SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ अधिकार: ) <0 व्याख्या - विवरण - विवेचनसमन्विता ११८२ विच्छेदस्यान्वयत्वात्, तस्य चेत्थमङ्गीकरणात्, सदैव भावाभावाभावादिति । ( ३४ ) कारणभावादन्य एव कार्यभाव इति चेत्, न, एकान्तेन अन्यत्वासिद्धेः, तत्त्वतो भेदका જે બાબા कारणात्। आपत्तिश्च भावाविच्छेदस्यैवान्वयत्वात् तस्य च भावाविच्छेदस्य इत्थम्उक्तनीत्याऽङ्गीकरणात् । भावार्थमाह - सदैव भावाभावाभावात्, नाशाव्यवधानादिति । कारणभावादन्य एव कार्यभाव इति चेत्, नैवं भावाविच्छेद इत्यभिप्रायः । एतदाशङ्कयाह* અનેકાંતરશ્મિ .. તમે ઉપર કારણભાવ પછી તરત જ કાર્યભાવ માન્યો. હવે કારણભાવ અને કાર્યભાવ બંનેમાં ‘ભાવ’ તત્ત્વ તો અવિચ્છિન્ન જ છે (કેમ અવિચ્છિન્ન છે ? તેનો ભાવાર્થ આગળ સમજાશે.) એટલે આમ કાર્યભાવ, કારણના ભાવથી અવિચ્છિન્ન હોવાથી ‘અન્વય’ માનવાની આપત્તિ આવશે જ. તેનું કારણ એ કે, ભાવનો વિચ્છેદ ન થવો તેને જ ‘અન્વય’ કહેવાય છે અને ઉપરોક્ત રીતે ભાવનો વિચ્છેદ ન થવાનું તો તમે માન્યું જ. (તાત્પર્ય એ કે, કારણભાવ પછી તમે તરત જ કાર્યભાવ માન્યો – આમ કારણભાવ-કાર્યભાવ બંનેમાં ભાવતત્ત્વ અવિચ્છિન્નપણે રહેલું માન્યું. .. બસ તો આ ભાવનો અવિચ્છેદ એ જ તો અન્વય છે. એટલે ફલતઃ તમે અન્વય માની જ લીધો...) આ જ વાતનો ભાવાર્થ કહે છે - હંમેશા (=ઉત્તરોત્તરક્ષણપ્રવાહમાં પણ) ભાવનું અસ્તિત્વ તો અખંડપણે રહે છે, તે ભાવનો અભાવ કદી થતો નથી. તેનું કારણ એ કે, વચ્ચે નાશ થકી વ્યવધાન આવતું નથી. (આશય એ કે, એક ભાવ પછી તરત જ બીજો ભાવ ઉત્પન્ન થઈ જાય છે, વચ્ચે તુચ્છ એવો અભાવ ઉત્પન્ન થતો નથી. આમ, ભાવ પછી ભાવ, ભાવ પછી ભાવ... એમ ઉત્તરોત્તર ભાવની ધારા અવિચ્છિન્નપણે ચાલતી હોવાથી, તે ક્ષણપરંપરામાં ભાવનો અન્વય માનવો જ રહ્યો.) : (૩૪) બૌદ્ધ ઃ કા૨ણભાવથી કાર્યભાવ જુદો છે. એટલે ભાવનો અવિચ્છેદ નહીં રહે. (કહેવાનો ભાવ એ કે, પૂર્વક્ષણે કારણભાવ અને ઉત્તરક્ષણે કાર્યભાવ બંનેમાં ભાવતત્ત્વ છે જ, પણ બંનેના ભાવ જુદા જુદા છે, કોઈ એક જ ભાવ બધામાં અવિચ્છિન્નપણે અનુગત નથી. એટલે તેઓમાં અન્વય પણ નહીં માનવો પડે...) સ્યાદ્વાદી : કારણભાવથી કાર્યભાવ એકાંતે (=સર્વથા) જુદો છે – એવું સિદ્ધ થતું નથી, કારણ કે તે બંને ભાવને જુદું પાડનાર કોઈ ભેદક તત્ત્વ જ નથી અને તેનું (=ભેદક તત્ત્વ ન હોવાનું) પણ * વિવરામ્ 13. नाशाव्यवधानादिति । नाशेनाव्यवधानं नाशाव्यवधानं तस्माद् । भावानन्तरं भाव एवोत्पन्नो न तुच्छोऽभाव इति भावाविच्छेदादन्वय एव ।। Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005536
Book TitleAnekantjaipataka Part 05
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy