SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યા સ્વોપજ્ઞ કે અન્યકક? ૬૭ વ્યાખ્યા સ્વોપજ્ઞ કે અન્યકર્તીક? આ પ્રાયઃ સર્વ વિદ્વાનોનું મંતવ્ય એ છે કે અનેકાંત જયપતાકાની વ્યાખ્યા સ્વોપજ્ઞ છે. બધી મુદ્રિત આવૃત્તિઓમાં પણ એ જ પ્રમાણેનો ઉલ્લેખ છે.. પ્રસ્તુત અનુવાદનું સંશોધન શરૂ કર્યું, ત્યારે તો હું પણ એમ જ માનતો હતો.. પણ ગ્રંથના અભ્યાસ દરમિયાન કેટલાક સ્થળો પર વિચારણા કરતા આ બાબતમાં શંકા થવા લાગી.. મેં મારો અભિપ્રાય અનુવાદક મુનિવરશ્રીને જણાવ્યો. તેમણે શરૂઆતમાં તો તેનો મક્કમપણે ઈનકાર કર્યો કારણ કે વ્યાખ્યાના અંતિમ ભાગના કેટલાક અક્ષરો (જની ચર્ચા મેં આગળ કરી છે) એવો જ આભાસ ઊભો કરે છે કે વ્યાખ્યાકાર પૂ.આ.ભ. હરિભદ્રસૂરીશ્વરજી જ છું.. પણ પછી આગળના અભ્યાસમાં તેમને પણ એવું જણાવા લાગ્યું કે ગ્રંથકારના અભિપ્રાય કરતાં વ્યાખ્યાકારનો અભિપ્રાય જુદી દિશામાં જઈ રહ્યો છે, અને સ્વોપજ્ઞ વ્યાખ્યામાં કદાપિ એવું સંભવિત નથી. ગ્રંથના અનુવાદની પૂર્ણાહુતિ સુધીમાં તો અમારી બંનેની એ માન્યતા લગભગ દઢ થઈ ચૂકી છે કે તે વ્યાખ્યાકાર પૂ.આ.ભ. હરિભદ્રસૂ. મ. નથી, પણ અન્ય કોઈ છે. અલબત્ત, તેવું સિદ્ધ કરવા માટે અમારી પાસે કોઈ ઐતિહાસિક પ્રમાણ નથી, એટલું જ નહીં પણ તે વ્યાખ્યા અંતમાં જોવા મળતા અક્ષરો પ્રથમ દૃષ્ટિએ તેનો વિરોધ પણ કરે છે. એટલે અમે તેવું નિઃશંક | પ્રતિપાદન તો કરી શકતા નથી.. છતાં, જે સ્થળોમાં ગ્રંથકાર અને વ્યાખ્યાકારનો અભિપ્રાય અત્યંત ભિન્ન અમને જણાયો છે, તે સ્થળોનું સંક્ષિપ્ત વિવરણ અહીં રજૂ કરું છું. બહુશ્રુત મહાત્માઓને તે સ્થળો પર વિચાર કરીને આ અંગેનો નિર્ણય સ્વયં કરી લેવા વિનંતી છે.. પાનું ૧૩૨૧ મૂળ ગ્રંથમાં તદ્દનુત્પાઃ પાઠ છે. તદ્ નો અર્થ ઉત્પાદ કરીએ તો અર્થ સંગત થતો જણાય છે, તેથી તે એવું અનુમાન થાય છે કે મૂળ ગ્રંથકારને તેથી ઉત્પાદ અભિપ્રેત છે. વ્યાખ્યામાં તન્નો અર્થ ઉત્પદ્યમાન કર્યો છે, જેની સંગતિ મુશ્કેલ જણાય છે. એવો જ એક અનુભવ પાના નં. ૧૩૭૭ પર થયો. પાનું ૧૩૩૩ ગ્રંથમાં ‘ક્ષાનામચન્તા વૃદ્ધનુષઃ સહારોડોનું ગર્ભવસિદ્ધ ગતિપ્રસાત્ | | હેતુધર્માન્વયાનુપપઃ આવા અક્ષરો છે. ક્ષણિકવાદમાં પરિણામની અસંગતિ સિદ્ધ કરાઈ રહી છે. અમારી | દૃષ્ટિએ વૃદ્ધનુરૂપઃ, સોમવાસિક અને હેતુધન્વાનુરૂપરે: એ ત્રણે પરિણામને અસિદ્ધ કરતા , હેતુઓ છે અને ક્ષાનામત્યન્ત ખેતાત્ સદાોિડડ્યોત્ અને અતિપ્રસાત્ એ ક્રમશઃ તેના હેતુઓ છે.JJ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005532
Book TitleAnekantjaipataka Part 01
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy