SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ જો વિમવિતઃ રા(ચય (અર્થાત્ જેને વિભક્તિ ન લાગી હોય તે શબ્દ મા ) એમ સૂત્ર) કરવામાં આવે તો? (જેને જેને ) અન્ને વિભક્તિના પ્રત્યયનું શ્રવણ) ન (થતું) હોય તે (શબ્દ) મચય (એમ હોય) તો અન્યોન્યાશ્રય દોષ આવવાથી (મરા)સંજ્ઞા સિદ્ધ નહીં થાય.(અહીં ) અન્યોન્યાશ્રયતા કઈ છે? વિભક્તિનું શ્રવણ ન થતું હોય તો મચક સંજ્ઞા થાય અને (રાય) સંજ્ઞા થવાથી વિભક્તિ (ના પ્રત્યય)નો અભાવ થાય છે તેથી એ અન્યોન્યાશ્રય બને છે અને અન્યોન્યાશ્રય હોય તેવાં કાર્યો થઇ શકતાં નથી. અથવા જેને લિંગ અને સંખ્યાન હેય તે (મધ્ય) પા અથવા એમ કહેવું જોઇએ કે જેને લિંગ ન હોય અને સંખ્યા ન હોય તેની સત્ય સંજ્ઞા કરવામાં આવે છે. એ રીતે પણ અન્યોન્યા - શ્રયતા જથશે. (અહીં) કઇ અન્યોન્યાશ્રયતા (છે)? લિંગ અને સંખ્યા ન હોય તો (સત્યથી સંજ્ઞા થાય. संज्ञया चालिङ्गासम्ख्यत्वं भाव्यते। तदितरेतरानं भवति। इतरेतराणि च कार्याणि न प्रकल्पन्ते ॥ नेदं वाचनिकमलिङ्गता संख्यता च। किं तर्हि । स्वाभाविकमेतत्। तद्यथा। समानमीहमानाना चाधीयानानां च केचिदर्थे युज्यन्तेऽपरे न। तत्र किमस्माभिः कर्तुं शक्यम् ॥ तत्तर्हि वक्तव्यमलिङ्गमसंख्यमिति । न वक्तव्यम्। सिद्धं तु पाठात् ॥६॥ पाठाद्वा सिद्धमेतत्। कथं पाठः कर्तव्यः। तसिलादयः प्राक्पाशपः। शस्प्रभृतयः प्राक्समासन्तेभ्यः। मान्तः । અને ()સંજ્ઞા થાય તો લિંગ અને સંખ્યાનો અભાવ થાય છે, એ રીતે અન્યોન્યાશ્રયતા થાય છે અને અન્યોન્યાશ્રય હોય તેવાં કર્યો થઇ શકતાં નથી. (અવ્યયની બાબતમાં) આ લિંગ અને સંખ્યાનો અભાવ શાસ્ત્રવચનને કારણે થતો નથી તો પછી તેનું) શું કારણ (છે)? 17 આ બન્ને વાર્તિકમાં બતાવેલ દોષનું નિવારણ કરવા માટે એમ કહેવામાં આવે છે કે પ્રયોગમાં જે વિમ િશબ્દ હોય તેની મલ્યા સંજ્ઞા થાય છે. વિમરિ એટલે પ્રયોગ સમયે જેની પાછળ વિભક્તિનું શ્રવણ નથી થતું તેવો શબ્દ. અહીં તતિ એ પદનો પ્રયોગ ન કરતાં રાહ્મ શબ્દનો પ્રયોગ કર્યો છે તેથી અવ્યય સિવાયનાં બાકીનાં બધાં પદોનો નિરાસ થશે, કારણ કે પ્રયોગમાં અવ્યય સિવાયનાં પદો પછી કોઇ ને કોઇ વિભક્તિનું શ્રવણ અવશ્ય થશે. જો કે વિના વગેરે પણ પદ છે તેથી તેને વિભક્તિ લાગે તે જરૂરી છે. પણ પ્રયોગ કાળે તેનો લોપ થાય છે અને પ્રયોને એમ કહ્યું છે તેથી પ્રયોગ કાળે પ્રત્યેક પ્રયોગ સમયે જયાં વિભક્તિનો લોપ નથી થતો તેવા , મધુ જેવાં પદોને અવ્યય સંજ્ઞા લાગુ પડવાનો કોઈ અવકાશ નથી, કારણ કે તેમને ગ્નિ જેવા પ્રયોગોમાં અન્ય વિભક્તિ લાગે છે પરંતુ જેના પ્રત્યેક પ્રયોગમાં કોઈ પણ વિભક્તિનું શ્રવણ થતું નથી તે જ અવ્યય ગણાય, તેથી ધ વગેરેની અવ્યય સંજ્ઞા નહીં થાય. 148 અહીં પ્રયોગમાં વિભક્તિનું શ્રવણ ન થવું તે મરાય એમ અવયની વ્યાખ્યા કરી, પણ શબ્દ અવ્યય હોય તો જ પ્રયોગ કાળે મચાિણુઃા પ્રમાણે વિભક્તિનો લોપ થવાથી તેનું શ્રવણ થતું નથી. આમ અવ્યય હોવાથી વિભક્તિનો અભાવ અને વિભક્તિના અભાવને કારણે તે શબ્દ અવ્યય કહેવાય એમ અવ્યયત્વ અને વિભજ્યભાવ એક બીજા પર આધાર રાખે છે તેથી અન્યોન્યાશ્રય દોષ આવે છે. 19 અહીં વા શબ્દ વિકલ્પના અર્થમાં છે. કેયટ અને નાગેશ પ્રમાણે મહિમાલય એ વ્યાખ્યામાં પણ ઇતરેતરાશ્રય થાય છે તે દર્શાવવા માટે વા છે, એટલે કે અહીં વા શબ્દ પ ના અર્થમાં છે. આ વાત યોગ્ય નથી જણાતી કારણ કે વાર્તિકકારે આ વાર્તિકમાં અવ્યયનું વૈકલ્પિક લક્ષણ આપ્યું છે.ભાખ્યકારનું વ્યાખ્યાન અથવામિસંથમથી મવતીતિ વચમ્ (અથવા તો જેને લિંગ કે વચન નોય તે અવયય એમ કહેવું જોઇએ) પણ એ વાતનું સૂચન કરે છે. 150 પ્રસ્તુત વાર્તિકકાર પ્રમાણે લિંગ અને સંખ્યા લૌકિક છે, લોકવ્યવહાર ઉપર આધાર રાખે છે શાસ્ત્ર ઉપર નહીં, તેથી ઇતરેતરશ્રેય દોષ નહીં આવે.પરંતુ તેમાં પણ દોષ આવશે, કારણ કે કવચિત્ અવ્યયને સૂચવનાર મચવાણુ એ શાસ્ત્ર દ્વારા જ બોધ થાય છે, તેથી પ્રસ્તુત લક્ષણ કરવા છતાં અન્યોન્યાશ્રય દોષ આવે છે.એમ આગળ દલીલ છે. ર૭૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005538
Book TitleVyakaran Mahabhashya Navahnik Satik Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorPradyumna R Vora
PublisherL D Indology Ahmedabad
Publication Year2004
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy