SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ व्याख्या-विवरण-विवेचनसमन्विता ૭૭૬ भ्युपगमे प्रतीतिबाधा (१२०) द्रव्यवर्गणाविजातीयपरावर्तस्यापि देशादिभेदनिबन्धनत्वात् निरवयवं च शब्दब्रह्म, सावयवत्वे चास्यापरनामा धर्मास्तिकायाद्यभ्युपगम एव सति प्रतीतिबाधा । तथाप्रतीतेरिति । द्रव्यवर्गणेत्यादि । द्रव्यवर्गणासु विजातीयपरावर्तः औदारिकादेवॆक्रियादिरूप इति विग्रहः तस्यापि देशादिभेदनिबन्धनत्वात् न तत्रैकस्यैव भेदकमन्तरेण परिवर्तभेदः निरवयवं च शब्दब्रह्म, तथाऽभ्युपगमात् सावयवत्वे चास्य-ब्रह्मणः અનેકાંતરશ્મિ .... બીના તો લોકપ્રસિદ્ધ છે, એટલે તેમાં વિરોધનો પણ કોઈ અવકાશ નથી. હવે જો આ કથનને અન્યથા માનશો (અર્થાત્ વિજાતીય પરિવર્ત પણ માનશો), તો તો લોકસિદ્ધ પ્રતીતિનો બાધ થશે... (૧૨૦) શબ્દાદ્વૈતવાદી : અરે જૈનો ! તમે તો ઔદારિકવર્ગણાના પુદ્ગલોનું પણ વૈક્રિયવર્ગણાના પુદ્ગલોરૂપે પરિણમન માનો છો..હવે જો વિજાતીય પરિવર્તન હોય, તો તેવું પરિગમન પણ કેમ ઘટે? અને જો તેવું પરિણમન ઘટે, તો શબ્દનું અર્થરૂપે પરિણમન પણ કેમ ન ઘટે ? સ્યાદ્વાદીઃ જુઓ ભાઈ ! ઔદારિકાદિ વર્ગણાઓમાં થનારો વિજાતીય પરિવર્ત તો દેશાદિ ભેદના કારણે થાય છે... આશય એ કે ઔદારિકમાંથી વૈક્રિય થાય છે, તે માત્ર ઔદારિકને કારણે નહીં, પણ દેશાદિભેદના કારણે થાય છે. દેશાદિ ભેદક વિના તેનો પર્યાયભેદ થતો નથી. દેશાદિભેદ એટલે સ્કંધ-દેશ-પ્રદેશ હોય છે, તેમાં દેશ છૂટો પડે, નવો લાગે, તેનાથી વર્ગણા બદલાય (પ્રદેશસંખ્યા વધે કે ઘટે પણ...) પણ તમે તો શબ્દબ્રહ્મને નિરવયવ=નિuદેશી માનો છો...હવે આવા એકાંત એક શબ્દબ્રહ્મમાં દેશાદિભેદ ન હોવાથી જુદા-જુદારૂપે પરિણમન (=પરિવર્તભેદો બિલકુલ સંગત નથી... હવે જો બ્રહ્મને સાવયવ-સપ્રદેશી માનો, તો ખરેખર તો બ્રહ્મવાદીઓએ ધર્માસ્તિકાયાદિ પંચાસ્તિકાયમય જગતનો જ સ્વીકાર કર્યો, માત્ર તેનું “શબ્દબ્રહ્મ' એવું એક જુદું નામ આપ્યું... અને આવા શબ્દબ્રહ્મ વિશે તો અમને કોઈ બાધ નથી, કારણ કે અમારો અભ્યપગમ પણ આવા જ શબ્દબ્રહ્મને સ્વીકારવાનો છે... ભાવાર્થ : જીવાદિ ભિન્ન ભિન્ન વસ્તુઓ હોય તો અમુક આકાશપ્રદેશની અવગાહનાવાળા, અમુક જીવગૃહીત એવા તે ઔદારિક-વૈક્રિય અન્ય છે એવો ભેદ પડી શકે અને તો પરિણમન સંભવી શકે. જ્યાં કોઈ ભેદક નથી ત્યાં ભેદ જ નથી તો પરિણમન શું? - આમ, ભેદ્ય-ભેદકભાવ હોવાથી ૪ પ્રશ્નઃ આ પૂર્વપક્ષનો ઉત્તર શું ગ્રંથકાર આવો આપશે? કે ઔદારિક અને વૈકિય બંનેના પગલો પુદ્ગલરૂપે તો સજાતીય છે. એટલે સજાતીય પરિવર્ત થવામાં કોઈ બાધ નથી... ઉત્તર : ના, કારણ કે એવું કથન તો અદ્વૈતવાદી પણ કરી શકે કે – અર્થ અને શબ્દ બંને પુદ્ગલરૂપ છે (શબ્દ પણ અર્થરૂપ હોઈ પુદ્ગલરૂપ છે...) એટલે એ રૂપે તો તેઓ પણ સજાતીય હોવાથી, તેઓનો પણ પરિવર્ત ઘટશે જ... (એટલે ગ્રંથકારશ્રી અલગ જ રીતે તેનું સમાધાન આપે છે...) ૨. “પરિવર્તસ્થાપ' તિ -પટિ: I ૨. ‘તર્થવ પ્રતીતે.' રૂતિ -પઢિ: Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005534
Book TitleAnekantjaipataka Part 03
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy