वा भसंज्ञा प्राप्नोति ॥ तुग्दीर्घत्वयोश्च विधिप्रतिषेधानुपपत्तिरेकयोगलक्षणत्वात्परिवीरिति ॥१०॥ तुग्दीर्घत्वयोश्च विप्रतिषेधो नोपपद्यते। क्व। परिवीरिति। किं कारणम्। एकयोगलक्षणत्वात्। एकयोगलक्षणे तुग्दीर्घत्वे। इह लुप्ते प्रत्यये सर्वाणि प्रत्ययकार्याणि पर्यवसन्नानि भवन्ति । तान्येतेन प्रत्युत्थाप्यन्ते। अनेनैव तुगनेनैव च दीर्घत्वमिति। तदेकयोगलक्षणं भवति। एकयोगलक्षणानि च न प्रकल्पन्ते॥ જેટલા અવધીભૂત (શબ્દસ્વરૂ૫) ની સ્વાદ્રિ પર થતાં (સ્વાદ્રિધ્વર્સનામસ્થાનો એ પ્રમાણે) ૬ સંજ્ઞા(થશે), તેટલા જ અવધીભૂત (શબ્દ સ્વરૂપ) ની સુવન્ત તે પણ પદ (સુતિદન્ત ) એ પ્રમાણે પદ સંજ્ઞા (થાય છે) અને પ્રત્યયલક્ષણને કારણે અનાદ્રિ પર થવાથી (જે મમ્ પ્રમાણે) મ સંજ્ઞા પ્રાપ્ત થાય છે. પરિવીઃ માં તુ આગમ અને દીર્ઘ આદેશ એ બેનું નિમિત્ત એક સૂત્ર હોવાથી તેમનો પરસ્પર વિરોધ અનુચિત છે ૧૦ તુજ (વિધિ) અને દીર્ઘ આદેશ (ને લગતા વિધિ) માં પરસ્પર વિરોધ હેય તે ઉચિત નથી. ક્યાં વિરોધ ઉચિત નથી)? રિવીઃ માં. શા માટે (નથી )? છે કારણ કે એક (જી સૂત્ર (તે બેનું) નિમિત્ત છે, (એટલે કે, તુ આગમ અને દીર્ઘ આદેશનું નિમિત્તભૂત સૂત્ર એક છે. અહીં પ્રત્યાયનો લોપ થતાં પ્રત્યય પર આધારિત બધાં કાર્યો મૃત બની જાય છે. તેમને આ (પ્રત્યલક્ષણ સૂત્રો દ્વારા ફરી ઊભાં કરવામાં આવે છે. આ (સૂત્ર) થી જ તુ આગમ અને એથી જ દીર્ઘ આદેશ (નું વિધાન કરવામાં આવે છે), તેથી તે બન્ને કાર્યો) એક સૂત્ર ઉપર આધારિત થાય છે અને જે એક સૂત્ર ઉપર આધારિત હોય તેવાં કાર્યો સિદ્ધ થતાં નથી. થી પદ સંજ્ઞા થતી નથી, કારણ કે એ સંજ્ઞા તેનો બાધ કરે છે તેથી ત્યાં – લોપ નહીં થાય,પરંતુ રાનપુરુષ એ સમાસ થતાં પહેલાં રાજ્ઞ એ ષષ્ઠી વિભક્વન્તને સુતરો પ્રમાણે પદસંજ્ઞા થાય છે તેથી રાનન એ પૂર્વપદ પ્રત્યયલક્ષણથી સુવન્ત હોવાથી સમાસમાં પદ સંજ્ઞા થઇને લોપ થશે. પરંતુ પ્રત્યય વિદ્યમાન ન હોય ત્યારે માત્ર રાજન્ શબ્દ જબચે છે તેથી વાષ્યિ પ્રમાણે જે પદ સંજ્ઞા થાય છે તે અને સુખડન્ત થી જે પદ સંજ્ઞા થાય છે તે બન્ને માટે પૂર્વના અવયવનો અવધીભૂત માત્ર રાનનું એટલો જ અંશ છે. આમ થવાથી રાજ્ઞ માં અવધિ ભેદને કારણે એ સંજ્ઞા અવયવની વાષ્યિ૦ થી થતી સંજ્ઞાનો બાધ કરી શકશે પણ સમાસમાં પ્રત્યાયનો લોપ થયો હોવાથી આગળ જોયું તેમ અવધિ ભેદ રહેતો નથી તેથી પ્રત્યયલક્ષણથી (એટલે કે પ્રત્યયલક્ષણને કારણે ટસ્ એ અનાદ્રિ પ્રત્યય પર છે તેમ સમજાશે તેથી) પ્રાપ્ત થતી એ સંજ્ઞા, સ્વાદ્રિષ્ય થી થતી નો અપવાદ લેવાથી અને સુરતન્ત થી થતી સંજ્ઞાનો પર હોવાથી, એમ બન્ને પ્રકારની પદ સંજ્ઞાનો બાધ કરશે એ પ્રમાણે અહીં દલીલ છે. 59 વી --પરિ વિવ--ર-વપરનારીના૦ થી સંપ્રસારણ સમ્પ્રસાર/શા પૂર્વ રૂપ એકાદેશ--રિવિ--હ થી દીર્ઘ--પરિવી. અહીં વિવ૫ લોપ થયા પછી પ્રત્યો એ એક યોગને કારણે પરિવિ એ સ્થિતિમાં સ્વી વિતિ થી તુ અને હા થી સંપ્રસારણનો દીર્ઘ એ બન્ને પ્રાપ્ત થાય છે અને બન્ને કાર્યોનું નિમિત્ત એક જ સૂત્ર (થો ઋક્ષ) છે તેથી વચ્ચે કમ કે પૌવપર્ય ન હોવાથી તેમનો વિપ્રતિષેધ સંભવિત નથી, કારણ કે પ્રત્યય લુપ્ત થતાં પ્રસ્તુત સૂત્રદ્ધારા બન્ને પ્રત્યયલક્ષણ કાર્યોનું વિધાન થાય છે. પર્થવસન્નાને મૃતાનિ (ના.) એ મૃત એટલે કે અપ્રાપ્ત કાર્યોને પ્રત્યયલક્ષણ સૂત્ર ફરી ઊભાં કરે છે તેથી પૌવપર્યના અભાવે પર સૂત્ર પૂર્વ (ત વિધાયક) સૂત્રનો બાધ નહીં કરી શકે તેથી જ ભાષ્યકાર કહે છે ક્રિયાક્ષનિ વાળ ને પ્રત્યુત્તે અર્થાત્ એક જ સૂત્ર જે કાર્યોનું નિમિત્ત હોય તે કાર્યો સિદ્ધ થતાં નથી. ५३३ Jain Education International For Personal & Private Use Only www.ainelibrary.org
SR No.005538
Book TitleVyakaran Mahabhashya Navahnik Satik Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorPradyumna R Vora
PublisherL D Indology Ahmedabad
Publication Year2004
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy