SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ વિશેષ ટીપ્પણો પરિશિષ્ટ - ૧ (પૃ. ૩૨, પં. ર૩) પ્રશ્નઃ વસ્તુ સર્વાત્મના કામ કરે છે, એટલે તો માત્ર સત્ત્વરૂપ જ કેમ થાય? સર્વસ્વરૂપમાં તો સત્ત્વ-અસત્ત્વ બંને ધર્મ આવે અને તો તેનાથી વસ્તુ પણ સત્ત્વ-અસત્ત્વ ઉભયરૂપ જ થવી જોઈએ ને? ઉત્તરઃ ના, વસ્તુ સર્વાત્મના કામ કરે, તો પણ તેનું સત્તાકાર જ કામ કરી શકે, અસત્ત્વાકાર નહીં અને તો તેનાથી થનાર વસ્તુ સત્ત્વરૂપ=ભાવરૂપ જ બને. તે આ રીતે – (અસરૂપ તો...) (પૃ. ૩૭, પં. ૧૯) પર્યાયો નાશ પામે અને દ્રવ્ય ટકે - આ વાત તો જ સંભવે કે જો પર્યાય કરતાં દ્રવ્યનું જુદું અસ્તિત્વ હોય, પણ તે જ સંભવતું નથી. (એ જ વાત જણાવે છે ) (પૃ. ૪૮, પં. ૧૪) વ્યાખ્યામાં જે “પ્રવૃત્તિનિમિત્તામાન શાપ્રવૃત્ત:' લખ્યું છે એનો ભાવ એ કે, સાસ્નાદિમત્ત્વગોત્વ તે “ગો'શબ્દનું પ્રવૃત્તિનિમિત્ત છે. તેવી રીતે જો ‘યં થાળુઃ' આવા શબ્દપ્રયોગનું પ્રવૃત્તિનિમિત્ત ફક્ત સ્થાણુત્વ જ છે, પુરુષત્વ નહીં, કારણ કે પુરુષત્વવામાં તેવા પ્રકારનો શબ્દપ્રયોગ નથી થતો, પણ તમારા મતે (=અનેકાંતમતે) તો સર્વત્ર પુરુષત્વ પણ રહેલું જ છે, માટે પુરુષત્વાંગસંસ્કૃષ્ટાપુત્વ કે જે પ્રવૃત્તિનિમિત્ત છે તે ન મળતાં ‘થાપુ:' આવા પ્રકારનો શબ્દપ્રયોગ ન થાય... (પૃ. ૭૫, ૫. ૨૫) કુક્રાચાર્યઃ પૃ. ૧૬ પર પણ કુક્કાચાર્યની વાત આવી હતી, તે અને આ કુક્કાચાર્ય જુદા હોવા જોઈએ... કારણ કે ત્યાં પૂર્વવંશજ તરીકે ઉલ્લેખ કર્યો હતો, જ્યારે અહીં કુક્કાચાર્યના મતના નિરાકરણની વાત છે.. પૂ. હરિભદ્રસૂરિ મ. સા. બ્રાહ્મણ હતા અને તેમના વંશીય તરીકે જ પહેલાં અને હમણાં બતાવેલા કુક્કાચાર્ય હોઈ શકે. હવે એ કુક્કાચાર્યે કોઈક પ્રકરણ રચ્યું હોય, એટલે તેટલા અંશે તેમનો અનિંદ્ય માર્ગ કહેવાય અને તેનું અનુસરણ હરિભદ્રસૂરિ મ. સા.એ કર્યું. પણ બ્રાહ્મણ હોવાથી તેમની કેટલીક માન્યતા ખોટી હોય અને તેનું નિરાકરણ અહીં કર્યું હોય એવું પણ બને.. આ તો એક સંભાવનામાત્ર છે, આવી અનેક કલ્પનાઓ થઈ શકે.. વિદ્વાનો યથાયોગ્ય વિચારણા કરી તથ્યનો નિર્ણય કરે... અમને આ વિશેનો કોઈ ઇતિહાસ મળ્યો નથી.. (પૃ. ૭૮, ૫. ૨૫) પ્રશ્નઃ તમે કહ્યું કે સત્તાસત્ત્વ ઉભય રહેતાં હોવાથી વસ્તુને સદસદ્ ઉભયરૂપ માનવી જોઈએ, પણ તમારી આ વાત વ્યાજબી જણાતી નથી. કારણ કે, સત્ત્વાસન્ત બે વસ્તુ દુનિયામાં છે જ નહીં.. જે સત્ત્વ છે એ જ અસત્ત્વ છે. પૃથ્વીમાં જે રૂપે સત્ત્વ છે તે જ રૂપે અસત્ત્વ છે. તો પછી ઉભય જ ન હોવાથી ઉભયરૂપ માનવાની આપત્તિ ક્યાંથી આવે ? Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005532
Book TitleAnekantjaipataka Part 01
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy