SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ કૃપા દૃષ્ટિ... ઉપકારવૃષ્ટિ... જીવનસૃષ્ટિ... ૬૫ -------- 9 0 ગ્રંથસંશોધનના વિશાળકાર્યમાં અનેક પ્રશ્નપરંપરાની શૃંખલા વખતે પણ જેઓશ્રીએ ઉલ્લાસ અને ઉત્સાહ સાથે પ્રતિસાદ આપ્યો... 0“નાહિંમત ના થવું “ધીરતાથી કાર્ય કરવામાં સફળતા મળે જ “ટીકાકારથી ડરવું, ટીકાખોરથી નહીં એવા અનેક લાગણીસભર આત્મીયવાક્યો, મને અનુવાદ વગેરે ક્ષેત્રમાં ઉત્સાહવર્ધક થયા છે.. Oઅનેકક્લિષ્ટ સ્થળોનું રહસ્યોદ્ઘાટન.. યથાર્થ પદાર્થસંગતિ.. શુદ્ધપાઠોની કલ્પનાનું દિશાસૂચન.. તર્કપરિકર્મિત મતિથી ભૂલોનું પરિમાર્જન.. એવા બેજોડ ઉપકારો નિઃસ્વાર્થભાવે ર્યા છે. એ મહાપુરુષો ! અનંત અનંત વંદન, એ મહાપુરુષના પવિત્ર ચરણોમાં...! ઉં શ્રુતાચારસંપન્ન, દાક્ષિણ્યતાસભર, વિદ્વરેણ્ય-વિદ્યાગુરુવર્ય પ.પૂ.મુ.શ્રી સૌમ્યાંગરત્ન ! 1 વિજયજી મહારાજા.. જેઓશ્રીની સતત સહાયનો સદ્ભાગી હું હરહંમેશ બન્યો રહ્યો છું.. 0 પ્રવજયાના શરૂઆતના વરસથી લઈને સ્નેહસભર સારસંભાળ રાખીને જેમણે મને તૈયાર | કર્યો... 0સાધુક્રિયાથી લઈને સન્મતિત સુધીના અધ્યયન દરમ્યાન, સહાધ્યાય-અધ્યાપનરૂપે જેઓશ્રીએ મારા પર સીમાતીત અનુગ્રહ કર્યો છે.. 0 “તમે લખો, બાકીનું હું સંભાળી લઈશ” એવી એકમાત્ર હૂંફ આપીને, સર્જન વગેરે કાર્યોમાં | છે જેમણે વિશિષ્ટ સહાય આપી છે.. જેમના વિના અત્યારની સિદ્ધિ હું હાંસલ ન કરી શક્યો હોત... 4 0પ્રસ્તુત ગ્રંથનું સાદ્યન્ત બીજું પ્રૂફ જોઈને અને શુદ્ધપાઠોને ગોતવા હસ્તપ્રતોની અનેકવાર સફર P કરીને જેમણે નિઃસ્વાર્થ પરોપકાર કર્યો છે. તે વિદ્યાગુરુવર્યના પવિત્ર ચરણોમાં શ્રદ્ધાપૂર્ણ સંવેદનાસહ નતમસ્તક વંદન... જ પ.પૂ. મુનિરાજ શ્રી હર્ષરત્નવિજયજી, ચિરંતનરત્નવિજયજી, જીતરત્નવિજયજી, મોક્ષાંગરત્નવિજયજી, જિનપ્રેમવિજયજી, દેવરત્નવિજયજી, પૂર્ણરત્નવિજયજી, નીતિરત્નવિજયજી, સમર્પિતરત્નવિજયજી, પંડિતવર્ય કલ્યાણભાઈ-સંતોષભાઈ-રસિકભાઈ-સંજયભાઈ-ભાવેશભાઈ – આ બધા વિદ્યાપાઠકોએ મને નિઃસ્વાર્થ અધ્યાપન કરાવીને બેજોડ અનુગ્રહ કર્યો છે.. તે બધાને હું કૃતજ્ઞભાવે સ્મરણ કરું છું.. પ.પૂ. મુનિ શ્રી તીર્થરત્નવિજયજી મહારાજા (પિતા મ.સા.).. જેઓશ્રીએ સંસારીપણામાં મને સંસ્કારવાસિત કર્યો અને સંયમજીવનમાં ને સર્જન વગેરે કાર્યોમાં જેઓ અનેક રીતે સહાયક થયા છે ને જેમણે પૂષ્કળ ભોગ આપ્યો છે, તે પરમોપકારીના પવિત્ર ચરણોમાં સાદર-સહૃદય વંદનાવલી... જ પ.પૂ.મુનિશ્રી તીર્થેશરનવિજયજી, રમ્યાંગરત્નવિજયજી, ત્રિભુવનરત્નવિજયજી, રૂપાતીત વિજયજી, હિતાર્થરત્નવિજયજી, નિરાગરત્નવિજયજી તત્ત્વરત્ન-જ્ઞાનરત્નવિજયજી, મંત્રસિદ્ધિવિજયજી, ત્રિપદીરત્નવિજયજી, શ્રમણ-સંવેગકીર્તિવિજયજી, પાવનરત્નવિજયજી વગેરે અનેક આત્મીયમુનિવરો મને અનેક રીતે અનંતર-પરંપર સહાયક થયા છે, તે બધાને હું આત્મીયભાવે યાદ કરું છું.. . જેઓશ્રીએ મારા સુવિહિતજીવને ઘડવા શિલ્પીનું સ્વરૂપ ધારણ કર્યું છે, તે તમામ સહવર્તીઓને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005532
Book TitleAnekantjaipataka Part 01
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy