SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ यत्तावदाह संप्रसारणात्परः पूर्वो भवति संप्रसारणस्य दीर्घो भवतीति तेन ज्ञायते वर्णस्य भवतीति । यदप्याह व्यङः संप्रसारणमिति तेन ज्ञायते वाक्यस्यापि भवतीति ॥ अथवा पुनरस्तु वाक्यस्यैव। ननु चोक्त संप्रसारणसंज्ञायां वाक्यसंज्ञा चेद्वर्णविधिरिति । नैष दोषः। यथा काकाज्जातः काकः श्येनाज्जातः श्येनः एवं संप्रसारणाज्जातं संप्रसारणम्। यत्तत्संप्रसारणाज्जातं संप्रसारणं तस्मात्परः पूर्वो भवतीति ॥ अथवा दृश्यन्ते हि वाक्येषु वाक्यैकदेशान्प्रयुञ्जानाः पदेषु च पदैकदेशान्। वाक्येषु तावद्वक्यैकदेशान्। प्रविश पीण्डीम् प्रविश तर्पणम्। पदेषु पदैकदेशान्। देवदत्तो दत्तः सत्यभामा भामेति। પહેલાં તો ‘સંપ્રસારણ પછીના સ્વરનું પૂર્વરૂપ થાય છે, સંપ્રસારણનો દીર્ઘ થાય છે એમ જ (સૂત્રકારે) કહ્યું તેથી સમજાય છે કે (સંપ્રસારણ એ) વર્ણની (સંજ્ઞા) થાય છે. વળી જે (સૂત્રકારે કહ્યું કે શહ-ન્તનું સંપ્રસારણ થાય છે (સપ્રસારણમ્ ) તે ઉપરથી સમજાય છે કે વાક્યની પણ (સંપ્રસારણ) સંજ્ઞા થાય છે. અથવા તો વાક્યની જ (સંપ્રસારણ) સંજ્ઞા ભલે થાય. પણ અમે કહ્યું તો ખરું કે સંપ્રસારણ સંજ્ઞા (સૂત્ર) માં જો વાક્યની સંજ્ઞા કરવામાં આવતી હોય તો વર્ણને લગતાં (પૂર્વ સવર્ણ અને દીર્ઘ જેવાં) કાર્યો સિદ્ધ નહીં થાય. એ દોષ નહીં આવે, કારણ કે જેમ કાગડાથી ઉત્પન્ન થાય તે કાગડો, “ બાજથી ઉત્પન્ન થાય તે બાજ એ રીતે સંપ્રસારણથી ઉદ્ભવેલ હોય તે (વર્ણ) સંપ્રસારણ. તેથી ( સંસારીવા સગ્નલના એ સૂત્રો આમ સમજાશે) : એ સંપ્રસારણમાંથી ઉદ્દભવેલ જે સંપ્રસારણ (વર્ણ) તેની પછી આવતા ( નો) પૂર્વરૂપ એકાદેશ થાય છે, એ સંપ્રસારણ વર્ણનો) ઉત્તરપદ પૂર્વે દીર્ઘ થાય છે અથવા તો વાક્ય પ્રયોજવાનું હોય ત્યાં વાક્યનો એક ભાગનો અને પદ પ્રયોજવાનું હોય ત્યાં પદના એક ભાગનો પ્રયોગ કરનારા જોવામાં આવે છે . વાક્યોનો પ્રયોગ કરવાનો હોય ત્યારે વાક્ય -ના એક ભાગનો પ્રયોગ તે- પ્રવિરા વિન્ડી પ્રવિરા તર્પણ અને પદોનો પ્રયોગ કરવાનો હોય ત્યારે પદના એક ભાગનો પ્રયોગ તેરેવદ્રત્ત (ને બદલે) ત્ત, સત્યભામા (ને બદલે) મામા. • પક્ષીના બચ્ચાની કીકત્વ જાતિ વિશે ખબર ન હોય તો પણ એ કાકથી ઉત્પન્ન થયું છે માટે કાક છે એમ સમજાય છે. શંકાકાર કહે છે કે અમુક પક્ષિવિશેષ કાક છે તે તો કાત્વ જાતિ સાથેના તેના સંબંધ ઉપરથી સમજાય છે. ભાગ્યકારે પણ કો ગોગે સૂત્રના ભાગમાં કહ્યું, છે, જે કારણે એક કાંક કાંક છે તે જ કારણે બીજો પણ કાક છે(નૈવ દેતુના અવઃ વાવ તૈનૈવ મપોડ િવવ ).આ શંકાનો નિરાસ આમ, કર્યો છે : ભાગકારે આ સંપ્રસારણ સૂત્રમાં કાકનું દૃષ્ટાન્ન આપ્યું છે તે પક્ષીના બચ્ચાની કાકજાતિ સૂચવનાર કોઇ વિશિષ્ટ આકાર વગેરે ઉદ્દભવ્યાં ન હોય એ સંજોગો માટે આપ્યું છે. આમ જયારે તેની કાત્વ જાતિનું જ્ઞાન જ ન હોય ત્યારે એ કોકમાંથી જન્મ્યો છે તેટલા ઉપરથી તેને વિશે ‘કાક’ એ શબ્દનો પ્રયોગ થાય છે તેમ સંપ્રસારણને કારણે અસ્તિત્વમાં આવ્યો છે માટે વર્ણ ગૌણાર્થમાં સંપ્રસારણ કહેવાશે. ' અર્થ વ્યક્ત કરવા માટે વાક્યપ્રયોગ કરવામાં આવે છે ત્યારે ઘણી વાર એમ જોવામાં આવે છે કે આખા વાક્યને બદલે તેના એક ભાગનો જ પ્રયોગ કરવામાં આવે છે, જેમ કે પ્રવિરા પડી, પ્રવિરા તર્પણમ્ વગેરે. અહીં વિર માંની પ્રવેશન ક્રિયા પોતાને યોગ્ય કર્મનું અનુમાન દારા સૂચન કરે છે. પ્રવેશની ક્રિયાને વિખરી સાથે જોડી ન શકાય તે દેખીતું છે, કારણ કે અહી માં પ્રવેશી ન શકાય તેથી આક્ષેપ દ્વારા તે ગૃહમ્ રૂપી કર્મનું સૂચન કરશે. તે રીતે પvી સંદર્ભને આધારે પોતાને યોગ્ય (મલ એમ) ભક્ષણ કિયાનો આક્ષેપ કરશે. તે પ્રમાણે વિફા તનમ્ માં પણ આ વિફા ) અને (ત) એમ અનુક્રમે કર્મ અને ક્રિયાનો આક્ષેપ થશે.વાક્યને સ્થાને વામૈદેશના પ્રયોગનાં આ ઉદાહરણ છે. ભાગ્યકારે પદૈતંદેશનાં બે જ ઉદાહરણ આપ્યાં છે છતાં પુ પર્વતરાન એમ બહુવચનનો પ્રયોગ કર્યો છે, કારણ કે વત્ત ને બદલે ત્ત અથવા ટેવ અને સત્યભામા ને બદલે મામા અથવા સત્યા એમ પદેકદેશના પ્રયોગો થઇ શકે. તે જ રીતે સચ્ચસત્ અને અસારી એ સૂત્રો પણ વાક્યને સ્થાને પ્રયોજેલ વાળેકદેશ છે અને આક્ષેપ દ્વારા સમજી શકાય છે કે સચ્ચRMાત્ એટલે સંસાર- નિવૃત્તાત્ સિંપ્રસારણને કારણે ઉદ્દભવેલ (વર્ણ)ની પછી)] અને પ્રસારણ એલે લગ્નસરાનિવૃત્તી સિંપ્રસારણને કારણે ઉદ્ભવેલા (વર્ણના)] વાક્યની સંજ્ઞા કરવામાં આવે તો વર્ણવિધિ ન થઇ શકે એ જે દોષ દર્શાવ્યો તેનો બે પ્રકારે પરિહાર કર્યો છેઃ ૧) નૈષ કોષઃ ચયા વિનાતિઃ વગેરે દલીલ દ્વારા કર્યો. તે પ્રમાણે સંપ્રસારણને કારણે ઉદ્દભવેલા વર્ણના અર્થમાં તે સંપ્રસારણ શબ્દનો ગૌણ પ્રયોગ છે તેમ સ્વીકાર્યું છે, જયારે ૨) અહીં અથવા દરયન્ત હિ વાવનુ વાવેરાનું૦ માં શબ્દ શક્તિ દ્વારા એકદેશના પ્રયોગ ઉપરથી પણ વાક્યર્થની પ્રતીતિ થઇ શકે છે એમ કહ્યું. ३५३ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005538
Book TitleVyakaran Mahabhashya Navahnik Satik Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorPradyumna R Vora
PublisherL D Indology Ahmedabad
Publication Year2004
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy