SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ एवं तीभयमनेन क्रियते पाठश्चैव विशेष्यते संज्ञा च । कथं पुनरेकेन यत्नेनोभयं लभ्यम्। लभ्यमित्याह । कथम् । एकशेषनिर्देशात्। एकशेष निर्देशोऽयम्। सर्वादीनि च सर्वादीनि च सर्वादीनि। सर्वनामानि च सर्वनामानि च सर्वनामानि। सर्वादीनि सर्वनामसंज्ञानि भवन्ति सर्वेषां यानि च नामानि तानि सर्वादीनि। संज्ञोपसर्जने च विशेषेऽवतिष्ठेते॥ अथवा महतीयं संज्ञा क्रियते संज्ञा च नाम यतो न लघीयः। कुत एतत्। लध्वर्थ संज्ञाकरणम् । तत्र महत्याः संज्ञायाः करण एतत्प्रयोजनमन्वर्थसंज्ञा यथा विज्ञायेत। જો એમ હોય તો આ (સલીનિ સર્વનામનિા સૂત્ર) બે કાર્ય કરે છે (સર્વાઢેિ ગણ) પાઠનું વિશેષણ પણ બને છે અને સંજ્ઞા પણ કરે છે. પણ એક જ પ્રયત્નમાં બન્ને કેવી રીતે મેળવી શકાય ? તો કહે છે કે મેળવી શકાય કેવી રીતે મેળવી શકાય ? આ એકશેષવૃત્તિ દ્વારા કરેલા નિર્દેશ છે (એમ ગણીને). (એટલે કે આ’ (સીનિ સર્વનામાનિ એસીનિ સર્વાલીનિ જ સીનિ અને સર્વનામને સર્વનામાનિ જ સર્વનામનિ એમ એકશેષવૃત્તિ દ્વારા કરેલો નિર્દેશ છે, તેથી સમજાશે કે, સર્વ વગેરેની સર્વનામ સંજ્ઞા થાય છે અને સર્વ (પદાર્થ)નાં નામ હોય તેમનો સર્વા ગણમાં સમાવેશ થાય છે, જયારે સંજ્ઞાભૂત અને ઉપસર્જનભૂત (સર્વ વગેરે) વિશિષ્ટ અર્થમાં રહેલા છે. અથવા આ સર્વનામ એ) લાંબી સંજ્ઞા કરવામાં આવે છે, પરંતુ સંજ્ઞા તો એવી હોવી જોઇએ કે જેનાથી ટૂંકુ કંઈ ન હોય. તે શા ઉપરથી ? કારણ કે સંજ્ઞા લાઘવ માટે કરવામાં આવે છે. તેમ છતાં) લાંબી સંજ્ઞા કરવાનું પ્રયોજન એ છે કે તે અવર્થ છે એમ સમજી શકાય. सर्वादीनि सर्वनामसंज्ञानि भवन्ति सर्वेषां नामानीति चातः सर्वनामानि । संज्ञोपसर्जने च विशेषेऽवतिष्ठेते॥ अथोभस्य सर्वनामत्वे कोऽर्थः। उभस्य सर्वनामत्वेऽकजर्थः ॥७॥ 58 ગણ)પાઠનું વિશેષણ બને છે તે એક કાર્ય) અને તેથી ‘સર્વનો અર્થ’ દર્શાવતાં હોય તે સર્વાદ્રિ એમ સમજાશે. પરન્તુ સંજ્ઞા અને ઉપસર્જન, જે વિશેષ અર્થ બતાવે છે તેમનો તેમાં સમાવેશ નહીં થાય. બીજું કાર્ય સર્વનામ સંજ્ઞા કરવી તે. પરિણામે જે સર્વનો અર્થ બતાવતાં હોય તે સર્વાઢિ ની જ સર્વનામ સંજ્ઞા થશે અને એ અર્થમાં સંજ્ઞા અને ઉપસર્જનનો સર્વાઢિ માં સમાવેશ ન થતો હોવાથી તેમની સર્વનામ સંજ્ઞા નહીં થાય.આમ સર્વનામ સંશા કરવી અને સાથોસાથ સંજ્ઞા અને ઉપસર્જનની નિવૃત્તિ કરવી એ બે કાર્ય આ સૂત્ર કરે છે. છ મૂળમાં ‘થમ્' એમ પાઠ છે તે ચૌખં.(.૩૩૦) માં નથી આપ્યો. નિ.સા.(પૃ.૨૯૯) માં(થમ એમ કૌસમાં આપીને સંપાદક નોંધે છેઃ- કૌસમાંનો પાઠ સર્વત્ર મળતો નથી. 60 સર્વ શબ્દ જ્યારે સંજ્ઞા તરીકે પ્રયોજાય ત્યારે તે પોતાના (સર્વનામ તરીકેના) પ્રવૃત્તિનિમિત્તને ત્યજી દે છે અને માત્ર પોતાનું વિશિષ્ટ સ્વરૂપ જ સૂચવે છે. જો સર્વ શબ્દ ઉપસર્જન તરીકે વપરાયો હોય તો કાં તો તે પોતાનો મૂળ અર્થ બતાવતો નથી (કારણ કે તેનો ત્યાગ કરે છે, અથવા તો મૂળ અર્થ ન ત્યજતો પણ અંતિસર્વ જેવાં દૃષ્ટાન્તોમાં તે અર્થ તિન્ત (ચડિયાતો) એ અર્થના વિશેષણ રૂપ બને છે. તેથી મૂળ અર્થ પ્રધાનપણે દર્શાવતો નથી. 61 અભિધેયને ટૂંકમાં રજુ કરવું તે શબ્દ વ્યવહારનો હેતુ છે અને સંજ્ઞા અર્થાત્ નામ તો અભિધેયને તેથી પણ ટૂંકમાં રજુ કરવા માટે પ્રયોજાય છે. આમ લેવાથી સ્વાભાવિક રીતે પ્રશ્ન થાય કે સૂત્રકારે સર્વનામ એમ દીર્ઘ સંજ્ઞા શા માટે કરી? અને સૂત્રકારે દીર્ઘ સંજ્ઞા કરી. છે તેથી એવું અનુમાન થાય છે કે આ (સર્વાઢિ ગણમાં પરિણિત સર્વનામો) માં સર્વનામત્વ અવશ્ય રહેલું છે, જેને કારણે સર્વનામ શબ્દ એ અર્થમાં પ્રચારમાં આવ્યો છે. આથી જ તે (શબ્દો) ને અનુરૂપ એવી સર્વનામ સંજ્ઞા એમને કરવામાં આવી. તેથી જે સર્વનામત્વ યુક્ત હોય તે (સર્વાદ્રિ) શબ્દોને જ અનુલક્ષીને સર્વનામ ને લગતું કાર્ય થાય છે અને અન્તર્ગણને લગતું કાર્ય પણ થાય છે. તે સિવાયના જે કોઇની સંજ્ઞા તરીકે પ્રયોજાયા હોય અથવા ઉપસર્જન તરીકે પ્રયોજવામાં આવ્યા હોય તે સર્વ વગેરે શબ્દોને આ પ્રકારનાં કાર્યો થતાં નથી, કારણ કે તે (શબ્દો) માં સર્વનામત્વ નથી. 62 ભાગમાં સંજ્ઞા જ નામ એમ છે.ત્યાં નામ એ શબ્દ સંજ્ઞાના પર્યાય તરીકે પણ લઇ શકાય. તેથી(%) કહે છેઃતતોડ ય નામ 63 લાઘવ માટે અર્થાત્ લાઘવપૂર્વક--સરળ અને સંક્ષિપ્ત રીતે શાસ્ત્રની પ્રવૃત્તિ થઇ શકે તે માટે. २५२ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005538
Book TitleVyakaran Mahabhashya Navahnik Satik Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorPradyumna R Vora
PublisherL D Indology Ahmedabad
Publication Year2004
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy