SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૭) બજે મધુર બંસરી અનેકાંતજયપતાકાની વૃત્તિ પર વિવરણ લખનાર પૂ. આચાર્ય શ્રી મુનિચન્દ્રસૂરિજીનું જીવનકવન અગીઆરમી સદીના ઉત્તરાર્ધનો સમય... રળીઆમણ દર્શાવતી નગર... (ડભોઈ નગર) ચિંતક શેઠ...! મોંઘીબેન શેઠાણી ...! ‘ચિંતય’ એમનું કુળ...! કોઈ પુણ્યવંતા દિવસે એમને ત્યાં એક તેજસ્વી બાળકનો જન્મ થયો. એના જન્મથી માત્ર માતાપિતા જ નહિ, પણ બાજુના પાડોશીઓ પણ આનંદિત બની ઊઠ્યા. એનું મુખ...! જાણે પૂનમનો ચન્દ્ર ! એનું કપાળ ! જાણે આઠમનો ચન્દ્ર ! એની આંખડી ! જાણે કમળની પાંખડી ! એનો ત્રણ રેખાયુક્ત કંઠ ! જાણે કે દક્ષિણાવર્ત શંખ ! આવો મનમોહક બાળક કોને ન ગમે ? જેણે જેણે એ બાળક જોયો તે સૌએ મોંઘીબાઈને રત્નકુક્ષિ કહીને નવાજ્યાં ! એક દિવસે વિહાર કરતા કરતા આચાર્યશ્રી યશોભદ્રસૂરિજી આવી ચડ્યા. ડભોઈના ભક્તિવંતા શ્રાવકોએ ભાવભીનું સ્વાગત કર્યું. દ૨૨ોજ વ્યાખ્યાનાદિ ચાલવા લાગ્યા. યશોભદ્રસૂરિજીની જાદુઈ વાણીએ ડભોઈ ૫૨ જાણે કામણ કર્યું. નાનાથી માંડીને મોટેરા સૌ વ્યાખ્યાનમાં આવવા લાગ્યા. વિશાળ ઉપાશ્રય પણ સાંકળો પડવા લાગ્યો. નાના બાળક સાથે મોંઘીબેન પણ પ્રવચનમાં આવતાં હતાં. એક દિવસે આચાર્યશ્રીની નજર એ નાનકડા બાળક પર પડી અને... જાણે તેનું ભાગ્ય પલટાઈ ગયું. આચાર્યશ્રીની આંખો આ તેજસ્વી બાળક પર જડાઈ ગઈ. ઘડીભર તેઓ જોઈ જ રહ્યાં. આચાર્યશ્રીની ક્રાન્તદર્શી આંખો જાણે એ બાળકના કપાળ પરનું ઉજ્જવળ ભવિષ્ય વાંચી રહી હતી. થોડીવાર પછી પૂછ્યું : ‘કેમ બેન...! આ તમારો નંદન છે ?’ ‘હા જી’ મોંઘીબેને ઉત્સાહિત ચહેરે કહ્યું. ‘આ બાળકના ચહેરા પર હું જૈનશાસનની મહાન પ્રભાવના જોઈ રહ્યો છું. બેન ! મારું માનતા હો તો આ બાળકને શાસનનાં શરણે સોંપી દો. એનું જીવન ધન્ય બની જશે. માત્ર એનું જ નહિ. પણ તમારું Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005532
Book TitleAnekantjaipataka Part 01
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy