SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ (૨) – પરમાત્માને અંશમાત્ર પણ પરિગ્રહ નથી, પણ તે માત્ર મૂચ્છની અપેક્ષાએ, એકાંતે નહીં. બાકી પરમાત્માએ ગુણોનો સંગ્રહ તો કૅર્યો છે જ ને? આ થઈ પરમાત્માની વાત.. આગળ વધીને પરમાત્માની દેશના, પરમાત્માનું વાક્ય, પરમાત્માનું આગમ, પરમાત્માનાં એકેક વિધાનો બધું જ અનેકાંતમય છે.. ખરેખર અનેકાંત એ એક એવું રસપ્રદ તત્ત્વ છે, કે તેના પર જેટલું વિચારીએ કંઈક અવનવું રહસ્ય જ પ્રાપ્ત થાય અને વધુ ને વધુ ઊંડાણમાં જવાની ઝંખના રહ્યા કરે. ધ્યાનશતકમાં સરસ વાર્તા કહી છે કે – “જિનવચન એ એક લાડવો છે, જે હજારો હેતુઓથી સંવલિત છે.. વિદ્વાન પુરુષ, દિવસ-રાત તેને વાપરે તો પણ તૃપ્ત ના થઈ શકે..” કોઈપણ શાસ્ત્ર સામાન્યથી અભ્યાસ કરવાથી તેના પરનું જ્ઞાન પાનાપ્રધાન કે પંક્તિપ્રધાન થઈ શકે, તેનાથી વધુ નહીં. પણ અનેકાંતમય દૃષ્ટિથી સૂક્ષ્મક્ષિકા દ્વારા તેનો તલસ્પર્શી અભ્યાસ કરીએ, તો તે જ્ઞાન પદાર્થપ્રધાન ને યાવત્ પરિણતિપ્રધાન થઈ શકે છે. આ અનેકાંતની અદ્ભુત બલિહારી છે. શાસ્ત્રના દરેક વાક્યો અનેકાંતગર્ભિત હોય છે. તેમાંનાં તે તે વિધાનો, કોઈક ને કોઈક પ્રતિનિયત અપેક્ષાઓથી જ ઉલિખિત થયા હોય છે. આ વાત આપણે કેટલાક ઉદાહરણોથી સમજીએ. – આજ્ઞાયોગ ઔષધની જેમ અત્યંત હિતકારી છે, પણ તે માત્ર સ્વરૂપને લઈને, એકાંતે નહીં. બાકી ગાઢ મિથ્યાત્વીને તો તે ઔષધ નિષ્ફળ પણ પુરવાર થાર્ય છે.. - પરમાત્મા તારે એ વાત સાચી, પણ ભવ્ય-લઘુકર્મી જીવોને, અભવ્ય-ભારેકર્મી જીવોને નહીં. એટલે તેમાંય એકાંત નહીં. > જે વાત ચાર અક્ષરથી પતતી હોય, ત્યાં પાંચમો અક્ષર ન બોલવો, એવું આગમિક વિધાન છે. પણ તેમાંય એકાંત નથી. આગમમાં જ વિશિષ્ટ શ્રોતાને લઈને વિસ્તરાર્થ કરવાનું જણાવ્યું છે જ. લોભ નહિ તુજ માંહિ તો પણ, સઘળા ગુણ તે લીધાજી; તું નિરાગી પણ તે રાગી, ભગત તણા મન કીધાજી ૧ ‘નિણવયમોદ્રાસ ૩ ત વ વા ય નHTTણ | __ तित्ति बुहो ण गच्छइ, हेउसहस्सोवगूढस्स ॥' - ध्यानशतकम् । * ‘ત્તિો પી જેવું નિશ્ચિત્તેદિ સદસ્નવિહતાં ! घणमिच्छत्तमकालो, कालोऽपुणबंधगाईओ ॥६४॥' - उपदेशरहस्यम् । “નિરુદ્ધાં વાવ ન ટીદન્ના' – સૂત્રતાક્રૂત્રમ્ . ‘તોwતીનું ... ઢીયંતિ ' - પરેશરદીવૃત્તી સ્નો૧૮ | ‘સમાનવેનના પડિપુત્રમાસી' - સૂત્રતા સૂત્રમ્ | ‘શ્રોતારપેક્ષ્ય ... નિરવશેપનાદ્રિાબ્બીરાર્થવાદી મવેત' - ૩પરેશરદીવૃત્ત . Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005536
Book TitleAnekantjaipataka Part 05
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy