________________
अनेकान्तजयपताका
(પશ્ચમ:
( २९२ ) न च "चित्तमात्रं भो जिनपुत्र यदेतत् त्रैधातुकम्" इत्यादि बाधकं वचनमेव प्रमाणमत्र, तंदनाप्ततापत्तेः विरुद्धार्थाभिधानात् तुल्ययोगक्षेमत्वात्, अस्यैव चान्यार्थत्वादिति । ( २९३ ) तथाहि - इदमेव युक्तं यदास्थानिवृत्त्यर्थमस्य संयोगवियोगाभ्यां
११४३
–
* બાબા
किमित्याह-अतिप्रसङ्गादिति । न च "चित्तमात्रं भो जिनपुत्र यदेतत् त्रैधातुकं”-कामरूपाऽरूपधातुरूपमित्यादि बोधकं वचनमेव प्रमाणमत्र विनेयानुगुण्यत उक्तमिति कल्पनायाम्। कुत इत्याह-तदनाप्ततापत्तेः आप्तस्यानाप्ततापत्तेः । आपत्तिश्च विरुद्धार्थाभिधानात् । तथा तुल्ययोगक्षेमत्वात् । एतदेवाह - अस्यैव-चित्तमात्रमित्यादेर्वचनस्य अन्यार्थत्वादिति । इदमेव ... અનેકાંતરશ્મિ
:
ઉત્તર ઃ તો તો અતિપ્રસંગ એ આવશે કે, બધા પોતપોતાનો મનોઘટિત અર્થ કરવા લાગશે ! (કારણ કે આપ્તવિવક્ષા જાણ્યા વિના પણ, જેમ તમે તમારો અર્થ કરો છો તેમ બીજા પણ પોતાના અર્થો કરશે.)
એટલે તે બાહ્યાર્થસાધક આપ્તવચન; શિષ્યનાં અનુસરણ પૂરતું જ છે - એવું કહેવામાં કોઈ પ્રમાણ નથી.
(૨૯૨) બૌદ્ધ : અમારી પાસે પ્રમાણ છે. જુઓ અમારા આપ્ત પુરુષનું જ વચન; “હે જિનપુત્ર ! જે આ (૧) કામ, (૨) રૂપ, અને (૩) અરૂપ - એમ ત્રણ ધાતુઓ છે, તે માત્ર ચિત્તરૂપ છે. (જ્ઞાનરૂપ છે, બાહ્યાર્થરૂપ નહીં.)’
આ વચન જ બાહ્યાર્થની સિદ્ધિ માટે બાધક છે અને એટલે જ અમે પૂર્વોક્ત આપ્તવચન શિષ્યને અનુસરવા પૂરતું કહીએ છીએ. (આશય : આ વચનથી આપ્તપુરુષે કામાદિ બધાને જ્ઞાનરૂપ કહીને બાહ્યાર્થનો નિષેધ કર્યો છે. એટલે આ વચનના આધારે માનવું જ રહ્યું કે, પૂર્વોક્ત વચન પણ બાહ્યાર્થસાધક નહીં; પણ માત્ર શિષ્યને અનુસરવા પૂરતું જ છે.)
સ્યાદ્વાદી : અરે ! આવું કહેવાથી તો, તમારા આપ્તપુરુષને ‘અનાપ્ત' માનવાની આપત્તિ આવશે. તેનું કારણ એ કે, તે આપ્ત પૂર્વાપર વિરુદ્ધ અર્થનું કથન કરે છે. (‘સગ્નિતા.’ એના દ્વારા બાહ્યાર્થને જણાવ્યો અને ‘ચિત્તમાત્ર.’ એના દ્વારા બાહ્યાર્થનો નિષેધ કર્યો – આ કથન તો પૂર્વાપર વિરુદ્ધ જ થયું કહેવાય.)
બીજી વાત, યોગક્ષેમ તો બંને વચન વિશે તુલ્ય જ છે. અર્થાત્, જેમ તમે ‘સગ્નિતા.’ પંક્તિનો (અર્થ, બાહ્યાર્થ૫૨ક નહીં, પણ શિષ્ય-અનુસરણપ૨ક) બીજો અર્થ કરી દો છો, તેમ ‘ચિત્તમાત્ર.’ એ પંક્તિનો પણ (અર્થ જ્ઞાનમાત્ર૫૨ક નહીં, પણ શિષ્ય-અનુસરણપરક) બીજો અર્થ કરી જ શકાય છે.
૨. ‘તવનાસતાતે:’ કૃતિ -પાટ: ।
Jain Education International
૨. ‘અથૈવાનાર્થ॰' કૃતિ T-પાટ: I રૂ. ‘વોધ’ કૃતિ જ-પાટ: I
For Personal & Private Use Only
www.jainelibrary.org