SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ અનેકાંત ઃ તત્ત્વાર્થખજાનાની ચાવી... (૧૭) ૐ એક માણસ વર્ષે દસ લાખ કમાય છે, બીજો વર્ષે પાંચ લાખ કમાય છે.. તો વર્ષના અંતે કોણ વધારે બચત કરશે ? અહીં તમે એક જ મુદ્દો જોશો કે – જે વધુ કમાય, તે વધુ બચાવે.. તો ખોટા પડી શકો છો.. બીજા પણ ઘણા મુદ્દાઓ બચત પર અસર કરે છે. જેમ કે જે દસ લાખ કમાય છે, એને ત્યાં | ખાવાવાળા દસ છે, ને જે પાંચ લાખ કમાય છે, એને પોતાનો પણ ખાધાખોરાકી ખર્ચ બાપા આપે છે ! rTM પત્નીએ પતિને કહ્યું : ‘મને તો ખૂબ શરમ આવે છે.. ઘરભાડુ મારા પિતા ભરે છે. અનાજખર્ચ મારા કાકા આપે છે. દુધ-લાઇટબીલ ખર્ચ મારા મામા આપે છે.. ખરેખર મને ખૂબ શરમ આવે છે..’ પતિએ કહ્યુ : ‘બરાબર છે. . તને શરમ આવવી જ જોઈએ, કારણ કે તારા બંને ભાઈઓ એક પણ ♦ ખર્ચ ઉઠાવતા નથી !' આ છે અનેકાંત ! શરમ આવવાનું કારણ પત્ની જુદું માને છે, ને પતિ જુદું ! પૂજ્યપાદ હરિભદ્રસૂરિમહારાજે આ અનેકાંતની જ તત્ત્વજગતમાં જયપતાકા લહેરી રહી છે એનું સુંદર નિરૂપણ અનેકાંતજયપતાકા ગ્રંથમાં કર્યું છે.. એવો કયો મુદ્દો છે કે જે અનેકાંત વિના સિદ્ધ થઈ શકે ? એમણે તો નિત્ય-અનિત્ય, ભેદ-અભેદ વગેરે દરેક મુદ્દા પર અનેકાંતની સિદ્ધિ તર્ક-દષ્ટાંત-હેતુઓ પૂર્વક સાધી આપી છે.. બૌદ્ધ, નૈયાયિક, મીમાંસક વગેરે બધા દર્શનો, ભેદ આદિ કોઈપણ પ્રકારની તાત્ત્વિક સિદ્ધિ માટે એકાંત પકડીને પહેલો જ દાખલો ખોટો માંડે છે.. પછી એ સાચી ઠેરવવા ભેજાનું | દહીં કરે છે.. છતાં તેઓ ફાવતા નથી.. અને જેમ જહાજના થડા પર બેઠેલું પંખી દરિયામાં આવી ગયા પછી જહાજ છોડી બીજે જવા ( વારંવાર આંટા મારી છેવટે જહાજનો જ સહારો લે છે, એમ એ બધાને છેવટે તો અનેકાંતના જ સહારા ( પર આવવું પડે છે, એ વાતો અનેકાંતજયપતાકામાં સુંદરતમા સિદ્ધ કરી છે.. પૂજ્યપાદ દીક્ષાદાનેશ્વરી શાસનપ્રભાવક આ.દે.શ્રી. વિ. ગુણરત્નસૂરીશ્વરજી મહારાજના આશીર્વાદથી અને વિદ્વર્ય પ્રખર પ્રવચનકાર આ. દે. શ્રી વિ. રશ્મિરત્નસૂરીશ્વરજી મહારાજની આજ્ઞાથી એમના શિષ્યરત્ન વિદ્વાન મુનિશ્રી યશરત્નવિજયજી મહારાજે આ ગ્રંથનો વ્યાખ્યા અને વિવરણ સહ ગુર્જરાનુવાદ કરી ખૂબ સુંદર કાર્ય કર્યું છે.. પણ જો ગ્રંથ જ અશુદ્ધ હોય, તો અનુવાદ પણ થાય શી રીતે ? તેથી તેઓએ સહુ પ્રથમ તો ઉપલબ્ધ મુદ્રિત પુસ્તકના સંદિગ્ધ સ્થળોને લગભગ ૧૮થી ૨૦ હસ્તલિખિત પ્રતો સાથે મેળવી મહત્ત્વની લગભગ ૩૦૦ ઉપરાંત અશુદ્ધિઓ દૂર કરી.. આમ સંસ્કૃત ગ્રંથને પણ પ્રાયઃ શુદ્ધ કર્યો.. પછી સરળ-સુંદર ♦ ભાવાનુવાદ કર્યો.. પૂજ્યપાદ સરસ્વતીલબ્ધપ્રસાદ આ.દે.શ્રી.વિ. રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજાના | | શિષ્યરત્ન વિદ્વાન મુનિરાજશ્રી ભવ્યસુંદરવિજયજી મહારાજે આ અનુવાદનું સાદ્યન્ત સંશોધન કર્યું છે.. તેથી તેઓ પણ ધન્યવાદપાત્ર છે. ‘અનેકાંતજયપતાકા’ ગ્રંથના અભ્યાસુને સામાન્યથી સંસ્કૃત ફાવતું જ હોય છે. તો પછી અનુવાદની - જરૂરત ? એ એટલા માટે છે કે સંસ્કૃત વાંચતા ક્યાંક પદાર્થ પકડાતો ન હોય, તો ત્યાં અનુવાદ સહાયક થાય છે.. તેથી ગ્રંથ સમજાતો જવાથી વચ્ચેથી મુકી દેવાના બદલે પૂરો કરવાનું મન થાય છે.. સંપાદક મુનિરાજ આ ગ્રંથને પાંચ વિભાગમાં પ્રકાશિત કરાવી રહ્યા છે. એમણે અનુક્રમણિકા પણ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005532
Book TitleAnekantjaipataka Part 01
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy