SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ १२१९ अनेकान्तजयपताका (પષ્ટ: -> (७१) स्यादेतत्-नामी कारणविकल्पाः सर्व एव नो बाधायै, केषाञ्चिदनिष्टेः, आद्यस्यैवाभ्युपगमात् । यत् पुनरुक्तम्-'अनेकस्मादेककार्योत्पत्तौ न कारणभेदो भेदकः स्यात्' इति सोऽप्रसङ्गः, तथेष्टेः । तथाहि-न भिन्नस्वभावात् कारणाद् भिन्नस्वभावमभिन्न .... ચાહ્યા स्यादेतदित्यादि । अथैवं मन्यसे-नामी कारणविकल्पा:-अनन्तरोदिताः सर्व एव नःअस्माकं बाधायै-बाधार्थम् । कथमित्याह-केषाञ्चिद् विकल्पानामनिष्टेः कारणात्, आद्यस्यैवकारणविकल्पस्य अभ्युपगमात् कारणात् । यत् पुनरुक्तं तत्राद्यविकल्पे-अनेकस्मादेककार्योत्पत्तौ सत्यां न कारणभेदो भेदकः स्यादिति सोऽप्रसङ्गः । कथमित्याह-तथेष्टेः कारणात् । एतदेव भावयति तथाहीत्यादिना । तथाहीति पूर्ववत् । न भिन्नस्वभावात् कारणात् प्रत्येक ... અનેકાંતરશ્મિ છે બૌદ્ધમતે એક વિકલ્પો ન ઘટવાથી હેતુ-ફળભાવની વ્યવસ્થા ઉચ્છિન્ન થાય છે, એમ ફલિત થયું. (હવે બૌદ્ધ, પૂર્વોક્ત સાત વિકલ્પોમાંનાં છેલ્લા ચાર વિકલ્પોમાંથી, પ્રથમ વિકલ્પનું ગ્રહણ કરી તેના આધારે હેતુ-ફળભાવની વ્યવસ્થા સંગત કરવા, પોતાનું મંતવ્ય વિસ્તૃત પૂર્વપક્ષરૂપે રજૂ કરે છે.) - હેતુ-ફળભાવ વ્યવસ્થા સાધક બૌદ્ધપૂર્વપક્ષ ને (૭૧) પૂર્વપક્ષ: (બૌદ્ધ:) તમે જે કારણ વિશે વિકલ્પો રજૂ કર્યા, તે બધા જ વિકલ્પો અમને બાધાકારક છે – એવું નથી. કારણ કે તમે કહેલા વિકલ્પોમાંના કેટલાક વિકલ્પો તો અમને ઇષ્ટ જ નથી, સ્વીકૃત જ નથી. (અને તો તે વિશેના દોષો અમને બાધાકારક પણ ન બને.) અમે, તે કારણવિકલ્પોમાંથી (= છેલ્લા ચાર વિકલ્પોમાંથી) માત્ર પહેલો વિકલ્પ જ સ્વીકારીએ છીએ. અર્થાત્ રૂપ, ઇન્દ્રિય, મનસ્કાર વગેરે અનેક કારણો ભેગા મળી જ્ઞાનાદિરૂપ એકસ્વભાવી કાર્યના જનક છે, એવું જ માનીએ છીએ. (હવે આ વિશે તમે કહેલા એકે દોષોનો અવકાશ નથી. કઈ રીતે? તે હવે જોઈએ -) પૂર્વે તમે જે આપત્તિ કહી હતી કે – “જો અનેક કારણોથી એક કાર્યની ઉત્પત્તિ માનો, તો – કારણભેદથી પણ કાર્યભેદ ન માન્યો હોવાથી – કારણભેદ, કાર્યોનો ભેદક નહીં બને” – એ આપત્તિ પણ નહીં રહે, કારણ કે એ વાત તો અમને ઇષ્ટ જ છે. (એટલે એ તો અમારે મન ઇષ્ટાપત્તિ જ છે.) પ્રશ્નઃ અરે ! શું તમે કારણભેદથી કાર્યભેદ, કારણ-અભેદથી કાર્ય-અભેદ... એવું બધું નથી 27. न भिन्नस्वभावात् कारणाद् भिन्नस्वभावम्, अभिन्नस्वभावाच्चाभिन्नस्वभावं कार्यमुत्पद्यते જ આ પૂર્વપક્ષમાં બૌદ્ધ પૂર્વોક્ત દોષોને દૂર કરીને પોતાના મતે હેતુ-ફળભાવ સંગત કરશે. આ પૂર્વપક્ષની એકેક પંક્તિનું બરાબર અવધારણ કરવું. આગળ ગ્રંથકારશ્રી, આમૂલચૂલ તેની વાતનું નિરાકરણ કરશે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005536
Book TitleAnekantjaipataka Part 05
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy