SearchBrowseAboutContactDonate
Page Preview
Page 457
Loading...
Download File
Download File
Page Text
________________ प्रत्यात्मवचनं च वक्तव्यम्। किं प्रयोजनम्। यो यस्यान्तरतमः स तस्य स्थाने यथा स्यादन्यस्यान्तरतमोऽन्यस्य स्थाने मा भूदिति ॥ प्रत्यात्मवचनमशिष्यं स्वभावसिद्धत्वात्॥७॥ प्रत्यात्मवचनमशिष्यम्। किं कारणम्। स्वभावसिद्धत्वात्। स्वभावत एतत्सिद्धम्। तद्यथा। समाजेषु समाशेषु समवायेषु चास्यतामित्युक्ते न चोच्यते प्रत्यात्ममिति प्रत्यात्म चासते॥ अन्तरतमवचनं च ॥८॥ अन्तरतमवचनं चाशिष्यम्। योगश्चाप्ययमशिष्यः। कुतः। स्वभावसिद्धत्वादेव। तद्यथा। समाजेषु समाशेषु समवायेषु चास्यतामित्युक्ते नैव कशा कशैः सहासते न पाण्डवाः पाण्डुभिः । येषामेव किंचिदर्थकृतमान्तर्य तैरेव सहासते॥ तथा गावो दिवस चरितवत्यो यो यस्याः प्रसवो भवति तेन सह शेरते। तथा यान्येतानि गोयुक्तकानि संघुष्टकानि भवन्ति तान्यन्योमपश्यन्ति शद्ध कुर्वन्ति ॥ एवं तावच्चेतनावत्सु। अचेतनेष्वपि। तद्यथा। लोष्टः क्षिप्तो बाहुवर्ग गत्वा नैव तिर्यग्गच्छति नोर्ध्वमारोहति पृथ्वीविकारः पृथ्वीमेव गच्छत्यान्तर्यतः। तथा या एता आन्तरिक्ष्यः सूक्ष्मा आपस्तासां विकारो धूमः स आकाशदेशे निवाते नैव तिर्यग्गच्छति नावागवरोहत्यब्विकारोऽप एव गच्छत्यान्तर्यतः। ( ડૉરતમઃા એ સૂત્રમાં) પોતપોતાનો (સૌથી સમાન હોય તે આદેશ થાય છે, તેમ કહેવું પડશે, તેથી જેજેનો સૌથી વધારે સમાન હોય તે તેને સ્થાને થાય, પણ અન્ય કોઇનો અન્તરતમ કોઇ અન્યને સ્થાને ન થાય. ‘પોતપોતાનોએમ કહેવાની જરૂર નથી, કારણ કે તે તો સ્વાભાવિક રીતે જ સિદ્ધ થાય છે II પોતપોતાનો’ એમ (ખાસ) કહેવાની જરૂર નથી.શામાટે જરૂરી નથી? સ્વભાવસિદ્ધ છે એટલે કે તે સ્વાભાવિક રીતે જ સિદ્ધ થાય છે. જેવી રીતે સમાનેષુ સમારોષ સમાપુ ર મારતામ્ (“મેળવડામાં, સહભોજનમાં અને સભામાં બેસો’ એમ કહેવામાં આવે ત્યારે પોતપોતાના એમ કહેવામાં આવતું નથી છતાં પોતપોતાના (યોગ્ય) સ્થળે (ઇને) બેસે છે. અન્તરતમ એમ કહેવાની પણ જરૂર નથી) ૮ અન્તરતમ એમ કહેવું ન જોઈએ, અને આ( શાનેડાન્તરતમ: એ)સૂત્ર પણ ન કરવું જોઇએ.શા માટે ન કરવું જોઇએ? કારણ કે (અન્તરતમ આદેશ તો) સ્વાભાવિક રીતે જ સિદ્ધ થાય છે. જેવી રીતે સમાનેષુ સમારોપુ સમવાયેષુ માતા ( મેળાવડામાં, સહભોજનમાં અને સભામાં બેસો” એમ કહેવામાં આવે ત્યારે દુબળા દુબળાની સાથે નથી બેસતા કે ગોરા ગોરાની સાથે, પરંતુ જેમની સાથે કોઇ પ્રયોજનને કારણે અન્તરતમ સંબંધ હોય તેની સાથે બેસે છે. તે રીતે (અન્તરતમ આદેશ પણ સ્વાભાવિક રીતે સિદ્ધ થશે).વળી ગાયો દિવસભર ચર્યા પછી પોતપોતાના વાછરડા સાથે પડી રહે છે તથા એક ધૂસરે જોડાતી બળદની જોડી એકબીજાને ન જોતાં ભાંભરે છે. આ પ્રમાણે ચેતનવંતમાં તો હોય છે . પણ અચેતનમાં એ હોય છે. જેમ માટીનું ઢેકું ફેકવામાં આવતાં બાહુના વેગ પ્રમાણે ગયા પછી આડું પણ જતું નથી કે ઊંચે પણ જતું નથી પણ પૃથ્વીનો વિકાર હોવાથી અન્તરતમતાને કારણે પૃથ્વી ઉપર જ જાય છે. તે રીતે અન્તરીક્ષમાં રહેલાં સૂક્ષ્મ જળના વિકાર સમો ધૂમ જયારે પવન ન હોય ત્યારે આકાશના વિસ્તારમાં આડો પણ જતો નથી કે નીચે ઉતરતો નથી પરંતુ જળનો વિકાર હોવાથી અન્તરતમતાને કારણે જળ તરફ જ જાય છે. 19 સ્વાભાવિક રીતે એટલે જેમ ઉત્સવમાં મળેલ મંડળીમાં(સમાને) સહભોજન કરતા હોય ત્યાં (સમારો) કે કોઇ કાર્ય માટે ભેગા મળ્યા હોય ત્યાં (સવા) વગર કહ્યું દરેક જણ પોતપોતાની મંડળીમાં જ બેસે છે તેમ અહીં પણ જે જેનો સદુશતમ હોય” એમ કહ્યા વિના જ જે જેનો અંતરતમ હશે તે જ આદેશ થશે. આગળ ઉપર સૂત્રનું પ્રત્યાખ્યાન કરવા માટે સ્વભાવસિદ્ધ છે એમ કહ્યું છે. 10 લોકમાં પણ ગુણ, પ્રમાણ વગેરેને કારણે થતી સમાનતાને બાજુએ રાખીને વિદ્યા, ઉત્સવ, પ્રયોજન, બ્રાહ્મણાદિ જાતિ વગેરેને કારણે જે આનન્તર્ય, સદૃશતા થાય છે તેનો આધાર લેવામાં આવે છે. તેમ અહીં પણ જેનો અર્થ જે વ્યક્તિ કરી શકે તે તેને સ્થાને થાય છે. ભાગમાં દુબળાપણું પ્રમાણ અને પાંડુત્વ ગુણ સૂચવે છે.પશુઓમાં પણ એવો જ વ્યવહાર જોવામાં આવે છે કે ટોળામાં ભેગાં હોય છતાં છૂટાં હોય તેમ વર્તે છે. એ પ્રમાણે આદેશને લગતાં વિધિસૂત્રોમાં પરસ્પર ભળી ગએલા આદેશો છૂટા સ્વરૂપમાં પ્રવર્તશે. વિશેષ દૃષ્ટાન્ત આપતાં કહ્યું છે કે છૂટા છવાયાં હોય તે પણ સહચારને કારણે અમુક વર્ગમાં ગોઠવાઈ જાય છે, જેમ કે ગાયો પોતપોતાના વત્સની સાથે જ ઊભી રહે છે. અથવા બળદની જોડ પણ એક બીજાને ન જોઇને ભાંભરે છે. એ પ્રમાણે સ્થાની અને આદેશનું સ્થાની સાથેના સાદૃશ્યને કારણે આપોઆપ વર્ગીકરણ થઇ જાય છે. 161 આ સ્વભાવસિદ્ધતા માત્ર ચેતનમાં જ નહીં અચેતનમાં જોવામાં આવે છે, અતિવ્યાપક છે તે દર્શાવવા માટે આમ કહ્યું છે. ३९२ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005538
Book TitleVyakaran Mahabhashya Navahnik Satik Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorPradyumna R Vora
PublisherL D Indology Ahmedabad
Publication Year2004
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy