SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ એક વીર પુરુષ (૪૫) આ ઉપરાંત મ. કિ. મહેતાએ ‘અનેકાંતપ્રઘટ્ટ’નો ઉલ્લેખ ગ્રંથસૂચિમાં કર્યો છે, પણ એ ક્યાં કોણે કર્યો તે વિશે કંઈ જણાવ્યું નથી. ‘અનેકાંતજયપતાકા’ ગ્રંથ, અહીં ટીકા, આ. મુનિચન્દ્રસૂરિજીનું ટીપ્પણ અને ગુજરાતી વિવેચન સાથે પ્રગટ થઈ રહ્યો છે. આ ગ્રંથ ભણવામાં ઘણો કપરો છે. ગુર્વાવલીમાં આ. મુનિસુંદરસૂરિએ શ્લો. ૬૮માં જણાવ્યું છે "हरिभद्रसूरिविरचिता: श्रीमदनेकान्तजयपताकाद्याः । ग्रन्थनगा विबुधानामप्यधुना दुर्गमा येऽत्र ॥" શ્રી હીરાલાલ કાપડિયા ‘શ્રીહરિભદ્રસૂરિ’ (પૃ. ૬૦-૬૧માં) જણાવે છે કે - “ધર્મકીર્તિકૃત પ્રમાણવાર્તિક ઉપર મનોરથનંદિકૃત મનોરથનંદિની નામની સંસ્કૃતમાં ટીકા છે. આ ટીકા, અનેકાંતજયપતાકા અને ખાસ કરીને એની સ્વોપજ્ઞ વ્યાખ્યા સમજવામાં ઘણી સહાયક થઈ પડે તેમ છે.....’ આ. હરિભદ્રસૂરિજી ગ્રંથના મંગલાચરણમાં પરમાત્માની સ્તુતિમાં જે વિશેષણો વાપરે છે, તે મોટા ભાગે ગ્રંથગત વિષય જોડે સંબંધ ધરાવતા હોય છે.. યોગબિંદુમાં ‘યોગીન્દ્રામાં’ ષગ્દર્શનસમુચ્ચયમાં ‘સદર્શન’ તેમ અનેકાંતજયપતાકામાં ‘ભૂતવસ્તુવારી' વિશેષણ છે.. અનેકાંતજયપતાકાની રચનામાં ગ્રંથકારે ‘સન્મતિતર્કપ્રકરણ’નો ત્રીજો કાંડ નજર સામે રાખ્યો જણાય છે. સિદ્ધહેમ. શબ્દાનુશાસન (૨-૨-૮૭)ની બૃહવૃત્તિમાં ‘“સાધ્વી હતુ અનેાન્તનયવતાાયા: કૃતિરાવાર્યહરિભદ્રસ્ય આચાર્યહમિદ્રેળ વા'' આ રીતે ઉદાહરણમાં ગ્રંથ-ગ્રંથકારનો નામોલ્લેખ છે.. અનેકાંતજયપતાકા અને તેની શૈલી વિશે શ્રી હીરાલાલ કાપડિયા (પૃ. ૬૪માં) લખે છે કે “વિચારસરણી સ્પષ્ટ અને તર્કબદ્ધ છે.. કેટલીકવાર હેતુઓની શૃંખલા નજરે ચડે છે.. વિષયને વિશદ બનાવવા માટે ઉદાહરણો અપાયાં છે અને ન્યાયોનો નિર્દેશ કરાયો છે. . આમ ન્યાયો વાપરનાર જૈન ગ્રંથકારોમાં એઓ સૌથી પ્રથમ હોય એમ લાગે છે.. પ્રસંગોના ઉત્થાન તેમ જ પૂર્ણાહુતિની સમાનતાને લઈને કેટલીકવાર સમાન શબ્દ-ગુચ્છોનો પ્રયોગ કરાયો છે. . પ્રારંભમાં ને અંતમાં પદ્યો છે, તેમ કોઈ કોઈ વા૨ વચ્ચે પણ છે.’’ * વ્યાખ્યા વિશે... ૧. ‘અનેકાંતજયપતાકા' મૂળ માત્ર મનસુખભાઈ ભગુભાઈ તરફથી છપાયું છે. ‘યશોવિજય જૈન ગ્રંથમાલા' દ્વારા વી. નિ, સં. ૨૪૩૬ થી ૨૪૩૯ દરમિયાન અ.જ.પ. ત્રણ અધિકાર અને ચોથાનો થોડો ભાગ ટીકા સાથે પ્રસિદ્ધ થયો છે.. ગાયકવાડ ઓરિએંટલ સિરિઝમાં બે ભાગમાં (ઈ.સ. ૧૯૪૦ અને ૧૯૪૭માં) અને. જ. પ. તે ટીકા અને મુનિચન્દ્રસૂરિના વિવરણ સાથે પ્રગટ થઈ છે, આનું સંપાદન હીરાલાલ કાપડિયાએ કર્યું છે. ગા. ઓ. સિ. સંસ્કરણના બંને ભાગોની મર્યાદિત ઝેરોક્ષ નકલો શ્રી બાબુલાલ સરેમલ સાબરમતી વાળાના પ્રયત્નથી થઈ છે અને મુખ્ય-મુખ્ય જ્ઞાનભંડારોને ભેટ મોકલાઈ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005532
Book TitleAnekantjaipataka Part 01
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy