SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ प्रत्यवयवं च वाक्यपरिसमाप्तेः ॥१२॥ प्रत्यवयवं च वाक्यपरिसमाप्तिदृश्यते। तद्यथा। देवदत्तयज्ञदत्तविष्णुमित्रा भोज्यन्तामिति। न चोच्यते प्रत्येकमिति। प्रत्येक च भुजिः परिसमाप्यते। ननु चायमप्यस्ति दृष्टान्तः समुदाये वाक्यपरिसमाप्तिरिति । तद्यथा। गर्गाः शतं दण्ड्यन्तामिति। अर्थिनश्च राजानो हिरण्येन भवन्ति न च प्रत्येक दडयन्ति। सत्येतस्मिन्दृष्टान्ते यदि तत्र सहग्रहणं क्रियते इहापि प्रत्येकमिति वक्तव्यम्। अथ तत्रान्तरेण सहग्रहणं सहभूतानां कार्य भवतीहापि नार्थः प्रत्येकमिति वचनेन ॥ अथ किमर्थमकारस्तपरः क्रियते। પ્રત્યેક અવયવને વાક્યર્થ લાગુ પડે છે તેથી પણ (સમુદાયની સંજ્ઞા નહીં થાય) ૧ રા પ્રત્યેક અવયવને વાક્યર્થ લાગુ પડતો હોય તેમ જોવામાં આવે છે. જેમ કે રેવદ્રત્તયજ્ઞવિષ્ણુમિત્રા મોન્યન્તામ્ (દેવદત્ત, યજ્ઞદત્ત અને વિષ્ણમિત્રને ભોજન કરાવો). અહીં. જો કે પ્રત્યેકને ભોજન કરાવો એમ કહેવામાં આવતું નથી છતાં મુન ધાતુ (અર્થાત્ જમવાની ક્રિયા) દરેકને લાગુ પડે છે. પરંતુ અમે કહીએ છીએ કે જેમાં સમુદાયને વાક્યર્થ લાગુ પડે એવું આ ઉદાહરણ છે જેમ કે એ રાતે ચન્તામ્ (ગર્ગોનો સો મુદા દંડ કરો). પરંતુ રાજાઓને સુવર્ણથી મતલબ હોય છે તેમ છતાં દરેક (ગર્ગ)ને દંડતા નથી. આ દૃષ્ટાન્ત તો છે તેમ છતાં પણ જો તેમાં સદ શબ્દ મૂકવામાં આવે તો આ (સૂત્ર) માં પણ પ્ર મ્ (દરેકની)' એમ કહેવું પડશે. પરંતુ જો ત્યાં સદ્દ શબ્દનું ગ્રહણ કર્યા વિના સાથે રહેલાને કાર્ય લાગુ પડે તો અહીં પણ ‘ પ્ર મ્ (દરેકની) એમ કહેવાની જરૂર નથી. હવે આ કારની પાછળ તું શા માટે છે? “ શબ્દનું ખાસ ગ્રહણ કર્યું છે તેથી પ્રત્યેક પદની સમાસ સંજ્ઞા ન થતાં તેમના સમુદાયની જ સમાસ સંજ્ઞા થાય છે. અહીં નોંધવું જોઇએ કે મહાભ ષ્યિ, ન્યા. પદ, વગેરેમાં સ૬ સુપ માં સહુ મૂકવાના પ્રયોજન વિશે આ પ્રમાણે ચર્ચા છેઃ સ૬ નું ગ્રહણ ન કર્યું હોય તો પણ વૃદ્ધો યુના માં થાય છે તેમ તૃતીયા દ્વારા જ સદ નો અર્થ સૂચવાશે, પરંતુ પુખ સદ કાતિઃ પિતા એ વાક્યમાં જેમ પિતા અને પત્ર બન્નેનો આગમન ક્રિયા સાથે સંબધ છે તેમ પ્રત્યેક પદની સમાસ સંજ્ઞા ન થતાં માત્ર સમુદાયની જ થાય તે માટે સદ શબ્દ મૂક્યો છે. જો પ્રત્યેક પદની પણ સમાસ સંજ્ઞા થાય તો ત્રાપાટુ જેવા સમાસમાં ત્રપૂર પ્રમાણે -કારાન્ત સમાસ થઇને ત્રઃ એમ સમાસ થવાનો પ્રસંગ આવશે.આથી સમુદાયની સમાસ સંજ્ઞા થાય તે સૂત્રમાં સહ લેવાનું પ્રયોજન છે. એ પછી ભાખ્યકાર કહે છે “સમસ શબ્દ જ સૂચવે છે કે સમાસ એટલે સંક્ષેપ અને સંક્ષેપ તો અનેક વસ્તુને લગતો હોય તેથી સ€ શબ્દ સૂત્રમાં ન હોય તો પણ સમુદાયનીજ સમાસ સંજ્ઞા થશે.' તો પછી સ૬ શબ્દનું પ્રયોજન શું છે? તે શંકાના ઉત્તરમાં કહે છે સદ યો વિમાર્થમ્ ” અર્થાત્ સત્ શબ્દનું પ્રયોજન સૂત્રનો વિભાગ કરી શકાય તે માટે છે. જેથી કરીને તિદત્ત સાથે પણ સમર્થ પદનો સમાસ થઇને મનુષત્ મનુપ્રવિર્ષન્ જેવાં રૂપો થઇ શકે (જુઓ પા. ર-૧-૪ ઉપર મહા ભા., ન્યા.પદ.) 42 અહીં વ્યાવહારિક દલીલ દ્વારા આક્ષેપનું નિરાકરણ કર્યું છે : દેવદ્રત્તયજ્ઞવર્તાવિશુમિત્રા મોર્ચન્તામ્ એમ કહેવામાં આવતાં , ભોજન કરાવવાની કિયા દેવદત્ત વગેરે પ્રત્યેકને અનુલક્ષીને કરવામાં આવે છે, પરંતુ દેવદત્ત પાદપ્રક્ષાલન કરે, યજ્ઞદત્ત આસન ઉપર બેસે અને વિષ્ણમિત્ર આહાર લે એમ બનતું નથી, કારણ કે ભોજન કિયા એટલે ખોરાક લેવો અને તે દ્વારા સંતૃપ્ત થવું, પણ તે તો ત્રણમાંની પ્રત્યેક વ્યક્તિને ભોજન કરાવવામાં આવે તો જ સિદ્ધ થઇ શકે. પરંતુ કેટલીક ક્રિયાઓ સમુદાય રૂપ હોય છે. જેમ કે ના આ ક્રિયા ગીત, નૃત્ત, વાદ્ય વગેરે અનેક ક્રિયાઓના સમુદાય રૂપ છે તેથી સમગ્ર સમુદાયની નાટ્ય સંજ્ઞા થશે, તે જ રીતે સંયોગ સંજ્ઞા પણ સમુદાયને જ લાગુ પડશે, કારણ કે જેમાં વર્ણોને જોડવામાં આવે તે સંયોગ એમ એ સંજ્ઞાનો અર્થ છે. પરંતુ વૃદ્વિ માં વૃદ્ધિ સંજ્ઞા પ્રત્યેકની થશે, કારણ કે તેમાંનો વૃદ્ધિ શબ્દ માત્ અને હેલ્ બન્નેની સાથે યોજીને ‘માં વૃદ્ધિ સંજ્ઞક છે, વૃદ્ધિ સંજ્ઞક છે તથા વૃદ્ધિસંજ્ઞક છે એમ અર્થ કરવાનો છે. 43: રાતે સૂર્યન્તામ્ એમ આજ્ઞા કરવામાં આવે ત્યારે ગર્ગોના સમુદાયનો સો નિષ્ક દંડ કરવામાં આવે છે, પ્રત્યેક ગર્ગનો નહીં, કારણ કે રાજાઓને પૈસા સાથે મતલબ છે કોણ કેટલું આપે છે તે સાથે નહીં. અહીં દંડ દ્વારા થતી ગ્રહણ ક્રિયામાં સૌથી ઇષ્ટ હોવાથી, રાતમ્ નું પ્રાધાન્ય હોવાથી, તે પ્રધાન કર્મ છે પણ અપાદાનભૂત ગર્ગો અપ્રધાન છે તેથી તે ગૌણ (ગથિત કર્મ છે. પછીના વાક્યમાંના પાઠને આધારે છા.(પૃ.૧૫૧,પા.ટી.૧૦) નોંધે છે કે અહીં મારી તરરમ્ વગેરે પાઠ હોવો જોઇએ. અહીં આકૃતિ પક્ષનો આધાર લઈને ભિન્ન ઉચ્ચારણકાળવાળા વર્ણાની નિવૃત્તિ કરવા માટે મા-કારને તપ કર્યો છે કે પછી વ્યક્તિ પક્ષે ઉદાત્તાદિ અન્ય ગુણોથી યુક્ત મા-કારનું ગ્રહણ થાય તે માટે તેને તાર કર્યો છે, એમ તપન્ન કરવાનાં બે નિમિત્તની શક્યતા છે તેથી તે વિશે પ્રશ્ન કરવામાં આવ્યો છે. પદનો અર્થ વ્યક્તિ છે અને ઉદાત્ત વગેરે ગુણો ભેદક છે એ મત સ્વીકારવામાં આવે તો જે ગુણયુક્ત મન્ નું ઉચ્ચારણ કરવામાં આવ્યું હોય તે ગુણવાળા મજૂ १०४ For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005538
Book TitleVyakaran Mahabhashya Navahnik Satik Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorPradyumna R Vora
PublisherL D Indology Ahmedabad
Publication Year2004
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy