SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ આહિનક બ્રે સર્વાલીનિ સર્વનામનિશાશારા सर्वादीनीति कोऽय समासः। बहुव्रीहिरित्याह। कोऽस्य विग्रहः। सर्वशद आदिर्येषां तानीमानीति। यद्येवं सर्वशदस्य सर्वनामसंज्ञा न प्राप्नोति। किं कारणम्। अन्यपदार्थत्वाद् बहुव्रीहेः। बहुव्रीहिरयमन्यपदार्थे वर्तते। तेन यदन्यत्सर्वशद्वात्तस्य सर्वनामसंज्ञा प्राप्नोति। तद्यथा। चित्रगुरानीयतामित्युक्ते यस्य ता गावो भवन्ति स आनीयते न गावः । સર્વ વગેરેને સર્વનામ (કહેવામાં આવે છે ૧/૧ર૭ા સર્વાલીનિ એ કયો સમાસ છે? (તો) કહે છે કે બહથ્રીહિ. એનો વિગ્રહ શો છે? સર્વરાઃ માર્દીિના તાનિ સલીનિ (એટલે કે સર્વ શબ્દ જેમાં આદિ છે તે સર્વાલીનિ), જો એમ હોય તો સર્વ શબ્દને સર્વનામ સંજ્ઞા પ્રાપ્ત થતી નથી. શા માટે? કારણ કે બહુવ્રીહિ સમાસ અન્ય પદાર્થ સૂચવે છે એટલે કે આ જે બહુવ્રીહિ સમાસ હોય છે તે પોતાનાથી ભિન્ન એવા) અન્ય પદાર્થને સૂચવે છે. તેથી સર્વ શબ્દથી જે ભિન્ન હોય તેને સર્વનામ સંજ્ઞા પ્રાપ્ત થાય છે. જેમ કે ચિત્રકુ (જેની ગાયો કાબરી છે તેને લાવો,’ એમ કહેવામાં આવે ત્યારે તે કાબરી) ગાયો જેની હોય તે (માણસ) ને લાવવામાં આવે છે, તેની) ગાયોને નહીં. | સર્વાલીનિ એ નપુંસકલિંગ-બહુવચનાન્ત સમાસ કયો છે? સર્વ મસૌ મારિચ એ વિગ્રહવાળો તપુરુષ કે સર્વ મારિશ એ વિગ્રહવાળો બંદ્ધસમાસ છે કે પછી સર્વઃ (એટલે કે સર્વ શબ્દ) માઃિ શેષાં તાનિ એ વિગ્રહવાળો બહુઠ્ઠીહિ સમાસ છે?’ એમ શંકાકાર પૂછવા માગે છે. મારિ શબ્દ હંમેશાં પુલિંગ છે તેથી કર્મધારય અને બંદમાં અને નપુંસકલિંગ ન થતાં પુલિંગ થાય કારણ કે એ બે પ્રકારના સમાસમાં ઉત્તરપદના લિંગ પ્રમાણે સમાસનું લિંગ થાય છે. વળી તપુરુષમાં અને એકવચન આવશે અને હૃદમાં (ઘટક પદ બે હોવાથી) દિવચન આવશે પરંતુ સીનિ એ તો બહુવચનાન્ત સમાસ છે તેથી કર્મધારય કે બંદ ત્યાં સંભવિત નથી. આમ આ સમાસ બહુવ્રીહિ જ છે. 2 બહુવ્રીહિ એ અન્યપદ પ્રધાન સમાસ છે એટલે કે બંદમાં જેમ પ્રત્યેક ઘટક પદનું સમાન પ્રાધાન્ય હોય છે અને તત્પરુષમાં જેમ ઉત્તરપદનું પ્રાધાન્ય હોય છે તેમ બહુવ્રીહિમાં ઘટક પદોમાંથી કોઇનું પ્રાધાન્ય હોતું નથી પરંતુ તેમનાથી ભિન્ન પદ (અન્ય) પ્રધાન હોય છે.તેથી સર્વઃ (અર્થાત્ સર્વ શબ્દ) માષિા તનિ માનિ (એટલે કે સર્વ શબ્દ જેમાં આદિ છે તે) એ અર્થના સમાસમાં સર્વ શબ્દથી ભિ ત્ર જે વિશ્વ વગેરે શબ્દો છે તેમની સર્વનામ સંજ્ઞા થશે, પરંતુ સર્વ શબ્દની પોતાની એ સંજ્ઞા નહીં થઇ શકે તેમ અહીં પ્રશ્ન પૂછનારનો આશય છે. 'મૂળમાં ભાષ્યકારે તાનિ માનિ એમ કહ્યું છે. તે દ્વારા અન્ય પદાર્થનું પ્રાધાન્ય સૂચવવામાં આવ્યું છે. નહીં તો જેમ ચિત્રા જાવઃ એ વિગ્રહ વાક્યમાં વિઃ વિશેષ છે અને ગાયોવાળો વિશેષણ છે એમ સમજાય છે કારણ કે મચ એ ષષ્ઠીયુક્ત પદ જાવાનું વિશેષણ છે) તેમ સર્વ માથામ્ (સર્વ તેમનામાં આદિ છે એ વાક્યમાં સર્વ પદનું પ્રાધાન્ય સમજાત, અન્ય પદાર્થનું નહી.તેથી તે અર્થમાં બહુવ્રીહિ સમાસ નહીં થાય, પરંતુ જયારે અન્ય પદાર્થનું (સ્વામીનું પ્રાધાન્ય હોય અને ગાયો (સ્વ) વિશેષણભૂત હોય ત્યારે બહુવ્રીહિ સમાસ થાય છે. તેથી ચિત્રાઃ નાવ વચ સ વિત્ર એ બહુવ્રીહિમાં સ્વામીનું પ્રાધાન્ય દર્શાવાય છે અને ગાયો વિશેષણભૂત અથવા ઉપલક્ષણભૂત છે. વિત્રનીયતામ્ એમ જયારે કહેવામાં આવે ત્યારે ગાયો રૂપી ધન (4) થી વિશિષ્ટ એવા સ્વામીને જ લાવવામાં આવે છે, પરંતુ ગાયોને લાવવામાં આવતી નથી, કારણ કે વિગ્રહ વાક્યમાં જે ષષ્ઠી છે તે સ્વાભિમાવ સંબંધ દર્શાવે છે તેથી અહીં ગૌણ બનેલ ગાયોનો આનયન ક્રિયા સાથે સંબંધ નહીં થાય. પરિણામે ગાયો વગડામાં ચરતી હોય તો પણ ચિત્રા નું આનયન થઇ શકશે. તેમ અહીં પણ સર્વસિવાયના (શબ્દો) ને સર્વનામ સંજ્ઞા થશે, સર્વ શબ્દને નહીં થાય, તેમ અહીં દલીલ છે. २३९ For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005538
Book TitleVyakaran Mahabhashya Navahnik Satik Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorPradyumna R Vora
PublisherL D Indology Ahmedabad
Publication Year2004
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy