________________
अधिकार: )
व्याख्या - विवरण - विवेचनसमन्विता
द्युपल्पवात् तत्तत्स्वभावत्वात्, अन्यथा तदनुपपत्तेः । (४५) ततस्ततोऽन्यत्वाच्च,
વ્યાધ્યા
तन्निमित्तत्वात्-महद्दर्शननिमित्तत्वात् । तन्निमित्तत्वं च तदभावेऽभावात् अल्पाभावेऽभावाद् महद्दर्शनस्य। कथमिदमतत्प्रतिभासीत्याह-विप्रकर्षाद्युपप्लवात् । विप्रकर्ष:- देशविप्रकर्षः । ‘आदि’शब्दात् तथाविधज्ञानावरणक्षयोपशमपरिग्रहः, ताभ्यामुपप्लवाद् भ्रान्तेः । उपप्लवश्च तत्तत्स्वभावत्वात् तस्य-विप्रकर्षादेः तत्स्वभावत्वात् - उपप्लवजननस्वभावत्वात् । इत्थं चैतदङ्गीकर्तव्यमित्याह-अन्यथा तदनुपपत्तेः । अन्यथा - एवमनभ्युपगमे तदनुपपत्तेः-उपप्लवानुपपत्तेः, न ह्यसावन्यनिमित्तोऽनिमित्तो वेति भावनीयम् । मूलसाध्य एव हेत्वन्तरमाह - ततस्ततोऽन्य* અનેકાંતરશ્મિ
३१६
<><
મોટા તત્ત્વનું વાસ્તવમાં તો અસ્તિત્વ જ નથી હોતું - આમ મોટારૂપે થતું દર્શન ક્યાં વસ્તુનિમિત્તક છે ? તો પછી તમે શી રીતે કહી શકો કે, અયોગીની ઉપલબ્ધિ પણ વસ્તુનિમિત્તક જ છે ?
સ્યાદ્વાદી : અરે ભાઈ ! તે બકરો જ, વાછરડા જેવાં મહદ્ દર્શનનું કારણ છે, બાકી જો તે ન હોય, તો મહદર્શન પણ નથી જ થતું.
પ્રશ્ન ઃ જો તે ખરેખર કારણ હોય, તો મહદર્શન વખતે તેનો પ્રતિભાસ કેમ નથી થતો ? ઉત્તર ઃ દેશની દૂરતા અને તેવા પ્રકારના ક્ષયોપશમના અભાવરૂપ દોષનાં કારણે બકરો નાનો હોવા છતાં પણ, તેનો તે રૂપે પ્રતિભાસ નથી થતો અને મોટા રૂપે ભ્રમ થાય છે.
પ્રશ્ન ઃ દેશવિપ્રકર્ષ - તથાવિધક્ષયોપશમ વગેરેથી શું ઉપપ્લવ (=ભ્રમ) થઈ શકે ?
ઉત્તર : હા, કારણ કે તેઓ તો ઉપપ્લવજનનસ્વભાવી છે, તેથી તેઓ દ્વારા ઉપપ્લવ થાય – એવું માનવું જ જોઈએ, નહીંતર તો ઉપપ્લવ જ અસંગત થશે, કારણ કે કોઈ નિમિત્ત વિના કે કોઈ બીજા જ નિમિત્તથી ઉપપ્લવ થતો હોય - એવું તો કદી દેખાતું જ નથી.
નિષ્કર્ષ ઃ તેથી દેશવિપ્રકર્ષાદિના કારણે તે બકરો નથી દેખાતો, બાકી મોટારૂપે થતું દર્શન તો તનિમિત્તક જ છે... ફલતઃ યોગી-અયોગી બંનેની ઉપલબ્ધિ વસ્તુનિમિત્તક હોવાથી વસ્તુને અનેકધર્માત્મક માનવી જ પડશે, તો જ તે બેનો ભેદ ઘટી શકશે.
* વિવર્ળમ્ .
प्रतिभासते दूरात् तम् ।।
(બાકી બકરો દૂરથી આવડો ન દેખાય) એટલે એ પ્રમાતા ત્યાં બકરાને બદલે વાછરડાનો આરોપ કરી દે... અને તેથી તેનું વાછરડા વિષયક દર્શન વસ્તુ વિના થયું કહેવાય. (આવો ભાવ અમને જણાય છે...)
* વિશેષાવશ્યક ભાષ્યમાં ગણધરવાદમાં અનુપલબ્ધિના ૨૧ હેતુ બતાવ્યા છે. (૧) વસ્તુ અતિદૂર હોય. દા.ત. હિમાલયાદિ, (૨) અતિનજીક હોય. દા.ત. આંખમાં કચરો, (૩) અતિસૂક્ષ્મ હોય. દા.ત. પરમાણુ, (૪) મન સ્થિર ન હોય. દા.ત. મૂચ્છિતને, (૫) ઇન્દ્રિય અપટુ હોય. દા.ત. બહેરાને શબ્દ, (૬) મતિની મંદતા - સૂક્ષ્મ શાસ્ત્રાર્થ ન સમજી શકે, (૭) અશક્યતા - દા.ત. પીઠાદિ, (૮) આવરણને કારણે. વસ્ત્રાદિથી ઢંકાયેલી વસ્તુ, (૯) અભિભવને કારણે. દિવસે સૂર્યના તેજથી ઢંકાયેલા તારાદિ, (૧૦) સજાતીય મિશ્રણને કારણે. દા.ત. અડદના ઢગલામાં ફેંકેલો અડદનો દાણો, (૧૧) અનુપયોગથી - એક ઇન્દ્રિયના વિષયમાં ઉપયુક્તને અન્ય ઇન્દ્રિયના વિષયની અનુપલબ્ધિ થાય, (૧૨).અનુપાયમાં પ્રવૃત્તિ કરવાથી. દા.ત. ગાયના શિંગડાથી ગાયની દૂધ આપવાની શક્તિ જાણવાની ચેષ્ટા,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org