SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ એક વીર પુરુપ (૪૪) બહુજનપ્રસિદ્ધ એક લાક્ષણિકતા એ છે કે, તે દેવાલયના ૧૪૪૪થાંભલામાંથી કોઈપણ થાંભલા પાસે - ઊભા રહો, કોઈને કોઈ એંગલથી તમને પ્રભુજી દેખાશે જ.. સૂરિપુરન્દર શ્રી હરિભદ્ર સૂરિજી રચિત ૧૪૪૪ ગ્રંથોની પણ આવી જ કોઈ લાક્ષણિકતા છે કે તમે કોઈપણ ગ્રન્થ વાંચો એટલે કોઈ અલગ જ કાટખૂણેથી જૈન દર્શનના સિદ્ધાંતો નજરે ચડે છે. હારિભદ્રીય આવશ્યક વગેરે વિશાળકાય આગમિક ગ્રન્થો.. અનેકાંતજયપતાકા જેવા મૂર્ધન્ય કક્ષાના દાર્શનિક ગ્રન્થો. લલિતવિસ્તરા જેવા દાર્શનિક+ ભક્તિગ્રન્થો.. યોગદષ્ટિસમુચ્ચય જેવા અધ્યાત્મના ઉચ્ચગ્રંથો.. પંચવસ્તુક જેવા આચાર ગ્રંથો.. હરિભદ્રવાલ્મય મહાનગરની આ બધી મનોહર ગલીઓ છે.. આ મહાપુરુષે ઘણા સંગ્રહગ્રંથો પણ રચ્યા છે. જેમકે : વિંશતિ-વિશિકા, પશાશકજી, અષ્ટક)...” પુરાતનપ્રબંધસંગ્રહ (પૃ. ૧૦૪) મુજબ આ. હરિભદ્રના ગ્રંથો સોના અને ચાંદીની સાહીથી લખાયેલા.. ચિત્તોડના પ્રાસાદમાં રસાયણ દ્વારા બનાવેલા સ્તંભમાં મૂકવામાં આવ્યા હતા. આ સ્તંભ પાણી અને અગ્નિની અસરથી મુક્ત હતો. જૈનજ્ઞાતિઓના ઇતિહાસ સાચવતાં કુલગુરુઓના પુસ્તકોમાં “આ. હરિભદ્રસૂરિજીએ પોરવાડવંશની સ્થાપના કરી” એવી વિગત મળે છે.. - આ. હરિભદ્રસૂરિએ રચેલા ૩૮ ગ્રંથોના નામ ગણધરસાર્ધશતક ઉપર વિ.સં. ૧૨૯૫ માં સુમતિગણિએ રચેલી ટીકામાં અપાયા છે. વર્તમાનમાં આચાર્યશ્રીના ગ્રંથોની સૂચિ બનાવવાનો પ્રયાસ મ. કિ. મહેતા, મ. ન. દોશી, પં. હરગોવનદાસ, પં. કલ્યાણવિજય ગણિ, પં.બેચરદાસ, મોહનલાલદ. દેસાઈ, હીરાલાલ કાપડિયા, . પં. સુખલાલ વગેરેએ કર્યો છે.. એમાં કેટલાક ઉપલબ્ધ, કેટલાક અનુપલબ્ધ, કેટલાક સંદિગ્ધકર્તક, કેટલાક ભિન્ન હરિભદ્રકર્તક વગેરે હોવાની સંભાવના છે, તો કેટલાક ગ્રંથો જુદા જુદા નામે નોંધાવાના કારણે ગ્રંથ સંખ્યા બધાની જુદી-જુદી છે. એકંદરે ૬૦ જેટલા ગ્રંથો આપણાં સદ્ભાગ્યે ઉપલબ્ધ છે. કેટલાક ગ્રંથોના નામ અને અવતરણો અન્ય ગ્રંથમાંથી મળે છે. એ સિવાયના ગ્રંથોના નામો પણ જાણી શકાતા નથી. આ હરિભદ્રસૂરિજીએ ૧૦૦ શતકો રચ્યાની પ્રબંધકોશ, પ્રભાવકચરિત્રમાં નોંધ મળે છે. અત્યારે યોગશતક જેવા કોઈક ગ્રંથો સિવાયના નામ કે ગ્રંથો મળતાં નથી. * અનેકાંત જયપતાકા * અનેકાંતવાદ'નું નિરૂપણ કરતી આ. હરિભદ્રસૂરિજીએ ચાર કૃતિઓ રચી હતી. એમાંથી સ્યાદ્વાદકુચોઘપરિહાર'નો ઉલ્લેખ અને “અને કાંતસિદ્ધિ'નો ઉલ્લેખ અને સાક્ષીપાઠ ! અનેકાંતજયપતાકાની ટીકામાં મળે છે.. - ૧. १. "मेदपाटदेशे हरिभद्रसूरिभिः प्राग्वाट(पोरवाड)वंशस्य स्थापना विहिता तवंश्याश्च जैनधर्माभिरताः (पं. कल्याणवि. गणि. लिखित 'ग्रन्थपरिचय' पत्र-७) નન' Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005532
Book TitleAnekantjaipataka Part 01
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy